ચિત્રલેખાના 75 વર્ષઃ ગૌરવશાળી સફરની ઉજવણી

ચિત્રલેખાના 75 વર્ષની ઉજવણી એ ફક્ત એક સામયિકના 75 વર્ષની ઉજવણી નહોતી. એ હતી 75 વર્ષની એક ગૌરવશાળી સફરની. 75 વર્ષના ગુજરાતી પત્રકારત્વના એક મહત્વપૂર્ણ પડાવની. 75 વર્ષના ગુજરાતી સમાજના પ્રતિબિંબની. 

ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાયો, જ્યારે 12 એપ્રિલ, 2025, શનિવારના રોજ મુંબઇમાં વિલેપાર્લે (પશ્ચિમ) ખાતે મુકેશ પટેલ ઓડિટોરિયમમાં કેન્દ્રિય ગુહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયેલ, જાણીતા થિયેટર આર્ટીસ્ટ સરિતા જોશી અને નેશનલ સ્ટોક એક્સચેન્જના MD અને CEO આશિષકુમાર ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાએલા ભવ્ય કાર્યક્રમમાં ચિત્રલેખાના 75મા વાર્ષિક અંકનું વિમોચન કરવામાં આવ્યું. 

કેવો ભવ્યાતિભવ્ય રહ્યો એ કાર્યક્રમ? જૂઓ, આ તસવીરોમાં…. 

મહેમાનોનું સ્વાગત….

75 માં વાર્ષિક અંકનું નાવીન્યપૂર્ણ રીતે વિમોચન….

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)