નવી દિલ્હીઃ દિલ્હીની કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સામે નોકરીને બદલે જમીન હડપવાને મામલે આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટ મુજબ ચાર્જશીટમાં એવા સંકેતો મળે છે કે રેલ મંત્રી તરીકે પોતાના પદનો દુરુપયોગ કરીને લાલુ યાદવે સરકારી નોકરીઓને બદલે જમીનો કબજે કરવાનું ષડયંત્ર રચ્યું હતું.
કોર્ટે તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ સામે પણ આરોપ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સંદેહને આધારે માન્યું છે કે લાલુ યાદવ અને તેમના પરિવાર દ્વારા વ્યાપક કાવતરું રચવામાં આવ્યું હતું. આરોપપત્રમાં નોકરીને બદલે જમીન મેળવવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.લાલુ પરિવાર ગુનેગાર ગેંગની જેમ કામ કરતો હતો – કોર્ટ
કોર્ટે સંદેહને આધારે નિષ્કર્ષ કાઢ્યો છે કે લાલુ યાદવ અને તેમના પરિવાર દ્વારા એક વ્યાપક કાવતરું રચાયું હતું. ચાર્જશીટમાં નોકરીને બદલે જમીન કબજે કરવાની વાત સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. આ પરથી કોર્ટનું માનવું છે કે લાલુ યાદવ અને તેમનો પરિવાર એક ગુનેગાર ગેંગની જેમ કાર્ય કરી રહ્યો હતો.
કોર્ટે 52 લોકોને નિર્દોષ જાહેર કર્યા
કોર્ટે લાલુ યાદવ અને તેમના પરિવાર સહિત 40થી વધુ લોકો સામે આરોપ નક્કી કર્યા છે. જ્યારે આ કેસમાં કોર્ટ દ્વારા 52 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.


