કશ્મીરમાંથી પર્યટકોની સત્વરે રવાનગી…

એક ઈટાલીયન પર્યટક દંપતી 3 ઓગસ્ટ, શનિવારે શ્રીનગરમાંથી રવાના થવા માટે શિકારામાં બેસીને દાલ લેકમાંથી પસાર થાય છે. સલામતીના કારણોસર જમ્મુ અને કશ્મીરમાં વધારે સૈનિકોને તહેનાત કરવાની ઓચિંતી જરૂર ઊભી થઈ હોવાની ભારત સરકારે જાહેરાત કરી છે. એ સાથે જ રાજ્યમાં આવેલા દેશી-વિદેશી તમામ પર્યટકો અને તીર્થયાત્રીઓને કશ્મીર વહેલી તકે છોડી જવાનો સરકારે આદેશ આપી દીધો છે.

શ્રીનગર છોડી રહેલા પર્યટકોનો સામાન નૌકાચાલક દાલ લેકના પગથિયા પર મૂકી રહ્યો છે.

ઈટાલીયન દંપતી શ્રીનગર છોડી જવાની તૈયારીમાં છે અને ટેક્સીની રાહ જુએ છે.