વાઘણનાં જોડિયા બચ્ચાઓને પ્રાણી ઉદ્યાનમાં વિઝિટર એરિયામાં છોડવામાં આવ્યા

નવી દિલ્હીના રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન (નેશનલ ઝૂલોજિકલ પાર્ક)માં ‘સિદ્ધિ’ નામની એક રોયલ બેંગાલ વાઘણે ગયા મે મહિનામાં બે જોડિયા બચ્ચાને જન્મ આપ્યો હતો. હવે સાત મહિનાના થયેલા એ બંને વાઘબાળને 21 ડિસેમ્બર, ગુરુવારે મુલાકાતીઓ માટેના ડિસ્પ્લે વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા તે સમયની તસવીરી ઝલક. વાઘણ ‘સિદ્ધિ’એ ગઈ 4 મેએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો, પણ એમાંના ત્રણ મૃત પેદા થયા હતા અને બે જિવીત છે. ભારતના કોઈ પ્રાણી ઉદ્યાનમાં રાખવામાં આવેલી કોઈ માદા વાઘ પ્રાણીએ જોડિયા બચ્ચાને જન્મ આપ્યો હોય એવું 2005ની સાલ પછી આ પહેલી જ વાર બન્યું છે.