સરકારની અર્થતંત્રને વેગ આપવા નિકાસ, મૂડીરોકાણ વધારવાની યોજના

નવી દિલ્હીઃ વૈશ્વિક અર્થતંત્રમાં મંદી ઘેરાવાના અહેવાલો વચ્ચે ભારતે નિકાસની સાથે મૂડીરોકાણ વધારવા પર નવેસરથી કામ કરવાનું શરૂ ક્રુયં છે. વેપાર મંત્રાલય એ વિશે એક વિસ્તૃત યોજના તૈયાર કરી છે. જે હેઠળ નિકાસ અને મૂડીરોકાણ વધારવા માટે અમેરિકા અને બ્રિટન સહિત 12 દેશોની ઓળખ કરવામાં આવી છે. હવે આ 12 દેશોના બજારોમાં નવેસરથી અભ્યાસ કરવામાં આવશે.

મંત્રાલય દ્વારા એ જોવામાં આવશે કે કઈ-કઈ ચીજવસ્તુઓના વેપાર આ દેશોની સાથે વધારી શકાય છે. એ પણ જોવામાં આવશે કે કઈ-કઈ ચીજવસ્તુઓની ભારત સરળતાથી આ દેશોમાં નિકાસ કરી શકે છે. એની સામે આ દેશો માટે ભારતમાં મૂડીરોકાણ કરવાનું સરળ બનાવવામાં આવશે. આ દેશોને મૂડીરોકાણ પર વિષેષ રાહત પણ આપવામાં આવશે. કેન્દ્રનું કહેવું છે કે જો નિકાસ અને મૂડીરોકાણમાં તેજી રહી તો અર્થતંત્ર મજબૂત થશે. નોકરીઓ પણ બજારમાં વધુ આપશે.

આ વ્યૂહરચના પાછળ એક જ લક્ષ્ય છે કે વૈશ્વિક સ્લોડાઉનની અસર ભારતીય અર્થતંત્ર, નિકાસ અને મૂડીરોકાણ પર ઓછામાં ઓછી થાય, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ યોજનાની યાદીમાં 12 પ્રાથમિકતાવાળા દેશો- અમેરિકા, બ્રાઝિલ, સાઉદી અરેબિયા, કેનેડા, બ્રિટન, જર્મની, સ્વીડન, જાપાન, તાઇવાન, દક્ષિણ કોરિયા અને રશિયાનું નામ છે. આ યોજનાના ભાગરૂપે મંત્રાલયે વિવિધ દેશોમાં રોડ-શો આયોજિત કરશે, જેમાં મૂડીરોકાણ અને વેપારને પ્રોત્સાહન આપતા કાર્યક્રમ સામેલ થશે.

પાછલા કેટલાક મહિનાઓથી નિકાસમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે, ક્યારેક નિકાસ ઘટી જાય છે તો ક્યારેક વધી જાય છે. આ જ હાલ વિદેશી મૂડીરોકાણના છે, જેની સીધી અસર વિદેશી કરન્સી પર જોવા મળી હતી.