સંસદના વિશેષ સત્ર માટે સંસદસભ્યોનું આગમન…

559

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 18-22 સપ્ટેમ્બર સુધી, પાંચ દિવસ માટે નવી દિલ્હીમાં સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. 18 સપ્ટેમ્બર, સોમવારે સત્રમાં હાજરી આપવા માટે વિવિધ પક્ષોના સંસદસભ્યો જૂના સંસદભવન ખાતે આવી પહોંચ્યા હતા. ઉપરની તસવીરમાં લોકસભા ગૃહના સ્પીકર ઓમ બિરલા મીડિયાકર્મીઓનું અભિવાદન સ્વીકારે છે.

 

સત્ર શરૂ થયા બાદ વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું અને વિરોધપક્ષોનાં સભ્યોને પણ બોલવાનો મોકો આપવામાં આવ્યો હતો.

રાજ્યસભા ગૃહમાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે (કોંગ્રેસ)

કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરી

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભાજપના સંસદસભ્ય રવિશંકર પ્રસાદ

કોંગ્રેસનાં સંસદસભ્ય સોનિયા ગાંધી

કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી

ભાજપના પ્રમુખ અને રાજ્યસભાના સદસ્ય જે.પી. નડ્ડા

આમ આદમી પાર્ટીના સંસદસભ્ય સંજય સિંહ (જમણે)

19 સપ્ટેમ્બર, મંગળવારથી સંસદની તમામ કાર્યવાહી બાજુમાં જ નવા બાંધવામાં આવેલા સંસદભવનમાં ચલાવવામાં આવશે અને તમામ સભ્યો ત્યાં જ બેસશે.