Home Blog Page 5638

પંજાબ પોલીસે બબ્બર ખાલસાના 7 આતંકવાદીઓને ઝડપ્યા

લુધિયાણા– પંજાબ પોલીસે આજે લુધિયાણામાં પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસાના 7 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ દરરોજ તપાસ કરતી હતી, તેમ આજે પણ તપાસ ઝુંબેશ ચાલુ રાખ હતી, જે દરમિયાન આ 7 આતંકવાદીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ અને 33 કારતૂસ સહિત વિપુલ માત્રામાં વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો છે. અત્રે નોંધનીય છે કે બબ્બર ખાલસા એક પ્રતિબંધિત ખાલિસ્તાન સમર્થક આતંકી સંગઠન છે.

લુધિયાણા પોલીસ કમિશ્નરે મિડિયાને જાણકારી આપી હતી કે આ લોકો સોશિયલ મિડિયા દ્વારા ઈંગ્લેન્ડમાં રહેતા આતંકી સુરિન્દર સિંહ બબ્બરના સંપર્કમા હતા. અને અહિયા તેઓ એવા લોકોને નિશાન બનાવવા માંગતા હતા કે જે લોકો ખાલિસ્તાન વિરુધ્ધ લખતા હોય. એટલે કે તેમના નિશાના પર પત્રકારો હતો. પરંતુ અમારી ટીમે તેમને ઝડપી લીધા છે. તેમની આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા દબોચી લીધા છે. પોલીસે જણાવ્યું હતું કે આ આતંકવાદીઓને બ્રિટનથી આર્થિક મદદ મળતી હતી. તેમને પંજાબમાં કાયદો વ્યવસ્થા તોડવા માટે વિદેશથી ફંડિગ મળતું હતું.

 

કલોલ-મહેસાણા હાઇવે પર કલોલ અને નંદાસણ નજીક ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત થયું

ગાંધીનગર– કલોલ-મહેસાણા હાઇવે પરની ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને હલ કરવાના ઉમદા આશયથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કલોલ અને નંદાસણ નજીક રૂપિયા ૯૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. દશેરાના પાવન પર્વે રાજયના ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલના હસ્તે બન્ને ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં કલોલની સિંધબાજ હોટલ નજીકનો ઓવરબ્રિજ રૂ.૫૦ કરોડના ખર્ચે અને નંદાસણ ચોકડી પાસેનો ઓવરબ્રિજ રૂ.૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે.

કલોલ ખાતે યોજાયેલ ખાતમુર્હત સમારંભમાં રાજયના ડેપ્યુટી સીએમ નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારે હમેંશા જનસુખાકારીના કામોને પ્રાધાન્ય આપ્યું છે. કલોલ–મહેસાણા હાઇવે આજે વાહનોથી ધમધમતો માર્ગ છે. આ માર્ગ પર ભવિષ્યમાં ટ્રાફિકની જટિલ સમસ્યા ઉભી ન થાય અને માર્ગથી નજીકમાં રહેણાંક, સ્કુલ-કોલેજ તથા ધંધા-રોજગારનો વિકાસ થવાથી નાના મોટા અકસ્માતની દુર્ધટના ન બને તેવા શુભ આશયથી કલોલ અને નંદાસણ નજીક ટૂંક સમયમાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ ઓવરબ્રિજનું નિર્માણ થયા બાદ કલોલવાસીઓને હાઇવેને ક્રોસ કરવાની જરૂર નહિ રહે. થોડાક સમય અગાઉ હાઇવેથી કલોલ નગરના પ્રવેશ દ્રાર પાસે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

શરૂના પાંચ મહિનામાં લક્ષ્યાંકના 96 ટકા સુધી પહોંચી નાણાકીય ખાદ્ય

નવી દિલ્હી– ખર્ચમાં વધારાને કારણે કેન્દ્ર સરકારના નાણાકીય ખાદ્ય ચાલુ નાણાકીય વર્ષના બજેટના અનુમાનના 96.1 ટકા સુધી પહોંચી ગઈ છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં મૂડીગત ખર્ચમાં ખુબ જ મોટો ઘટાડો નોંધાયો છે. કેગ દ્વારા જાહેર કરાયેલ આંકડા અનુસાર એપ્રિલ-ઓગસ્ટમાં અનુમાનીત નાણાકીય ખાદ્ય 5.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ચુકી છે. જ્યારે નાણાકીય વર્ષ 2017-18માં 5.46 લાખ કરોડનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. 2016-17ના પાંચમા મહિનામાં નાણાકીય ખાદ્યના વાર્ષિક લક્ષ્યના 76.4 ટતા હતા.

સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે બજેટમાં નાણાકીય ખાદ્યને જીડીપીના 3.2 ટકા સુધી સીમિત રાખવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. જે વીતેલા વર્ષમાં 3.5 ટકા હતું. સરકારે કહ્યું છે કે લક્ષ્યને પુરો કરાશે. ઉચ્ચસ્તરીય અધિકારીઓના કહેવા પ્રમાણે આ વર્ષે બજેટ થોડુ વહેલું રજૂ થવાને કારણે ખર્ચમાં વધારાને કારણે ઓગસ્ટ સુધી નાણાકીય ખાદ્ય ઊંચા લેવલ પર પહોંચી ગઈ હતી. જ્યારે આવક વર્ષના પાછળના ભાગમાં થશે. એક અધિકારીએ કહ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં 1.48 લાખ કરોડ રૂપિયાનો વધારોનો ખર્ચ થઈ ચુક્યો છે. ઓગસ્ટ સુધીમાં કુલ 9.5 લાખ કરોડના ખર્ચનું અનુમાન હતું. જે વીતેલા વર્ષે આ જ સમયગાળામાં 8 લાખ કરોડ રૂપિયા હતો.

 

CM વિજય રૂપાણીએ શસ્ત્ર પૂજા કરી

ગાંધીનગર- આજે દશેરાના શુભ દિવસે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શસ્ત્ર પૂજા કરી હતી.

ફાફડા-જલેબીની લહેજત

દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ થઈ ગયો છે. ગુજરાતમાં આજે ફાફડા જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનોએ આજે વહેલી સવારથી લાઈનો લાગી ગઈ હતી. અને આજે ગુજરાતીઓ લાખો કિલો ફાફડા જલેબી આરોગી જશે. (તસ્વીર-પ્રજ્ઞેશ વ્યાસ)

SGVPમાં અશ્વ પૂજા

અમદાવાદના એસજીવીપીમાં આજે શનિવારે વિજયાદશમીના શુભ દિવસે સ્વામીનારાયણના સંતોએ અશ્વ પૂજા કરી હતી. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)

અમદાવાદઃ હોમગાર્ડ ભવનમાં શસ્ત્ર પૂજા

અમદાવાદના હોમગાર્ડ ભવનમાં આજે વિજયાદશમી નિમિત્તે હોમગાર્ડના જવાનોએ શસ્ત્ર પૂજા કરી હતી. આ પ્રંસગે ખુબ મોટી સંખ્યામાં હોમગાર્ડના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)

રોહિંગ્યા દેશની સુરક્ષા માટે ખતરારૂપ છેઃ મોહન ભાગવત

નાગપુર– વિજયા દશમીના અવસર પર આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે આરએસએસના કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે રોહિંગ્યા આપણા દેશ માટે ખતરારૂપ છે. તો આપણા દેશમાં ખતરાની ચિંતા કેમ થતી નથી. સંઘ પ્રમુખે સવાલ કર્યો હતો કે રોહિંગ્યા અહીંયા કેમ છે? તેમને તેમનો દેશ કેમ છોડવો પડ્યો. મ્યાનમારે રોહિંગ્યા પર સૌથી મોટું પગલું ભર્યું છે, જો તેમને કયાંય પણ શરણું આપવામાં આવશે તો તે માનવતાના આધાર પર હોય કે પછી સુરક્ષાના આધાર પર તે સારુ નહી હોય. તેમણે એમ પણ કહ્યું કે જો રોહિંગ્યાને આપણા દેશમાં રહેવાની મંજૂરી અપાશે તો તે આપણા દેશ માટે ખતરો બની જશે.

નાગપુરના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજન પછી ઉપસ્થિત લોકોને સંબોઝન કરતાં ભાગવતે કહ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકાર સારુ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આતંકીઓને ખતમ કરવાની રણનીતિકની પોઝિટિવ અસર જમીન પર જોવા મળી રહી છે. જે દ્રઢતાથી આતંકીઓની સામે અને સરહદ પર ફાયરિંગથી સરકાર લડી રહી છે, તે કાબિલેતારીફ છે.

મોહન ભાગવતે કહ્યું હતું કે તાજેતરમાં મહિનામાં જે રીતે કશ્મીરમાં આતંકવાદીઓને હેન્ડલ કરાયા છે, તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે. સરકારે આતંકવાદીઓના ગેરકાયદે આર્થિક સ્ત્રોતોને ખતમ કરીને સરકારે તેમના ખોટા પ્રોપગેંડા અને ભડકાઉ કાર્યવાહીને નિયંત્રિત કરી છે. મોહન ભાગવતે મુંબઈ રેલવે સ્ટેશન પર નાશભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે શુક્રવારે જે ઘટના બની તેના ખુબ જ દુઃખદ છે.

મોહન ભાગવતે કહ્યું હતું કે કશ્મીરિયોને ભારતની સાથે જોડવા માટે સરકારે વધુ પ્રયાસ કરવા જોઈએ. કશ્મીરિયોને માનવીયતા મહસૂસ થવી જોઈએય. સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ કશ્મીર સુધી પહોંચી નથી, જે પહોંચવી જોઈએ.

 

1 ઓક્ટોબરથી અમલમાં આ નિયમ, જાણવા જરુરી છે

ક્ટોબર મહિનો દેશભરમાં કેટલાક મહત્ત્વના નવા નિયમોનો અમલ લઇને આવ્યો છે. આમ તો આપણા દેશમાં નિયમોની કંઇ કમી છે એવું નથી પણ નિયમ છે એટલે પ્રભાવ પાડનાર હોય એટલે તેનું અજ્ઞાન ક્યાંક મોટી ઉપાધિમાં ન મૂકે તે માટે સાવચેત તો રહેવું જ પડે, આફ્ટરઓલ માહિતીના આ યુગમાં ધ્યાન રાખવું પડે. એની વે તો જાણો આ નિયમો, જે તમારી રુટિન લાઇફને અસર કરશે…

બેન્કઃ

સ્ટેટ બેંક સાથેના આર્થિક વ્યવહારનો કપાતો ચાર્જ સરકાર માટે મોટી કમાણીનું સાધન છે. એસબીઆઈનું મિનિમમ બેલેન્સ પાંચ હજાર રુપિયા કરાયું હતું તેનો ખૂબ વિરોધ થયાં પછી પહેલી ઓક્ટોબરથી તેનો નવો નિયમ અમલમાં આવે છે. રાહતરુપ આ ફેરફારમાં હવે એસબીઆઈ ખાતાંમાં પાંચ હજારને બદલે ત્રણ હજાર રુપિયાનું બેલેન્સ રાખી શકાશે. એસબીઆઈ મેટ્રો સેન્ટર્સમાં આ નિયમ અમલમાં આશે. સાથે જ મિનિમમ બેલેન્સ ચાર્જમાં પણ 20થી 50 ટકાનો ઘટાડો થયો છે. બેન્ક સગીર, પેન્શનર,સબસિડી માટેના ખાતાંઓ પર મિનિમમ બેલેન્સનો ચાર્જ પણ વસૂલ નહીં કરે તે નિયમ પણ અમલમાં આવ્યો છે.

એમઆરપી

ચીજવસ્તુ પર લખાતી મહત્ત્મ કીમતને લઇને નવો નિયમ આવ્યો છે. પહેલી ઓક્ટોબરથી નવી એમઆરપી સાથેનો માલસામાન વેચાશે.. સરકારે જુલાઇ મહિનામાં જીએસટી લાગુ પાડ્યો ત્યારે છૂટ આપી હતી કે જૂના માલસામાન પર નવી એમઆરપીના સ્ટીકર લગાવી 30 સપ્ટેમ્બર સુધી માલસામાન વેચી શકાશે. પણ હવે જો વેપારીઓ આમ કરશે તો નિયમભંગનો સામનો કરવો પડશે. 30 સપ્ટેમ્બરે મુદત પૂરી થઇ ગઇ છે તે યાદ રાખજો અને માલસામાન પર નવી એમઆરપી સ્ટિકર હોય તે જોજો.

આ બેન્કનો ચેક સ્વીકારાશે નહીં

પહેલી ઓક્ટોબરથી એસબીઆઈ અને તેની પૂર્વ સહયોગી બેન્કો અને ભારતીય મહિલા બેન્કના તમામ ગ્રાહકો માટે નવો નિયમ આવ્યો છે. જેમાં તેઓ નવા ચેક માટે અરજી કરી દે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.એસબીઆઈમાં સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્કનો વિલય થઇ ગયો છે તેથી આ બેન્કોના ચેક હવે સ્વીકારાશે નહીં.

ખાતું બંધ કરાવવું થોડું સરળ

એકાઉન્ટ બંધ કરાવવા માટે પહેલી ઓક્ટોબરથી એસબીઆઈ કોઇ ચાર્જ લેશે નહીં. એસબીઆઇ ખાતાંધારક પોતાના ખાતાં બંધ કરવા કે સેટલ કરવા ઇચ્છે તો બેંક રકમ નહીં વસૂલે. જોકે તેના જો-ને-તો પણ જાણી લો. ખાતાધારક એકાઉન્ટ ખોલ્યાંના એક વર્ષ બાદ ખાતું બંધ કરશે તો ચાર્જ નહીં લાગે. ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં પણ ખાતું બંધ કરાવવા ચાર્જવસૂલી નહીં થાય. પરંતુ ખાતું ખોલાવ્યાંના 14 દિવસ પછી કે એક વર્ષ પહેલાં ખાતું બંધ કરાવે તો 500 રુપિયા ઉપરાંત જીએસટી પણ ચૂકવવો પડશે.

ટોલ ટેક્સની લાઇનથી બચશો…

ટોલ ટેક્સની લાંબી લાઇનમાં રહેવાનો કંટાળો હવે દૂર થઇ શકશે. પહેલી ઓક્ટોબરથી અમલમાં આવી રહેલા નિયમ પ્રમાણે નેશનલ હાઇવેના ટોલ ટેક્સ પ્લાઝા પર ફાસ્ટ ટેગ લાગેલાં વાહન રોકાયાં વિના પસાર થઇ શકશે. હાઇવે ઓથોરિટીએ જણાવ્યું છે કે તમામ ટોલ પ્લાઝા પર ડેડિકેટેડ ફાસ્ટ ટેગ લાઇન તૈયાર થઇ ગઇ છે અને તેના પર ઓપરેટ પણ થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે ગઇ સાલ ફાસ્ટ ટેગ લોન્ચિંગ કર્યું હતું. આ ટેગ વાહનના કાચ પર લગાવાશે અને ટોલ પ્લાઝા પરની ડિવાઇસ તે વાંચી લેશે અને ગાડી જઇ શકશે. ફાસ્ટ ટેગને સરળતાથી રીચાર્જ કરાવી શકાશે અને ઓનલાઇન રીચાર્જ પણ થઇ શકશે.

તો, આ રીતે નવા નિયમ અમલમાં આવ્યાં છે તે સાથે જ કરોડો નાગરિકો બેન્કિંગ, જીએસટી અને ટોલ ટેક્સની નવી પદ્ધતિમાં પહેલી તારીખથી જોડાઇ જશે.