EDએ કેજરીવાલની ધરપકડ મુદ્દે SCમાં દાખલ કર્યું સોગંદનામું

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (આપ) કથિત દિલ્હી લિકર કૌભાંડમાં ગુનાની આવકના મુખ્ય લાભાર્થી છે અને તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલના માધ્યમથી મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે.

દિલ્હી લિકર કેસથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં કેજરીવાલની ધરપકડવાળી કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં દાખલ જવાબી સોગંદનામામાં EDએ દાવો કર્યો હતો કે ગોવામાં આપ દ્વારા આપ દ્વારા ચૂંટણી સંબંધી કામગીરીમાં સામેલ વિવિધ વ્યક્તિઓનાં નિવેદનોથી માલૂમ પડ્યું છે કે કાર્કર્તાઓ, ક્ષેત્ર મેનેજરો, એસેમ્બલી મેનેજરો વગેરે રૂપે તેમના દ્વારા કરવામાં આવેલા કામ માટે તેમને ચુકવણી કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી દિલ્હી લિકર કૌભાંડ થયેલી આવકના મુખ્ય લાભાર્થી છે. ગુનાની આવકનો એક હિસ્સો આશરે રૂ. 45 કરોડની રોકડનો ઉપયોગ આપની વિધાનસભા ચૂંટણી 2022ની ચૂંટણી ઝુંબેશમાં કરવામાં આવ્યો હતો.આ પ્રકારે કેજરીવાલના માધ્યમથી મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે અને આ પ્રકારે અપરાધ કલમ 70, PMLA 2002ના અંતર્ગત આવે છે. EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતુ કે જ્યારે તેઓ PMLA ની કલમ 17 હેઠળ કેજરીવાલનું નિવેદન નોંધી રહ્યા હતા, તે દરમિયાન પણ તેઓ અમારા પ્રશ્નોના ઉત્તર નહોતા આપી રહ્યા. વાસ્તવમાં કેજરીવાલે એક્સાઈઝ પોલિસી કેસમાં તેમની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને અહીંથી રાહત મળી ન હતી.

EDએ અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસની ગેરરીતિઓમાં મુખ્ય ષડયંત્રકારી ગણાવ્યા છે, કેન્દ્રીય તપાસ એજન્સીનો દાવો છે કે AAPના ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ તેમાં સામેલ છે. આવી સ્થિતિમાં કેજરીવાલની પૂછપરછ જરૂરી છે.