સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અને તમિલનાડુના રાજકારણમાં નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલા થલપતિ વિજય હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. છેલ્લા 27 વર્ષથી સંગીતા સોરનલિંગમ સાથેના સુખી લગ્નજીવનનો કરુણ અંત આવી રહ્યો હોવાના અહેવાલોએ ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે.
ફિલ્મી લવ સ્ટોરીનો કડવો વળાંક
વિજય અને સંગીતાની મુલાકાત કોઈ ફિલ્મની પટકથા જેવી હતી. લંડન સ્થિત ઉદ્યોગપતિની પુત્રી સંગીતા, વિજયની એટલી મોટી ફેન હતી કે એ 1996માં એને મળવા લંડનથી ભારત આવી હતી. પ્રથમ મુલાકાત બાદ જ વિજય અને એમના પરિવારને સંગીતા ગમી ગઈ અને ઓગસ્ટ 1999માં બંનેએ સાત ફેરા લીધા. આ દંપતીને બે બાળકો પણ છે. જોકે, હવે અહેવાલો મુજબ સંગીતાએ માનસિક સતામણી અને એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપો સાથે કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.
તૃષા કૃષ્ણન સાથેના સંબંધોની ચર્ચા
આ વિવાદમાં સૌથી વધુ ચર્ચા અભિનેત્રી તૃષા કૃષ્ણનની થઈ રહી છે. વિજય અને તૃષાની જોડીએ ‘ઘિલ્લી’ થી લઈને ‘લિયો’ જેવી અનેક હિટ ફિલ્મો આપી છે. કહેવાય છે કે બંને વચ્ચેની નિકટતા છૂટાછેડાનું મુખ્ય કારણ હોવાનું મનાય છે. એવી પણ અટકળો તેજ બની છે કે આગામી ચૂંટણી પછી વિજય અને તૃષા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. એક તરફ વિજય રાજકીય મેદાનમાં પદાર્પણ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ પારિવારિક વિવાદ એમની છબી પર કેવી અસર પાડશે એ જોવું રહ્યું.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ મતગણતરીને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કાઉન્ટિંગ એજન્ટો અને ઉમેદવારોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું મતગણતરી કેન્દ્ર ન છોડે. તેમણે કહ્યું હતું કે શરૂઆતના રાઉન્ડમાં આંકડાઓ અંગે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ભાજપ પર મમતાના ગંભીર આરોપો
તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ મતગણતરીના પ્રથમ બે-ત્રણ રાઉન્ડના આંકડાઓ આગળ બતાવીને માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે બાદના રાઉન્ડમાં વાસ્તવિક સ્થિતિ સામે આવશે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે અનેક સ્થળોએ બે-ત્રણ રાઉન્ડ પછી મતગણતરી રોકી દેવામાં આવી છે. એ સાથે જ કેટલીક જગ્યાએ મશીનોમાં ગરબડ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કલ્યાણીમાં સાત મશીનો પકડાયાં, જ્યાં કોઈ મેળ ખાતો જોવા મળ્યો નથી.
ચૂંટણી પંચ પર નિષ્પક્ષતા અંગે સવાલ
મુખ્ય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા TMCના કાર્યકરો પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીના કચેરીઓમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને જબરદસ્તી કબજો કરવામાં આવી રહ્યો છે. મમતાએ ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે તે નિષ્પક્ષ રીતે કામ કરી રહ્યું નથી.
કાર્યકરોને સંદેશ – ધીરજ રાખો, આપણે જીતીશું
તેમણે પોતાના કાર્યકરો અને એજન્ટોને શાંત રહેવા અને ધીરજ રાખવાની અપીલ કરી. તેમણે કહ્યું હતું કે મન ખાટું કરવાની જરૂર નથી. મમતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બધા રાઉન્ડની ગણતરી પૂર્ણ થયા પછી તેમની પાર્ટી જીત હાંસલ કરશે. તેમણે કહ્યું હતું કે મેં કહ્યું હતું કે સૂર્યાસ્ત પછી તમે જીતશો. ત્રણ-ચાર રાઉન્ડ ગણતરી થયા પછી કુલ 14થી 18 રાઉન્ડ ગણતરી થાય છે, ત્યાર બાદ તમે જીતશો. તેમણે ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સંપૂર્ણ મતગણતરી પછી તેમની પાર્ટી વધુ સારું પ્રદર્શન કરશે અને જીત મેળવી લેશે.
પશ્ચિમ બંગાળ અને આસામમાં રુઝાનોમાં ભાજપે બહુમતીના આંકડાને પાર કરી દીધો છે. પીએમ મોદી આજે સાંજે 6:30 વાગ્યે દિલ્હીમાં પાર્ટી મુખ્યાલય પહોંચશે અને ચૂંટણી પરિણામો પછી પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે સ્પષ્ટ થશે. વલણો પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ માટે પ્રચંડ વિજય સૂચવે છે. ભાજપના પ્રભાવશાળી પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેના દિલ્હી મુખ્યાલયમાં ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6:30 વાગ્યે ભાજપ મુખ્યાલયની મુલાકાત લેશે. ચૂંટણી પરિણામો પછી પીએમ મોદી માત્ર વિજયની ઉજવણી જ નહીં પરંતુ પક્ષના કાર્યકરોને પણ સંબોધિત કરશે.
બંગાળમાં ભાજપ 169 બેઠકો પર આગળ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલી મત ગણતરી મુજબ, ભાજપ 169 બેઠકો પર આગળ છે, જ્યારે ટીએમસી 91 બેઠકો પર આગળ છે. આ વલણ રાજ્યના રાજકીય પરિદૃશ્યને બદલી શકે તેવા સંભવિત પરિણામ તરફ નિર્દેશ કરે છે. પ્રારંભિક ડેટા ભૌગોલિક રીતે વિભાજિત જનાદેશ દર્શાવે છે. ભાજપ સરહદી, આદિવાસી અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થાન મેળવી રહ્યું હોય તેવું લાગે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ કોલકાતાના કેટલાક ભાગો અને કેટલાક ગ્રામીણ ગઢમાં પોતાનો દબદબો જાળવી રાખે છે.
આ ચૂંટણીને મમતા બેનર્જીના સતત ચોથા કાર્યકાળ માટે સત્તામાં પાછા ફરવાના પ્રયાસ માટે એક મોટી કસોટી તરીકે જોવામાં આવી રહી છે. આક્રમક ઝુંબેશ શરૂ કરનાર ભાજપ 2021 ની તેની લીડને નિર્ણાયક જીતમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ભવાનીપુર બેઠક પર નજીકની સ્પર્ધા જોવા મળી રહી છે. મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી બીજા રાઉન્ડની મતગણતરી પછી દક્ષિણ કોલકાતાની આ ગરમાગરમ બેઠક પર ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીથી પાછળ હતા, પરંતુ ત્રીજા રાઉન્ડમાં 8482 મતોથી આગળ છે. ભવાનીપુરની ચૂંટણીને પ્રતિષ્ઠાની લડાઈ તરીકે જોવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સામે આવી રહ્યા છે અને તે મોટા રાજકીય ફેરફારોના સંકેત આપી રહ્યા છે. આ પરિણામો દેશના વિરોધ પક્ષના ચહેરામાં નોંધપાત્ર બદલાવ લાવી શકે છે. ચૂંટણી પરિણામો વિપક્ષના મુખ્ય ચહેરાઓ નેપથ્યમાં ચાલ્યા જશે. જેમ કેજરીવાલ જેવા વિપક્ષના નેતા પહેલાં જ CMની ખુરશી ગુમાવી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં પહેલી વખત ભાજપ સરકાર બનાવતી દેખાઈ રહી છે. જ્યારે તામિલનાડુમાં એમ.કે. સ્ટાલિન અને કેરળમાં પિનરાઈ વિજયનની સત્તા ખસી રહી છે. હાલના ટ્રેન્ડ્સ જો અંતિમ પરિણામોમાં બદલાય છે, તો તે વિરોધ પક્ષ માટે મોટી હાર સાબિત થશે અને દેશના વિરોધ પક્ષનું નેતૃત્વ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. અત્યાર સુધી જે નેતાઓ વિરોધના મુખ્ય ચહેરા તરીકે ઊભા રહ્યા હતા, તેમની પોઝિશન નબળી પડી શકે છે.
ભાજપની જીતનો વધતો સફર
2014ના લોકસભા ચૂંટણી બાદથી ભાજપે જીતનો જે સિલસિલો શરૂ કર્યો હતો, તે હજુ સુધી ચાલુ છે. થોડા રાજ્યોમાં થયેલા ઝટકાઓને છોડીને ભાજપનો પ્રભાવ સતત વધી રહ્યો છે. વિરોધ પક્ષના વિખરાવની શરૂઆત ફેબ્રુઆરી, 2025માં થઈ, જ્યારે દિલ્હીમાં ભાજપે આમ આદમી પાર્ટીને પરાજય આપ્યો અને અરવિંદ કેજરીવાલ સત્તાથી બહાર થઈ ગયા. ત્યાર બાદ નવેમ્બર 2025માં બિહાર ચૂંટણીમાં જેડીયુના નેતૃત્વવાળા એનડીએએ મોટી જીત મેળવી અને નીતીશકુમાર મુખ્ય મંત્રી બન્યા. જોકે એપ્રિલમાં નીતીશકુમારે રાજીનામું આપ્યું, જેને કારણે બિન-ભાજપ મુખ્ય મંત્રીઓની યાદીમાંથી એક મોટું નામ ઓછું થઈ ગયું.
એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં ત્રણ મોટા વિરોધી નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર હતી. તેમાં પશ્ચિમ બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનર્જી, તામિલનાડુના એમ.કે. સ્ટાલિન અને કેરળના પિનરાઈ વિજયનનો સમાવેશ થાય છે. હાલના ટ્રેન્ડ્સ મુજબ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ ભાજપથી પાછળ ચાલી રહી છે. તામિલનાડુમાં નવી પાર્ટી TVK સ્ટાલિનની સત્તાને પડકારતી દેખાઈ રહી છે, જ્યારે કેરળમાં એલડીએફ સરકાર પણ સત્તા ગુમાવતી દેખાઈ રહી છે.
શું કોંગ્રેસ મજબૂત બનશે?
આ પાંચ રાજ્યોના પરિણામો કોંગ્રેસ માટે રાહતરૂપ બની શકે છે. કેરળમાં કોંગ્રેસ સરકાર બનાવી શકે છે, જે તેની માટે ઉત્સાહજનક રહેશે. આથી બે ફાયદા થશે—એક તો કોંગ્રેસ એક રાજ્યમાં સત્તા મેળવી શકશે અને બીજું, વિરોધના અન્ય મોટા નેતાઓના પરાજય પછી રાહુલ ગાંધીની સ્વીકાર્યતા વિરોધના મુખ્ય નેતા તરીકે વધશે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ડીએમકે ત્રીજા સ્થાને સરકી ગયા પછી, પાર્ટીના એક કાર્યકર ભાવનાત્મક રીતે ભાંગી પડતા કેમેરામાં કેદ થયા. આ વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે.
2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના શરૂઆતના રુઝાનો વચ્ચે તમિલનાડુમાંથી એક ભાવનાત્મક વીડિયો સામે આવ્યો છે.ટ્રેન્ડ્સમાં ડીએમકેની ભારે હાર બાદ ડીએમકે પાર્ટીના એક કાર્યકર કેમેરા સામે રડી પડ્યા હતા. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
TVK ને ટ્રેન્ડ્સમાં બહુમતી મળી
ટ્રેન્ડ્સમાં DMK ને મોટો ઝટકો લાગ્યો હોય તેવું લાગે છે. માહિતી અનુસાર અભિનેતા વિજયની પાર્ટી, TVK 124 બેઠકો પર આગળ છે. ટ્રેન્ડ્સ દર્શાવે છે કે TVK એ બહુમતી મેળવી છે, જ્યારે બીજા ક્રમે રહેલી AIADMK 72 બેઠકો પર આગળ છે. દરમિયાન, ટ્રેન્ડ્સમાં શાસક DMK માત્ર 38 બેઠકો સુધી સીમિત દેખાય છે, જેના કારણે પાર્ટીના કાર્યકરોમાં નિરાશાનું વાતાવરણ છે.
DMK કાર્યકર કેમેરા પર આંસુ રોકી શક્યો નહીં
આ દરમિયાન, DMK કાર્યકરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ચૂંટણીના ટ્રેન્ડ્સ જોઈને ભાવુક થઈ ગયો હતો. કેમેરા પર બોલતી વખતે તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેણે પોતાની પાસે રહેલા કપડાથી આંસુ લૂછ્યા અને પાર્ટીની હાર પર નિરાશા વ્યક્ત કરી.
ત્રણ પક્ષોની સ્પર્ધામાં ટીવીકેનો જોરદાર દેખાવ
આ વખતે તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી ત્રિ-માર્ગી સ્પર્ધા હોવાનું માનવામાં આવે છે, જેમાં અભિનેતા વિજયની પાર્ટી, ટીવીકે, તેના મજબૂત પદાર્પણથી બધાને આશ્ચર્યચકિત કરી રહી છે. વધુમાં, એઆઈએડીએમકે પણ મજબૂત બની રહી હોય તેવું લાગે છે.
ડીએમકે કાર્યકરના વાયરલ વીડિયો પર નેટીઝન્સ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક કાર્યકરની લાગણીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ચૂંટણીના ઉતાર-ચઢાવનો ભાગ ગણાવી રહ્યા છે.
આ ફક્ત વલણો છે, અને અંતિમ પરિણામોની હજુ રાહ જોવાઈ રહી છે. જો કે, તે સ્પષ્ટ છે કે આ વખતે, તમિલનાડુના રાજકારણમાં મોટો ઉલટો જોવા મળ્યો છે, જેનાથી કાર્યકરોની લાગણીઓ આગળ આવી છે.
તમિલનાડુના રાજકારણમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે.ફિલ્મમાંથી રાજકારણી બનેલા વિજય થલાપતિએ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આગળ છે. તેમની પાર્ટી ટીવીકે (Tamilaga Vettri Kazhagam)નો પરચમ જોવા મળી રહ્યો છે.
અભિનેતા વિજય થલાપતિએ પણ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પ્રવેશ કર્યો. તમિલનાડુમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. વિજયની પાર્ટી અત્યાર સુધીમાં 109 બેઠકો પર આગળ છે. આ સમાચાર વચ્ચે વિજય થલાપતિના ઘરની બહાર ગતિવિધિઓ ચાલી રહી છે.
વિજયના ઘરે ફૂલોના ગુલદસ્તા આવવા લાગ્યા છે. વિજય થલાપતિના ઘરની બહારથી કેટલાક વીડિયો સામે આવ્યા છે. તેમાં અભિનેતાના ઘરની બહાર કાર પાર્ક કરેલી જોવા મળે છે, અને કેટલાક લોકો ફૂલોના ગુલદસ્તા લઈને ઘરમાં પ્રવેશતા જોવા મળે છે. વિજય થલાપતિએ હજુ સુધી મત ગણતરી અંગે કોઈ નિવેદન કે પ્રતિક્રિયા આપી નથી.
વિજયના પિતાએ પણ મુરુગન મંદિરની મુલાકાત લીધી હતી
વિજયના પિતા, એસ.એ. ચંદ્રશેખર, પણ વહેલી સવારે મુરુગન મંદિરમાં તેમના પુત્રની જીત માટે પ્રાર્થના કરવા ગયા હતા. વિજયના પિતા એક જાણીતા દિગ્દર્શક છે. તેમણે દરેક પગલે વિજયને ટેકો આપ્યો છે અને અભિનેતાની રાજકીય સફરના ખુલ્લા સમર્થક રહ્યા છે.
— KERALA VIJAY FANS CLUB (@KVFC_Official) May 4, 2026
વિજયના ઘરેથી કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે, જેમાં વિજયની ઉજવણી પહેલાથી જ ચાલી રહી છે.
વિજયની પાર્ટી DMK થી આગળ નીકળી ગઈ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી હજુ પણ ચાલુ છે. વિજય થલાપતિની પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ (TVK), 104 બેઠકો પર આગળ છે, જ્યારે DMK હજુ પણ 55 બેઠકો પર આગળ છે. શરૂઆતના મતગણતરી વલણો દર્શાવે છે કે વિજય થલાપતિએ DMK ની રમત બગાડી નાખી છે.
વિજય થલાપતિની છેલ્લી ફિલ્મ પણ સમાચારમાં છે. વિજય થલાપતિની ફિલ્મ “જન નાયકન” જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી પરંતુ સેન્સર બોર્ડ સાથેના વિવાદને કારણે હજુ પણ અટકી પડી છે. તાજેતરમાં, અહેવાલો સામે આવ્યા હતા કે ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર જન નાયકનના નિર્માતાઓ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા પછી 8 મેના રોજ ફિલ્મ રિલીઝ કરી શકે છે.
આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી 15મો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. જેમાં આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે 30,500 મતોની જંગી સરસાઈ સાથે શાનદાર જીત નોંધાવી છે, જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની કારમી હાર થઈ છે.
છ ઉમેદવારો મેદાનમાં હતા
વિધાનસભાની પેટા ચૂંટણી માટે 23મી એપ્રિલ માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન 59.04 ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ છ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક BNJD પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેને કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો.
આ બેઠકના કુલ મતદારોના 54 ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત 15 વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી.
ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (23મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત 59.04 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ 2.45 લાખ જેટલા મતદારો નોંધાયા હતા.
ઉમરેઠ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓનાં પરિણામો
ઉમરેઠ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2022માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસ-NCP ગઠબંધનના ઉમેદવાર જયંત પટેલ (બોસ્કી)ને 26,717 મતોથી હાર આપી હતી. વર્ષ 2017માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસના કપિલા ચાવડાને 1883 મતથી પરાજય આપ્યો હતો. જ્યારે NCP તરફથી લડેલા જયંત પટેલ (બોસ્કી)ને 35,501 મત મળ્યા હતા. વર્ષ 2012માં કોંગ્રેસ સાથેના ગઠબંધનથી NCPના જયંત પટેલ (બોસ્કી)એ ભાજપના ગોવિંદ પરમારને 1394 મતોથી હરાવ્યા હતા.
નવી દિલ્હીઃ કેરલમ્ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) બહુમતીના આંકને પાર પહોંચી ગયું છે. છેલ્લાં 10 વર્ષથી સત્તામાં રહેલા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) માટે પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે. બીજી તરફ ભાજપ પણ રાજ્યમાં પોતાની હાજરી વધારતો નજરે પડે છે. કેરલમમાં 140 સીટોમાંથી ચૂંટણી પરિણામાંમાં LDG 39, UDF 98, NDA 2 અને અન્ય એક પર આગળ છે.
રાજ્યમાં કુલ 140 બેઠકો માટે 883 ઉમેદવારો મેદાનમાં હતા, જ્યારે બહુમતી માટે 71 બેઠકો જરૂરી છે. હાલમાં 43 સ્થળોએ આવેલા 140 મતગણતરી કેન્દ્રોમાં મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDF અને બે કાર્યકાળથી સત્તામાં રહેલા LDF વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી અને તાજેતરના સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. ભાજપના નેતૃત્વ હેઠળનું NDA દ્વિધ્રુવીય રાજકારણ ધરાવતા કેરળમાં પોતાનું પ્રભુત્વ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
લેફ્ટની હારથી વામપંથનો છેલ્લો ગઢ ખતમ થવાની શક્યતા
જો LDF પરાજિત થાય છે તો 1960ના દાયકાથી પહેલી વાર એવું બનશે કે ભારતમાં કોઈ પણ રાજ્યમાં વામપંથી પક્ષ સત્તામાં નહીં રહે. મતગણતરી માટે કુલ 15,464 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 140 રિટર્નિંગ ઓફિસર, 1340 વધારાના રિટર્નિંગ ઓફિસર, 4208 માઇક્રો ઓબ્ઝર્વર, 4208 ગણતરી નિરીક્ષક અને 5563 ગણતરી સહાયકનો સમાવેશ થાય છે.
ભાજપ પોતાનો પ્રભાવ વધારવા પ્રયત્નશીલ
મતગણતરી કેન્દ્રોની સુરક્ષા માટે રાજ્ય પોલીસ સાથે કેન્દ્રીય દળોની 25 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ભાજપના નેતૃત્વવાળું NDA ભલે સરકાર બનાવવાની દોડમાં ન હોય, પરંતુ 2021માં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહેલી ભાજપ માટે કેરળમાં પોતાનો આધાર મજબૂત બનાવવામાં આ ચૂંટણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચેન્નઈઃ તામિલનાડુમાં મતગણતરના પ્રારંભિક ટ્રેન્ડ્સમાં રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાતી દેખાઈ રહી છે. આ વખતે સૌની નજર થલપતિ વિજયની પાર્ટી TVK પર છે, જે અનેક બેઠકો પર ચોંકાવનારી લીડ લેતી દેખાઈ રહી છે. પહેલી વાર ચૂંટણી મેદાનમાં ઊતરેલી TVKએ શરૂઆતથી જ જોરદાર પ્રદર્શન કરીને રાજકીય ગણિતને હચમચાવી દીધું છે.
પોસ્ટલ બેલેટની ગણતરીમાં હાલની DMK સરકાર આગળ હતી અને મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિનના નેતૃત્વમાં ફરી સત્તામાં આવવાના સંકેતો મળી રહ્યા હતા, પરંતુ TVKની એન્ટ્રીએ મુકાબલાને વધુ રસપ્રદ બનાવી દીધો છે. પ્રારંભિક આંકડાઓ દર્શાવે છે કે આ ચૂંટણી હવે પરંપરાગત પક્ષો સુધી મર્યાદિત રહી નથી.
અહેવાલો મુજબ વિધાનસભા ચૂંટણીમાં DMK અનેક બેઠકો પર આગળ છે અને AIADMK તેની પાછળ છે, પરંતુ ખરેખર ચર્ચા હવે TVKને લઈને જ ચાલી રહી છે. ચાની દુકાનોથી લઈને સોશિયલ મિડિયા સુધી, દરેક જગ્યાએ એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે—શું વિજય ખરેખર ગેમ-ચેન્જર સાબિત થઈ શકે?
બીજી તરફ, સીમાનની પાર્ટી NTK આ વખતે અત્યાર સુધી ખાસ અસર બતાવી શકી નથી. કુલ મળીને આ ચૂંટણીએ એક વાત સ્પષ્ટ કરી છે કે તામિલનાડુના રાજકારણમાં હવે પહેલાના જેવું રહ્યું નથી અને વિજય ફેક્ટરે તેમાં નવી ઊર્જા ભરી દીધી છે.
સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.
ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિક વૃત્તિ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
લાભ થાય તેવી વાત બને, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.