ધનતેરસના દિવસે સોમનાથ મહાદેવને કરાયો અલૌકિક શ્રૃંગાર

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિગ એવા સોમનાથ મહાદેવ ખાતે ધનતેરસના પાવન પર્વને લઈને નૃત્ય મંડપ ખાતે ભક્તો દ્વારા દીપ પ્રજ્વલીત કરવામાં આવ્યા હતા. ગર્ભગૃહ ખાતે પણ દીપાવલી પર્વે વિશેષ દીપો પ્રજવલીત કરવામાં આવ્યા હતા. ત્યારે ધનતેરસના દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતાની અનુભૂતી કરી હતી.