Home Blog Page 4926

નાની નાની વાતો યાદ નથી રહેતી? અજમાવી જૂઓ આ ઉપાય 

શું તમે ચાવીઓ રાખીને પછી તને શોધતા ફરો છો? શું તમે એવા લોકોમાં છો કે જેઓ બેંકમાંથી પૈસા ઉપાડવા, વીજળી-પાણી બીલ, ફી અને ફોન બીલ ભરવાની તારીખ ભૂલી જાય છે? શું તમારે જન્મદિવસની શુભેચ્છા કે લગ્ન વર્ષગાંઠની શુભેચ્છા આપતા ભૂલી ગયા હોવ અને તમારા જીવનસાથીની નારાજગી સહન કરવી પડી છે? જો આ સ્થિતિ છે, તો ચિંતા કરશો નહીં, યાદ શક્તિ ગુમાવવી અથવા યાદશક્તિ ઓછી થવી એ એક સામાન્ય માનસિક સમસ્યા છે જેનો મોટાભાગના લોકોને સામનો કરવો પડે છે. સારી બાબત એ છે કે આ સમસ્યાને કેટલાક સરળ માનસિક ઉપાયો અને આહારમાં પરિવર્તનથી નિયંત્રિત કરી શકાય છે.

મનોવૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે, “જો મગજ યાદ રાખી શકે છે, તો તે ભૂલી પણ શકે છે.” વાસ્તવમાં તમે કોઈ વસ્તુ પર તમારું મગજ કેવી રીતે કેન્દ્રિત કરો છો તેના પર મેમરી ખૂબ નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ નવા સ્થળે જાઓ છો, તો રસ્તો શોધવો મુશ્કેલ છે, પરંતુ જો આ પેટર્ન ફરીથી અને ફરીથી પુનરાવર્તન કરવામાં આવે, તો મગજ સરળતાથી માર્ગો પર નેવિગેશન કરે છે. આનો અર્થ એ છે કે આપણે આપણા મગજમાં અનેક વખત જરૂરી માહિતી ભરવાની જરૂર હોય છે. જો ક્યારેય તમારી યાદશક્તિ તમારી સાથે દગો કરે તો હિંમત હારવાની જરૂર નથી, પરંતુ જ્યારે આ સમસ્યા વારંવાર થવા લાગે તો કેટલાક સરળ અભ્યાસો અને જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે.

સૂવાનો સમય પહેલાં પુનરાવર્તન કરો:

મનોવૈજ્ઞાનિકોએ મેમરી લોસ (સ્મૃતિ લોપ)ને ખૂબ જ સામાન્ય માનસિક સમસ્યા ગણાવી છે, જેનું સમાધાન પણ એટલું જ સરળ છે. તેમના મતે, કંઇક યાદ કરવાનો શ્રેષ્ઠ સમય રાત્રે સૂતા પહેલાનો છે. રાત્રે સૂતા પહેલા મગજ જે કંઈ વાંચે છે અથવા યાદ કરે છે તે ખૂબજ ઝડપથી ગ્રહણ કરે છે. આ સમયે વાંચેલી કે યાદ કરેલી વાત મગજ દિવસના અન્ય સમયની સરખામણીએ મગજમાં વધુ પ્રમાણમાં સ્થિર રહે છે.

યોગ્ય સમયે સૂઈ જાઓ:

રાત્રે મોડા સૂવું અને મોબાઇલ ફોનમાં મગજ વ્યસ્ત રહેવાથી આંખો અને શારીરિક સ્વાસ્થ્ય તો નબડું પડે જ છે પણ સાથે મગજની ક્ષમતામાં પણ ઘટાડો કરે છે. વહેલું સૂવું અને વહેલું ઉઠાવું’ ની આદત માણસને સંપૂર્ણ રીતે ફિટ રાખે છે.

એક વૈજ્ઞાનિક સર્વે અનુસાર, જે લોકોને રાતે મોડા સૂવાની આદત હોય છે તેમની યાદશક્તિ સામાન્ય લોકો કરતા 28 ટકા ઘટી જાય છે.  હવે તમારા પર નિર્ભર છે કે, મોડી રાત સુધી ચાલતી પાર્ટીઓ, સ્માર્ટફોનમાં ચેટિંગ કરવાને પ્રાથમિકતા આપવી કે પછી તમારા માનસિક સ્વાસ્થ્યને! આ ઉપરાંત તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ પણ યાદશક્તિ મજબૂત કરવા ઘણું જરૂરી છે.

મગજને પણ વ્યાયામની જરૂર હોય છે:

શરીરના અન્ય ભાગોની જેમ મગજને પણ સતત વ્યાયામની જરૂર હોય છે અને જો આ વ્યાયામ યોગ્ય રીતે કરવામાં આવે તો યાદશક્તિને નબળી પાડતી અટકાવી શકાય છે. મગજની ક્ષમતાને પુન: જાગૃત કરવી મુશ્કેલ નથી. ઉપર જણાવેલા અભ્યાસની મદદથી તમે ધીમે ધીમે તમારી યાદશક્તિને મજબૂત બનાવી શકો છો.

રાશિ ભવિષ્ય 17/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે,


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે,

પંચાંગ તા. 17/03/2020

કોરોના: બંગાળમાં નગર નિગમની ચૂંટણી ટાળી દેવાઈ

કોલકાત્તા: કોરોના વાઈરસની વધતી જતી ચિંતાઓ વચ્ચે પશ્ચિમ બંગાળમાં આગામી મહિને કોલકાત્તા નગર નિગમ સહિત 111 નગર પાલિકાઓમાં યોજાનાર ચૂંટણી છેવટે અટકાવી દેવામાં આવી છે. સોમવારે મળેલી સર્વપક્ષીય બેઠક પછી રાજ્ય ચૂંટણી પંચે સતાવાર જાહેરાત કરી છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોરોનાને લઈને હાલ જે પરિસ્થિતિ છે તેમાં ચૂંટણી યોજવી શક્ય નથી. 15 દિવસ પછી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. તો હવે એવી અટકળો શરુ થઈ છે કે, રમજાન મહિના પહેલા નગર નિગમની ચૂંટણીઓ યોજવી શક્ય નહીં બને. 24-25 મે થી રમજાન શરુ થઈ રહ્યો છે, જેથી હવે જૂનમાં ચૂંટણી યોજાઈ તેવી શક્યતા છે.

મહત્વનું છે કે, આગામી વર્ષે યોજાનાર બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા નગર નિગમની ચૂંટણીને સેમીફાઈનલ તરીકે જોવા આવી રહી છે. અગાઉ જ કોરોનાને પગલે બંગાળ વિધાનસભાનું બજેટ સત્ર 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે, આ પહેલા કેરળ, છત્તિસગઢ અને મધ્યપ્રદેશમાં પણ વિધાનસભા સત્ર સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

મુંબઈમાં ક્રિકેટ બોર્ડનું મુખ્યાલય કોરોનાને કારણે બંધ; ક્રિકેટ પ્રવૃત્તિઓ સ્થગિત

મુંબઈ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં લઈને અત્રે દક્ષિણ મુંબઈસ્થિત વાનખેડે સ્ટેડિયમ ખાતેના તેના મુખ્યાલયને આવતીકાલથી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

બોર્ડના સત્તાધિશોએ તમામ કર્મચારીઓને આવતીકાલથી વધુ આદેશો ન મળે ત્યાં સુધી પોતપોતાના ઘેરથી જ કામ કરવાનું જણાવ્યું છે.

વધુ આદેશ ન મળે ત્યાં સુધી તમામ પ્રકારની ક્રિકેટ પ્રવૃત્તિઓને ક્રિકેટ બોર્ડે સસ્પેન્ડ કરાવી દીધી છે.

બોર્ડના સૂત્રોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે બોર્ડનું મુખ્યાલય કોરોના વાઈરસને કારણે બંધ રહેશે. મુખ્યાલયના તમામ કર્મચારીઓને પોતપોતાના ઘેરથી કામ કરવાનું જણાવી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસને કારણે જ બીસીસીઆઈએ આઈપીએલ ક્રિકેટ લીગ સ્પર્ધાને 15 એપ્રિલ સુધી મુલતવી રાખી દીધી છે. એવી જ રીતે, ઈરાની ટ્રોફી તથા મહિલાઓની ચેલેન્જર ટ્રોફી સહિતની તમામ સ્થાનિક સ્પર્ધાઓને પણ મુલતવી રાખી દીધી છે.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 115 દર્દીઓ નોંધાયા છે. બે દર્દીના મૃત્યુ નિપજ્યા છે.

દુનિયાભરમાં, દોઢસોથી વધારે દેશોમાં કોરોના વાઈરસ ફેલાયો છે અને તેણે અત્યાર સુધીમાં 6,400 જેટલા લોકોનો ભોગ લીધો છે.મ

રાજ્યસભાનો રેલો: કોંગ્રેસના ધારસભ્યોનું નવુ સરનામું જયપુર

અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ નીચે હવે રેલો આવ્યો છે. હવે વધુ રાજીનામાની સ્થિતિ ટાળવા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકીની સાથે સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર જવા નીકળ્યા છે.

કોંગ્રેસે 26 માર્ચ સુધી સુધી વિધાનસભામાંથી વોકઆઉટ કરવાનો નિર્ણય કર્યો છે. આ ધારાસભ્યો 25 માર્ચની રાત સુધીમાં પરત આવશે આ ધારાસભ્યો સાથે કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ જયપુર જઈ રહ્યા છે, જ્યાંથી કેટલાક ધારાસભ્યો અને આગેવાનો દિલ્હી હાઈકમાન્ડને મળવા જશે.

જયપુર જવા રવાના થયેલા ધારાસભ્યોમાં લલિત કગથરા, વિક્રમ માડમ, ભીખા જોશી, ઇમરાન ખેડાવાલા, અમિત ચાવડા, ગ્યાસુદીન શેખ, કાંતિભાઇ ખરાડી, બ્રિજેશ મેરજા, મહેશ પટેલ, , મહમ્મદ જાવેદ પિરજાદા, મોહનભાઇ વાળા, અશ્વિન કોટવાલ, નટવરસિંહ મહિડા, સુખરામ રાઠવા, રઘુ દેસાઇ, અનિલ જોશીયારા, નિરંજન પટેલ, ગુલાબસિંહ રાજપુત, મોહનસિંહ રાઠવા, વિરજી ઠુમ્મર, પુંજા વંશ અને ભરતજી ઠાકોર વગેરેનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસના નિરિક્ષકોની ટીમ આવતીકાલે જયપુર પહોંચશે અને બે ઉમેદવારોમાંથી કોને ઉભા રાખવા અને કોનુ ફોર્મ પાછું ખેંચવું એ અંગે ચર્ચા વિચારણા પછી નિર્ણય લેવાશે. કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા 70 મતની જરૂર છે કોંગ્રેસ પાસે 68 જ મત હોવાથી એક ઉમેદવારને ઘેર જવાનો વારો આવી શકે છે.

મહત્વનું છે કે, રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે. જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યાં છે. 18 માર્ચ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ 26 માર્ચે સવારના 9 વાગ્યાથી 4 વાગ્ય સુધી મતદાન યોજાશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

કોરોનાનો પ્રકોપ; મુંબઈમાં બસ-લોકલ ટ્રેન સેવા બંધ કરવાનો હાલ વિચાર નથીઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ દુનિયાભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસે ભારતમાં પણ ફેલાવો કરી દીધો છે. 114 જણને આ રોગ લાગુ પડી ગયો છે. સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રમાં છે – 39. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે અમુક જાહેરાતો કરી છે. એમણે કહ્યું છે કે કોરોનાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર માટે આગામી 15 દિવસ મહત્ત્વના છે. પરંતુ સમગ્ર રાજ્યમાં લોક-ડાઉન કરવાનો સરકારનો હાલ કોઈ વિચાર નથી.

અહીં પત્રકાર પરિષદમાં ઠાકરેએ કહ્યું કે સરકાર તમામ નિર્ણય જનતાના હિત માટે જ કરે છે. એ માટે જનતા પોતે પણ સરકારને સહકાર આપશે એની અમને ખાતરી છે. હાલની પરિસ્થિતિમાં રાજ્યના કોઈ પણ શહેરમાં લોક-ડાઉન ઘોષિત કરવાની કોઈ જરૂર જણાતી નથી.

ઠાકરેએ એવી અપીલ કરી છે કે ધાર્મિક સ્થળોએ લોકોની ભીડ જમા થવા દેવી ન જોઈએ. આવી અપીલ ઠાકરેએ તમામ ધર્મોના ધર્મગુરુઓ, સ્વામીજીઓ, મંદિર-મસ્જિદોને કરી છે.

ઠાકરેએ એમ પણ કહ્યું કે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં લઈને તમામ રાજકીય કાર્યક્રમો, યાત્રાઓ, સભાઓ પર પ્રતિબંધ મૂકવાની જરૂર ઊભી થઈ છે.

સરકારે સમગ્ર રાજ્યમાં એસ.ટી. તથા રેલવે તંત્રોના અધિકારીઓને સૂચના આપી છે કે એમણે પરિસરોને સ્વચ્છ રાખવા. સંપૂર્ણ સ્વચ્છતા માટેની એક જ પદ્ધતિ હોવી જોઈએ. એ ડિઝાઈન રાજ્ય સરકાર તરફથી એસટી અને રેલવે તંત્રને આપવામાં આવી છે.

હાલના સંજોગોમાં બસ સેવા અને લોકલ ટ્રેન સેવા બંધ કરવાનો સરકારનો વિચાર નથી, એવી સ્પષ્ટતા ઠાકરેએ કરી છે.

ઠાકરેએ એવી પણ જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલથી વધુ આદેશ ન મળે ત્યાં સુધી મુંબાદેવી મંદિર તથા પુણે શહેરનું દગડૂશેઠ હલવાઈ ગણપતિ મંદિર બંધ રાખવામાં આવશે.

હાર્વર્ડ સ્કૂલ પણ માને છે કે યોગ અને ધ્યાનથી કોરોનાથી બચી શકાય

વોશિંગ્ટનઃ અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલે કોરોના વાયરસ સામે લડવા માટે યોગ અને ધ્યાન કરવાની સલાહ આપી છે. અમેરિકી રોગ નિયંત્રણ અને બચાવ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વાસ્થ્ય એજન્સીઓ અને સરકાર અનુસાર અમેરિકામાં કોરોના વાયરસનો ચેપ ઓછામાં ઓછા 3,485 લોકોને થયો છે. ઘાતક વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 65 પર પહોંચી ગઈ છે.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલે પોતાના નવા દિશા-નિર્દેશોમાં કહ્યું છે કે, યોગ, ધ્યાન અને શ્વાસ લેવા પર નિયંત્રણ એ કોરોના વાયરસથી બચવાના કેટલાક સરળ અને પ્રભાવશાળી ઉપાયો છે. કોરોના વાયરસને પહોંચી વળવાના વિષય પર આ સપ્તાહે એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે. હાવર્ડ મેડિકલ સ્કુલના ડો. જોન શાર્પે કહ્યું કે, નિયમિત ધ્યાન કરવું તે કોરોના વાયરસ સામે લડવા માટે ફાયદાકારક સાબિત થાય છે.

તેમણે કહ્યું કે, જો તમે યોગ નથી કરતા? જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રયત્નો ન કરશો. કેટલીકવાર કેટલીક નવી વસ્તુઓ કરવી અને નવી ગતિવિધિઓનો ખ્યાલ મેળવીને આપ લાભ લઈ શકો છો. તેમણે કહ્યું કે યોગ કરવા વિશે આપ વિચાર કરી શકો છો.

તેમણે કહ્યું કે, વાયરસને લઈને ખરાબ સમાચારો મળી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની વાત સાંભળે, તેઓ તેમને સાચો રસ્તો બતાવી શકે છે. આ વચ્ચે, વિશ્વ હિંદુ કોંગ્રેસ અમેરિકાએ કહ્યું છે કે તેમણે કોવિડ-19 ની વૈશ્વિક મહામારીને લઈને વ્યાપેલી ચિંતા અને માનસિક સ્વાસ્થ્ય જેવી બાબતોને પહોંચી વળવા માટે પોતાના પ્રયત્નો અંતર્ગત આખા ઉત્તરી અમેરિકામાં હવન અને પ્રાર્થનાઓ આયોજિત કરી હતી.

મધ્ય પ્રદેશનું મહાભારતઃ ભાજપની ફ્લોર ટેસ્ટ કરાવવા જીદ

 ભોપાલઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપના આફ્ટરશોક્સ આવ્યા જ કરે છે. વિધાનસભા અધ્યક્ષે મધ્ય પ્રદેશનું સત્ર કોરોના વાઇરસને લીધે 26 માર્ચ સુધી સ્થગિત કર્યું હતું, જેથી મુખ્ય પ્રધાન કમલનાથે રાહતના શ્વાસ લીધા હતા. જોકે ભાજપ ફ્લોર ટેસ્ટ નહીં થવાને કારણે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને 48 કલાકની અંદર સુનાવણીની માગ કરી હતી. બીજી બાજુ રાજ્યપાલે મુખ્ય પ્રધાન કમલનાથને આવતી કાલે બહુમત સિદ્ધ કરવા નિર્દેશ આપ્યા છે. આ પહેલાં  ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે તેમના વિધાનસભ્યોની યાદી સોંપતાં રાજ્યપાલ પાસે ભાજપના વિધાનસભ્યોની પરેડ કરાવી હતી.

મધ્ય પ્રદેશનો તાજો ઘટનાક્રમ

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાનને પત્ર લખીને 17 માર્ચે કોઈ પણ ભોગે ફ્લોર ટેસ્ટ કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે જો 17 માર્ચે વોટિંગ નહીં કરાવવામાં આવે તો કમલનાથ સરકાર પાસે બહુમત નથી એમ માનવામાં આવશે.

આ પહેલાં…

  • રાજ્યપાલ લાલજી ટંડનની સામે ભાજપના વિધાનસભ્યોની પરેડ કરાવવામાં આવી.
  • શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલ સમક્ષ 106 ભાજપના વિધાનસભ્યોનું લિસ્ટ સોંપ્યું
  • શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના વિધાનસભ્યોને લઈને રાજભવન પહોંચ્યા
  • મુખ્ય પ્રધાન કમલનાથ સહિત અન્ય વિધાનસભ્યો વિદાનસભામાં એકત્ર થયા. તેમને વિધાન ભવનમાં માસ્ક અને સેનિટાઇઝર આપવામાં આવ્યાં
  • મુખ્ય પ્રધાન કમલનાથે પત્ર લખીને કહ્યું કે ફ્લોર ટેસ્ટ અટકાવવાની માગ કરી અને એને ફ્લોર ટેસ્ટ કરાવવો એ ગેરબંધારણીય હશે.
  • ત્યાર બાદ વિધાનસભા સ્પીકરે કોરોના વાઇરસને કારણે વિધાનસભા સત્ર 26 માર્ચ સુધી મુલતવી રાખ્યું
  • મુખ્ય પ્રધાને વિધાનસભામાંથી જતાં વિજયી સાઇન દર્શાવી.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નિર્ભયા કેસઃ ફાંસીથી બચવા આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજે દોષિતો

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા માંગે છે ત્યારે હવે નિર્ભયા બળાત્કાર અને હત્યાના મામલામાં ચારમાંથી ત્રણ દોષિતોએ પોતાની ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અક્ષય, પવન અને વિનયે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચારેય દોષિતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વભરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે.

એપી સિંહે જણાવ્યું કે, આ કેસમાં વિશ્વભરના લોકો રસ લઈ રહ્યાં છે. વિદેશોમાં વસેલા લોકોને ભારતીય ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ નથી. તેથી તેણે આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કહ્યું કે, ચારેય દોષીતો અને તેના પરિવારજનોને ભારતીય ન્યાય વ્યવસ્થા અને રાષ્ટ્રપતિ પર વિશ્વાસ છે. ચારેય દોષીતોના પરિવારજનો  ઈચ્છે છે કે રાષ્ટ્રપતિ તેમને ઇચ્છામૃત્યુની મંજૂરી આપે.

આઈસીજેમાં માત્ર બે દેશોના વિવાદનો કેસ સાંભળવામાં આવે છે. જાણકારો માને છે કે નિર્ભયાના દોષીતોને કેસ વ્યક્તિગત છે, તેથી આશા ઓછી છે કે આઈસીજે તેના પર સુનાવણી માટે વિચાર કરે.

આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટે દોષી મુકેશ સિંહની તે અરજીને નકારી દીધી હતી, જેમાં તેણે પોતાના તમામ કાયદાકીય ઉપાયોને તે કહેતાં ફરી આપવાની વિનંતી કરી હતી કે તેના જૂના વકિલે તેને ગેરમાર્ગે દોર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ કાયદાકીય ઉપાયો ફરી આપવાની વિનંતી કરતા નિર્ભયા મામલાના દોષી મુકેશ સિંહની અરજી વિચારણીય નથી.