અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL 2025 નું ફાઈનલ મુકાબલો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) તેમની પહેલી IPL ટ્રોફી માટે ટકરાશે. બંને ટીમો વચ્ચે પહેલા ક્વોલિફાયર મેચમાં મુકાબલો થયો હતો, જેમાં RCB વિજેતા રહી હતી. હાલ પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
IPL ઇતિહાસમાં બેંગલુરુ અને પંજાબ વચ્ચે અત્યાર સુધી 36 મુકાબલા થયા છે, જેમાં બંને ટીમોએ 18-18 વખત જીત નોંધાવી છે. પંજાબ સામે RCBનો સૌથી મોટો સ્કોર 241 રહ્યો છે, જે તેણે ગયા વર્ષે બનાવ્યો હતો. બીજી બાજુ, પંજાબનો બેંગલુરુ સામે સૌથી મોટો સ્કોર 232 રહ્યો છે, જે 2011માં થયો હતો.
પાછલી પાંચ મેચમાં RCB પંજાબ પર હાવી રહી છે. છેલ્લી પાંચ મેચમાં ચાર વખત RCBએ વિજય મેળવ્યો છે. IPL 2025ના હાલના સીઝનમાં પણ RCBનું પલડું ભારે રહ્યું છે, તેણે ત્રણ મેચમાંથી બે વખત પંજાબને હરાવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો અત્યાર સુધી એક જ વખત સામસામે આવી છે, જે 2021માં રમાયેલી મેચ હતી જેમાં પંજાબે 4 વિકેટે વિજય મેળવ્યો હતો.
અમદાવાદના આંકડાઓએ વધાર્યું RCBની ચિંતા
RCBએ અહમદાવાદમાં અત્યાર સુધી છ મેચ રમી છે, જેમાંથી તેણે ત્રણ જીત અને ત્રણ હાર મળી છે. છેલ્લી 4 ચાર મેચમાં ત્રણ વખત તેને અમદાવાદમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. IPL 2025માં હજુ સુધી RCBએ અહમદાવાદમાં કોઈ મેચ રમી નથી.
બીજી તરફ, પંજાબ કિંગ્સનો અમદાબાદમાં રેકોર્ડ ખૂબ જ સારો રહ્યો છે. તેણે અહીં IPLમાં કુલ સાત મેચ રમી છે અને પાંચ વખત વિજય મેળવ્યો છે. પંજાબે અહીં છેલ્લી પાંચમાંથી ચાર મેચ જીતી છે અને છેલ્લા ત્રણ મેચમાં તો હારવાનો પ્રશ્ન જ ઊભો થયો નથી. IPL 2025માં પંજાબે અહીં રમેલી બંને મેચ જીતી છે. IPL 2025નો ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થવાની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમદાવાદમાં 75 ટકા વરસાદની શક્યતા છે.
