અમેરિકી રાજદૂત ગાર્સેટીએ મુંબઈમાં ‘મણીભવન’ની મુલાકાત લીધી…

ભારતમાં નવા રાજદૂત તરીકે નિમાયા બાદ એરિક ગાર્સેટી મંગળવાર, 16 મેએ પહેલી જ વાર મુંબઈની મુલાકાતે આવ્યા હતા. તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિવાસ તરીકે પ્રખ્યાત ‘મણીભવન’ સ્મારકની મુલાકાત લીધી હતી. ત્યાં એમણે વિઝિટર્સ બૂકમાં હસ્તાક્ષર કર્યા હતા અને સંદેશ લખ્યો હતો. ગાર્સેટી તે ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ટોચના ઉદ્યોગપતિ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પણ મળ્યા હતા. (તસવીર સૌજન્યઃ @USAmbIndia)