મહાકુંભ, ચીન અને જાતિ જનગણતરીને મુદ્દે અખિલેશે સરકારને ઘેરી

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. એ દરમ્યાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સંસદમાં ફરી એક વાર મહાકુંભ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો છે. મહાકુંભમાં મૃતકોના આંકડા જારી કરવામાં આવે. આ સિવાય તેમણ કહ્યું હતું કે સંસદમાં દુર્ઘટનામાં મૃતકો માટે બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અમે લોકોએ લાખો એકર જમીન ગુમાવી છે અને હવે એ રસ્તે ભાજપ ચાલી રહ્યો છેજમીન ગુમાવ્યાની સાથે-સાથે ભાજપ કહી નથી રહ્યો કે ચીને કબજો કર્યો છે.  તેમણે સંસદમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે પ્રચાર કરવામાં આવ્યો હતો કે રૂ. 100 કરોડની તૈયારી અમે કરી રાખી છે. જો સરકાર મારી વાતને ખોટી સાબિત કરે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મહાકુંભમાં લોકો પુણ્ય કમાવા આવ્યા હતા, પરંતુ મૃતદેહો લઈને ગયા છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે સંસદમાં કહ્યું હતું કે આ લોકો ડિજિટલ-ડિજિટલ કહેતા થાકતા નથી, પણ હવે ડિજિટ નથી આપી રહ્યા. મહાકુંભમમાં દુર્ઘટના પછી મૃતદેહો પડ્યા રહ્યા હતા, પરંતુ હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવ્યા હતા. જ્યારે દેશના રાષ્ટ્રપતિ અને PMએ શોક વ્યક્ત કર્યો, એના 17 કલાક પછી સરકારે એ વાત માની.

લોકસભામાં જાતિ જનગણતરીનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. જાતિ જનગણતરી મુદ્દે મારા અને કોંગ્રેસની વચ્ચે કોઈ મતભેદ નથી. જાતિ જનગણતરીના મુદ્દે જો કોંગ્રેસ એક પગલું આગળ વધશે તો અમે તમારાથી આગળ ચાલીશું. સરકારે કોઈ કામ નથી કર્યું, પણ SPનાં કામોને આગળ વધાર્યાં છે. રાજ્યમાં એક એક્સપ્રેસ-વે પણ સરકારે પૂરો નથી કર્યો, એમ તેમણે કહ્યું હતું.