વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 18-22 સપ્ટેમ્બર સુધી, પાંચ દિવસ માટે નવી દિલ્હીમાં સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. 18 સપ્ટેમ્બર, સોમવારે સત્રમાં હાજરી આપવા માટે વિવિધ પક્ષોના સંસદસભ્યો જૂના સંસદભવન ખાતે આવી પહોંચ્યા હતા. ઉપરની તસવીરમાં લોકસભા ગૃહના સ્પીકર ઓમ બિરલા મીડિયાકર્મીઓનું અભિવાદન સ્વીકારે છે.
સત્ર શરૂ થયા બાદ વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું અને વિરોધપક્ષોનાં સભ્યોને પણ બોલવાનો મોકો આપવામાં આવ્યો હતો.