અમદાવાદ: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી અષાઢી બીજના રોજ નીકળવાની છે. આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળી છે. વહેલી સવારે 8 વાગ્યે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શોભાયાત્રા શરૂ થઈ હતી. વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા- પતાકા સાથે ભવ્ય જળયાત્રા કાઢવામાં આવી છે. જે સાબરમતી નદી કિનારે પહોંચી અને ગંગા પૂજન શરૂ કરાયું છે. બાદમાં મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓ ક્રૂઝ પર સવાર થઇ સાબરમતી નદીના મધ્યમાંથી ભગવાનના જળાભિષેક માટે જળ લીધું.
Ahmedabad, Gujarat: Ahead of the June 27 Rath Yatra, the Jagannath Jal Yatra was held in Ahmedabad on Jyeshtha Purnima. Water from the Sabarmati River was brought in 108 urns for Lord Jagannath’s abhishek pic.twitter.com/ZNtF1cXgFe
— IANS (@ians_india) June 11, 2025
જ્યાંથી દર વર્ષે જળાભિષેક માટે પાણી લાવવામાં આવે છે, ત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ પાણી લાવવામાં આવશે. આજે યોજનારી જળયાત્રામાં મેયર પ્રતિભા જૈન સહિત ભાજપ અને કોગ્રેસના પદાધિકારીઓ, ધારાસભ્યો સહિતના નેતાઓ પણ હાજર રહ્યા.
Ahmedabad, Gujarat: Ahead of the 148th Rath Yatra of Lord Jagannath on June 27, rituals have commenced with the first prayer on the Sabarmati River. Administrative and security preparations are also underway to ensure the event proceeds smoothly pic.twitter.com/eEM1rtIwFS
— IANS (@ians_india) June 11, 2025
પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્નાથની પૂજન વિધિ કરીને મહાજળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગારના પણ કરવામાં આવ્યો હતો. બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
Ahmedabad, Gujarat: Maharaj Dilip Das says, “…On the auspicious occasion of the Rath Yatra of Lord Jagannath, a Jalyatra festival is celebrated…” https://t.co/StRtnT5rPI pic.twitter.com/WiQyWV73Tj
— IANS (@ians_india) June 11, 2025
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, બળદેવજી સરસપુરમાં રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળમાં રોકાણ માટે જશે. સરસપુરમાં રણછોડરાયજી મંદિરમાં પણ ભગવાનની આગતા-સ્વાગતા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચુકી છે અને સ્થાનિકોમાં ભગવાનને આવકારવા થનગનાટ છે.
