દુનિયા પ્રેમની વિરુદ્ધ કેમ હોય છે? કારણ કે પ્રેમ એક અસામાજિક તત્વ છે. તે હૃદયમાં ખીલેલું એક જંગલી ફૂલ છે જેને બાંધી શકાતું નથી કે રોકી શકાતું નથી. તે સ્વચ્છંદ છે, સ્વતંત્ર છે અને ગમે ત્યાં અનપેક્ષિત રીતે ખીલે છે. જે વ્યક્તિ પ્રેમમાં ડૂબી જાય છે, તેની પાસે ન જાણે કોઈક પ્રકારની રૂહાની શક્તિ આવી જાય છે. જેના કારણે તે દુનિયાની કોઈપણ શખશીયત સાથે લડવા માટે તૈયાર થઈ જાય છે. કદાચ એટલે જ સમાજ અને નૈતિકતાના જે રક્ષકો છે તે પ્રેમને તરત જ કચડી નાખે છે.
લોકો વર્ષમાં એકવાર પ્રેમનો તહેવાર ઉજવે છે પરંતુ પ્રેમ તો પ્રતિપળની સાધના છે. દુનિયામાં જો સૌથી મોટો કોઈ દુકાળ હોય તો તે છે પ્રેમનો. દરેક વ્યક્તિ પ્રેમનો તરસ્યો છે પણ એ તરસ ક્યારેય છીપાતી નથી. આ બૌદ્ધિક યુગમાં, જ્યાં અહંકાર અકડી ને ઊભો છે, ત્યાં પ્રેમ માટેનું વાતાવરણ ઊભું કરવું પડશે. એવુ વાતાવરણ કે જેમાં પ્રેમીઓને તિરસ્કારની નજરે જોવામાં ન આવે.
જેઓ ખરેખર પ્રેમના સંતોષનો અનુભવ કરવા માગે છે. તેઓ ના માટે ઓશોના આ સૂત્રો મદદ કરી શકે છે. પ્રથમ જાણી લો કે પ્રેમ ક્ષણિક હોય છે, તે પવનના ઝોકા ની જેમ આવે છે અને તરત જ ચાલ્યો જાય છે. જ્યારે તે આવે છે, ત્યારે તમે એટલા પ્રેમથી ભરાઈ જાઓ છો કે તમે કલ્પના પણ કરી શકતા નથી કે આ પ્રેમ ક્યારેય દૂર થઈ શકે છે. આવી ક્ષણોમાં, લોકો રોમેન્ટિક બની જાય છે અને જન્મ જનમાંતર સાથે રહેવાના વચનો આપે છે, જેને તેઓ આગળ હતા નીભાવી શકતા નથી. જો તમારે પ્રેમનો અનુભવ કરવો હોય તો પ્રેમને સંબંધ ન બનાવો. વ્યક્તિ આવે કે જાય, પ્રેમની આભા તમારી અંદર સતત વહેતી રહે.
બીજુ, સ્ત્રી અને પુરુષ એક જ અસ્તિત્વના બે પાસાં છે પરંતુ તેમનો સ્વભાવ સંપૂર્ણપણે અલગ-અલગ છે. તેથી, લડાઈ-ઝઘડા માં સમય બગાડવાને બદલે, એકબીજાને સમજવાનો પ્રયાસ કરો. સ્ત્રી હૃદયમાં જીવે છે, પૂરૂષ મસ્તિષ્કમાં. પ્રેમનું ગણિત ઘણું અલગ છે, અહીં બે વત્તા બે હંમેશા ચાર નથી થતાં, બે અને બે એક બની શકે છે અથવા તેઓ ક્યારેય મળતા જ નથી.
પ્રેમ ઝડપથી નફરતમાં કેમ બદલાઈ જાય છે? કારણ કે નફરત હંમેશા નીચલા સ્તરે હાજર જ હોય છે. તેથી, જો પ્રેમને સફળ બનાવવો હોય, તો તેની નીચે રહેલા દૂરભાવો ની સફાઇ કરવી જરૂરી છે. ઈર્ષ્યા, ક્રોધ, દ્વેષ, માલકીયત નો ભાવ પ્રેમનું ગળું દબાવી દે છે.
માટે પ્રેમની સાથે ધ્યાનની જાગૃતિ પણ જરૂરી હૈં જો ધ્યાન ની જાગૃતિ અને સંતુલન પ્રેમ માં આવે તો પ્રેમનો વિકાસ થઈ શકે છે. આજે વિશ્વને દરેક સ્તરે પ્રેમની ખૂબ જ જરૂર છે. પ્રેમ અને ધ્યાન એ બે પાંખો છે જેની મદદથી વ્યક્તિ આકાશમાં ઉડી શકે છે. ત્યારબાદ તમે જાણી શકશો કે પ્રેમ માટે વેલેન્ટાઈન ડે નું બંધન જરૂરી નથી. પ્રેમનો છોડ દરરોજ વિકસતો રહેશે.
(અમૃત સાધના)
(અમૃત સાધના લાંબા સમયથી ઓશોના શિષ્ય છે અને ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની મેનેજમેન્ટ ટીમના સભ્ય છે. ઓશો પ્રેસ અને મીડિયાનું ધ્યાન રાખે છે. તે ભારતના ઘણા અગ્રણી પ્રકાશનોમાં લખે છે. સમગ્ર વિશ્વમાં ઓશો ધ્યાન અને સ્વ-વિકાસ કાર્યશાળાઓનું સંચાલન કરે છે.)
