ભયાનક ચક્રવાતી વાવાઝોડું ‘નિસર્ગ’ 3 જૂન, બુધવારે બપોરે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાયું હતું. એના લેન્ડફોલની શરૂઆત રાયગડ જિલ્લાના અલીબાગથી થઈ હતી. એ આગળ વધ્યું હતું, પરંતુ એનું જોર નબળું પડી જતાં મુંબઈ મહાનગર તથા પડોશના નવી મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લાઓ પણ મોટી આફતમાંથી આબાદ બચી ગયા હતા. ત્રણ કલાકની ગતિ દરમિયાન વાવાઝોડાનું જોર નબળું પડી ગયું હતું. પરંતુ મુંબઈના દક્ષિણ ભાગમાં તેમજ થાણે જિલ્લામાં 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાતા અને ધોધમાર વરસાદ પડતાં અનેક સ્થળે ઝાડ, વિશાળ હોર્ડિંગ, મકાનના કાચા/નબળા શેડ જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની હતી. ઘણી જગ્યાએ તોતિંગ ઝાડ પડવાથી વાહનો ચગદાઈ ગયા હતા. અલીબાગમાં પવન પ્રતિ કલાક 120 કિ.મી. જેટલી ઝડપે ફૂંકાયો હતો અને ઘણા મકાનોના છાપરા-છત ઉડી ગયા હતા.
મુંબઈ એરપોર્ટ પર એક કાર્ગો વિમાન લપસણા બનેલા રનવે પર આગળની તરફ ફંટાઈ ગયા બાદ મોડી સાંજ સુધી એરપોર્ટ પર ઉડ્ડયન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. મુંબઈમાં વરલી-સી લિન્ક વિસ્તારમાં પવનની ગતિ ખૂબ તેજ હતી. પવનના જોરને કારણે કોઈ પણ વાહન ઉડીને દરિયામાં પડી શકવાનું જોખમ હતું એટલે બાન્દ્રા-વરલી સી લિન્ક પર બપોરે ટ્રાફિક સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. વાવાઝોડાની આંખનો ભાગ જેની પર હતો એ અલીબાગ નગરમાં ઘણું નુકસાન થયું છે. વીજળીનો થાંભલો એક જણ પર પડતાં એનું મરણ નિપજ્યું છે. અલીબાગમાંથી વાવાઝોડું પેણ અને પનવેલ તરફ આગળ વધ્યું હતું. ત્યાંથી મુંબઈ અને થાણે તરફ આગળ વધ્યું હતું.
(મુંબઈના બાન્દ્રામાં એક ઈમારતનો કાચો શેડ ભારે પવનને કારણે તૂટી પડ્યો)
નવી દિલ્હીઃ ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ અને કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યાને હવે આવનારા દિવસોમાં ગમે ત્યારે ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવશે. માલ્યાના પ્રત્યાર્પણ સંબંધિત બધી કાયદેસરની ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી છે, એમ સરકારનાં ઉચ્ચ સ્તરનાં સૂત્રોએ કહ્યું છે. જોકે માલ્યાના કેસમાં ટર્નિંગ પોઇન્ટ તો ત્યારે જ આવ્યો હતો, જ્યારે ગઈ 14 મેએ યુકેની સુપ્રીમ કોર્ટમાં પ્રત્યાર્પણની સામેનો કેસ માલ્યા હારી ગયો હતો. માલ્યાની પ્રત્યાર્પણની ચોક્કસ તારીખ અંગે સૂત્રએ કહેવાનો ઇનકાર કર્યો હતો. પણ કહ્યું છે કે કે યુકેની સુપ્રીમ કોર્ટમાં માલ્યા અપીલ હારી ગયો એ પછી પ્રત્યાર્પણની બધી કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે. હવે CBI અને ED વિભાગોના અધિકારીઓ માલ્યાના પ્રત્યાર્પણની કામગીરી પર કામ કરી રહ્યા છે.
માલ્યાની કસ્ટડી અમે લઈશુઃ CBI
CBIનાં સૂત્રોએ આ અંગે કહ્યું હતું કે માલ્યાના પ્રત્યાર્પણ પછી અમે તેની સૌપ્રથમ કસ્ટડી લઈશું, કેમ કે તેની સામે પહેલવહેલો કેસ અમે કર્યો હતો. રાજ્યસભાના ભૂતપૂર્વ સદસ્ય માલ્યાએ ભારતમાં શરાબ ઉદ્યોગની સૌથી મોટી કંપની યુનાઇટેડ બ્રુવરિઝનું સંચાલન કર્યું હતું અને કિંગ ફિશર એરલાઇન્સની સ્થાપના કરી હતી, જે હવે ફડચામાં ગઈ છે. માલ્યા પર રૂ. 9000 કરોડની બેન્ક છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપો છે. વ્યક્તિગત કારણોનું બહાનું કાઢીને માર્ચ, 2016માં માલ્યા ભારતમાંથી ભાગી ગયો હતો.
17 બેન્કો સાથે છેતરપિંડી કરી
માલ્યાએ ઓછામાં ઓછી 17 ભારતીય બેન્કો સાથે છેતરપિંડી કરી હતી. તેની પર આરોપ છે કે તેણે આ પૈસા પોતાની 40 કંપનીઓમાં સગેવગે કર્યા હતા. લંડનની હાઇકોર્ટમાં 20 એપ્રિલે ભારતને પ્રત્યાર્પણના આદેશ સામે અપીલમાં હારી ગયા પછી માલ્યાએ યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ એ કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી હતી. જોકે 14 મેએ કોર્ટના ચુકાદા પછી માલ્યાએ કેન્દ્ર સરકારને તેની સામેનો કેસ બંધ કરવામાં આવે તો એ તમામ લોન ચૂકવવા તૈયાર છે એવું નિવેદન કર્યું હતું. જોકે મોદી સરકાર દ્વારા તેની લોન ચુકવણીની ઓફરને અવગણવામાં આવી હતી.
3 જૂનને દર વર્ષે વિશ્વ સાઇકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાઇકલની ઉપયોગીતા અને બહુમુખી પ્રતિભાને જોતા આ દિવસને ‘વિશ્વ સાઇકલ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, શહેરના લોકો આસપાસનું અંતર કાપવા માટે સાઇકલનો ઉપયોગ કરે તો દરરોજના સેંકડો લીટર પેટ્રોલની બચત થાય. સાથોસાથ શહેરોના પ્રદુષણમાં પણ ઘટાડો થાય.
દિનપ્રતિદિન વાતાવરણમાં થતા પલટાઓ ગ્લોબલ વોર્મિંગની અસર નીચે સમગ્ર વિશ્વનું પિસાવું તેમજ વાહનો દ્વારા થતાં પ્રદૂષણને કારણે થઇ રહેલા વિવિધ રોગોને પગલે હવે સાઈકલ અનિવાર્ય બને તો નવાઈ નહીં
વર્ષ 1418માં ઇટાલિયન ઇજનેરે 4 વ્હિલ, એક દોરડું અને ગીયર પુલની મદદથી વિશ્વની સૌપ્રથમ સાઈકલ બનાવી હોવાનો મત છે. પ્રથમ બનાવેલી આ સાઇકલમાં ચાર પૈડા હતા જે સમયાંતરે સંશોધનના અંતે બે રાખવામાં આવ્યા. વર્ષ 1817માં ડેરીસ નામની એક વ્યક્તિએ પણ સાઇકલમાં સંશોધન કર્યું હતું અને એ જ સાઇકલને આજે આપણે જોઈ રહ્યા છીએ, ચલાવી રહ્યા છીએ.
સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થા દ્વારા પ્રથમ વખત વિશ્વ સાઇકલ દિવસ 3 જૂન 2018માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ પરિવહનના એક સરળ, સસ્તા, ભરોસાલાયક અને પર્યાવરણની સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે.
આજે ધીરે-ધીરે લોકો સમયના પરીવર્તન સાથે સાઇકલમાંથી વિવિધ વાહનો તરફ જવા માંડ્યા છે ત્યારે નાનપણની સાઇકલ હવે ભૂલાતી જાય છે. પણ આ સાઇકલ સાથે જીવન જીવવામાં આવે તો પ્રકૃતિ સાથે સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. આ સાઇકલ પ્રકૃતિનું સંરક્ષણ કરવા માટે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે સાથે વાતાવરણને ખૂબ લાભ થાય.
મુંબઈઃ ભયાનક ચક્રવાતી વાવાઝોડા ‘નિસર્ગ’એ આગાહી મુજબ આજે બપોરે લગભગ એક વાગ્યાના સુમારે મહારાષ્ટ્રમાં રાયગડ જિલ્લાના સમુદ્રકાંઠા પર લેન્ડફોલની શરૂઆત કરી હતી. વાવાઝોડું મુંબઈની પડોશના રાયગડ જિલ્લાના અલીબાગના દરિયાકાંઠા પર ત્રાટક્યું હતું. આ સાથે જ રાયગડ, મુંબઈ, પાલઘર અને થાણે જિલ્લાઓ માટે હવે પછીના 3 કલાક મહત્ત્વના બની ગયા હતા. જોકે ભારતીય હવામાન વિભાગે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે મુંબઈ શહેર અને જિલ્લો નિસર્ગ વાવાઝોડાની માઠી અસરમાંથી બચી જાય એવી ધારણા છે. ચાર વાગ્યા પછી વાવાઝોડાનું જોર ઓસરી ગયું હતું અને મહાનગર મોટા નુુકસાનમાંથી ખરેખર બચી ગયું હતું.
અહેવાલો અનુસાર બપોરે એક વાગ્યાથી અલીબાગ વિસ્તારમાં પવનની ગતિ પ્રતિ કલાક 120 કિ.મી.ની રહી હતી અને વરસાદ પણ ધોધમાર પડ્યો હતો.
ખાનગી સ્કાયમેટ વેધરનું અનુમાન હતું કે વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વરસાદ તથા પવનની ગતિ હવે પછીના એક કલાકમાં વધારે બગડી શકે છે. ટીવી પરની તસવીરો અને સોશિયલ મિડિયા પરની જાણકારી પરથી માલુમ પડ્યું હતું કે રાયગડ અને રત્નાગિરી જિલ્લાઓમાં તેજ પવનને કારણે અનેક ઠેકાણે મકાનોના છાપરા ઉડી ગયા હતા અને ઝાડ ઉખડી ગયા હતા.
મહારાષ્ટ્રમાં, સજાગ રહેલા વહીવટીતંત્રોએ સમુદ્રકાંઠા પર અને નિચાણવાળા ભાગોમાં રહેતા આશરે 1 લાખ લોકોનું ગઈ કાલથી સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરી દીધું છે.
નવી મુંબઈમાં અનેક ભાગોમાં કલાકના 70 કિ.મી.ની તેજ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો હતો. એને કારણે અનેક ઝાડ ઉખડી ગયા હતા. મુંબઈમાં 4 વાગ્યાની આસપાસ વાવાઝોડું ત્રાટકે એવી સંભાવના હતી. પરંતુ જે ડર હતો એવું સદ્દભાગ્યે બન્યું નહોતું. મુંબઈમાં દક્ષિણ ભાગમાં વરસાદ ધોધમાર હતો, પણ ઉત્તર તરફના ભાગોમાં વરસાદ અને પવનની ગતિ સાધારણ હતી.
મુંબઈ એરપોર્ટ પર વરસાદને કારણે ધરતી લપસણી થતાં એક કાર્ગો વિમાન રનવે પર સરકી ગયું હતું. તેથી એરપોર્ટને સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું.
મુંબઈમાં વરલી-સી લિન્ક વિસ્તારમાં પવનની ગતિ ખૂબ તેજ હતી. જોકે પ્રતિ કલાક 100 કિ.મી.ના આંકે પહોંચી નહોતી. બાન્દ્રા-વરલી સી લિન્ક પર બપોરે ટ્રાફિક સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.
પવનના જોરને કારણે કોઈ પણ વાહન ઉડીને દરિયામાં પડી શકવાનું જોખમ હતું એટલે બાન્દ્રા-વરલી સી લિન્ક બંધ કરી દેવાયો હતો સદ્દભાગ્યે આજે વાવાઝોડાને કારણે મુંબઈમાં કોઈ મોટી દુર્ઘટના થઈ નથી.
વાઝોડાને કારણે મુંબઈ આવતી અનેક ફ્લાઇટોને હાલપૂરતી રદ કરવામાં આવી છે. જ્યારે અનેક રેલવેએ પણ અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે.
દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શરૂઆત થઈ
ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, નિસર્ગ ચક્રવાતના ઉત્તર-પૂર્વ ભાગે જમીન પર પ્રવેશ કરવાની શરૂઆત કરી છે. એ સાથે જ રત્નાગિરી, અલીબાગના દરિયાકિનારા પર પાણીના મોજાં વિકરાળ સ્વરૂપે ઉછળી રહ્યા છે. ત્યાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના કાર્યાલય તરફથી મુંબઈ ઉપરાંત રાજ્યના કાંઠા વિસ્તારના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વાવાઝોડું નિસર્ગ ત્રાટકવાનું હોવાથી તેઓ બુધવાર અને ગુરુવાર, એમ બે દિવસ ઘરમાં જ રહે. NDRFની 16 ટીમોમાંથી 10ને રાજ્યના તટવર્તી ક્ષેત્રોમાં તહેનાત કરવામાં આવી છે. મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે પણ હાઈ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યના તમામ કાંઠાળ વિસ્તારો-ચોપાટીઓ ખાતે લોકોને ભેગા થતા રોકતી 144મી કલમ લાગુ કરી દેવાઈ છે. મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે પોલીસોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.
ગુજરાતના કાંઠા પરથી વંટોળનું સંકટ ટળ્યું, પણ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આ ‘નિસર્ગ’ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વડા પ્રધાન મોદીએ અમિત શાહની સાથે બેઠક કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નિસર્ગ’ વાવાઝોડાને લઈને ગઈ કાલે મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય પ્રધાનો સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. કેન્દ્ર દ્વારા તમામ સંભવિત મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે NDMA અને NDRFની સાથેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
NDRFએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 40 ટીમો તહેનાત કરી
NDRFએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 40 ટીમો તહેનાત કરી છે અને વધારાની ટીમોને પણ એરલિફ્ટ કરી છે. નૌસેના અને હવાઈ સેનાને જહાજો અને વિમાનોની સાથે સેના અને નૌ સેનાને બચાવન અને રાહત ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મૂંઈ પોલીસે આ ચક્રવાને ધ્યાનમાં રાખતાં લોકોને દરિયાકિનારે જવા રોકવા માટે શહેરમાં કલમ 144 લગાવી દીધી છે.
પાલઘર જિલ્લાનાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું
પાલઘર જિલ્લાનાં ગામોથી 21,000થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. માછીમારોને ચાર જૂન સુધી સમુદ્રમાં ના જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. NDRFની 10 ટીમોને તહેનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ 47 ગામોમાંથી આશરે 20,000 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યા છે.
મુંબઈ તા. 3 જૂન, 2020ઃ બીએસઈ અને ઈબિક્સ ફિનકોર્પ એક્સચેન્જ પીટીઈ લિમિટેડના સંયુક્ત સાહસ બીએસઈ ઈબિક્સ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડે આજે જાહેર કર્યું હતું કે તેના ઓન-ડિમાન્ડ હાઈટ-ટેક પ્લેટફોર્મ પર હેલ્થ ઈન્સ્યુરન્સનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર રેલિગેર હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પ્રવેશ કરી હેલ્થ ઈન્સ્યુરન્સ ઓફર કરી રહી છે.
આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે હેલ્થ ઈન્સ્યુરન્સ લોન્ચ કરવાને પગલે ઈન્સ્યુરન્સ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે અમારી સ્થિતિ મજબૂત બની છે.બીએસઈ તેની વિશ્વ સ્તરની ટેકનોલોજી અને નૈપુણ્યને ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ અને રિસ્ક મેનેજમેન્ટમાં લીવરેજ કરવા માગે છે. બિટા મોડ દ્વારા ઈન્સ્યુરન્સ ડિસ્ટ્રિબ્યુશનની સફળતા અમે પ્રાપ્ત કરી છે અને હેલ્થ ઈન્સ્યુરન્સ ક્ષેત્રે પણ તેનું પુનરાવર્તન થશે, એવી અપેક્ષા અમે રાખી રહ્યા છીએ. બીએસઈ અને ઈબિક્સના સંયુક્ત પ્રયાસથી ઈન્સ્યુરન્સ કંપનીઓ વધુ ગ્રાહકો પ્રાપ્ત કરી શકશે.
ઈબિક્સ ગ્રુપના ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઈઓ રોબિન રૈનાએ કહ્યું કે બીએસઈ અને ઈબિક્સકેશ દેશમાં અદ્વિતીય નેટ વર્ક ધરાવે છે. 2020ના અંત સુધીમાં મોટી સંખ્યામાં પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) નોંધવાના લક્ષ્યને જોતાં આ સંયુક્ત સાહસ સમક્ષ વિરાટ તક ઉપલબ્ધ છે. અમે બધી સામેલ હસ્તીઓને લાભ થાય એ રીતે ઈન્સુયરન્સ ક્ષેત્રના વિતરણને દેશના ખૂણેખૂણામાં લઈ જવાનો સંકલ્પ ધરાવીએ છીએ. આ સંતુક્ત સાહસ દ્વારા અમે વિમા ખરીદીમાં માત્ર ગ્રાહકની દૃષ્ટિએ જ નહિ પરંતુ ઈન્સ્યુરર્સ વધુ અસરકારક રીતે તેમના પ્રોડક્ટનું વિતરણ કરી શકે એ દૃષ્ટિએ પણ મોટાં પરિવર્તન કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.
બધા પ્રકારના વિમા ઉપલબ્ધ થાય એ માટે બીએસઈ ઈબિક્સ કમર્શિયલ વેહિકલ્સ, ફાયર, લાયાબિલિટી અને શોપ કીપર્સ ઈન્સ્યુરન્સ સહિતના ઈન્સ્યુરન્સ પ્રોડક્ટસનું ડિસ્ટ્રિબ્યુશન લોન્ચ કરશે.
બીએસઈ ઈબિક્સ પ્લેટફોર્મ 7 ફેબ્રુઆરી, 2020ના રોજ કાર અને ટુ-વ્હીલર્સના ઓટો ઈન્સ્યુરન્સ ઓફર કરવા સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યારે બીએસઈ ઈબિક્સ પ્લેટફોર્મ પર છ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીઓ છે.
નવી દિલ્હીઃ ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીએ કહ્યું હતું કે જો બોલ પરની ચમક પર્યાપ્ત રીતે જળવાઈ રહે તો પોતે બોલ પર થૂંક લગાડ્યા વગર પણ એને રિવર્સ સ્વિંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસની બીમારીના ફેલાવાને કારણે ICCએ બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ મૂકવા વિચારી રહી રહી છે. થૂંકને કારણે કોરોના બીમારીનું ટ્રાન્સમિશન વધી જવાનું જોખમ રહે છે.
શમીએ રોહિત જુગલાન સાથે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતાં કહ્યું હતું કે બોલ પર થૂંક લગાડવા પર પ્રતિબંધ મૂકાય તો અમને બોલરોને મુશ્કેલી થશે. અમને નાનપણથી બોલ પર થૂંક લગાડવાની આદત છે. જો તમે ઝડપી બોલર હો તો તમને બોલ પર થૂંક લગાવવાની આદત પડી જ જાય, પણ જો તમે સૂકા બોલ પરની ચમકને જાળવી રાખો તો રિવર્સ સ્વિંગ ચોક્કસ પણે કરી શકો છો.
બોલ પર પરસેવો અને થૂંક અલગ-અલગ રીતે કામ કરે
પરસેવો અને થૂંક અલગ-અલગ રીતે કામ કરે છે. મને નથી લાગતું કે એનાથી મદદ મળશે. મેં ક્યારેય થૂંક લગાવ્યા વિના બોલિંગનો પ્રયાસ નથી કર્યો. જોકે હવે કોરોના વાઇરસને રોગચાળાને કારણે થૂંકના ઉપયોગને રોકવો બહુ મહત્ત્વનો છે, એમ શમીએ કહ્યું.
પરસેવોનો લગાવવાની મંજૂરી અપાશે
ICC ક્રિકેટ સમિતિના વડા અનિલ કુંબલેએ કહ્યું હતું કે બોલને પોલિશ કરવા માટે બોલ પર પરસેવો લગાડવાની બોલરોને કદાચ મંજૂરી અપાશે, પણ શમીએ દાવો કર્યો હતો કે બોલ પર પરસેવો ફાસ્ટ બોલરની મદદ નથી કરતો. પરસેવો અને થૂંક બોલ પર અલગ રીતે કામ કરે છે. મને નથી લાગતું કે એનાથી કોઈ મદદ મળી રહે. મેં ક્યારેય બોલ પર થૂંક લગાવ્યા વિના બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો નથી. હવે કોવિડ-19 રોગચાળાને લીધે એ મહત્ત્વનું છે કે બોલ પર થૂંક ન લગાડવામાં આવે, એમ શમીએ કહ્યું હતું.
ધોનીની ઊણપ મેદાનની અંદર અને બહાર લાગશે
શમીએ ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને યાદ કરતાં કહ્યું હતું કે તેને ધોનીની ઊણપ મેદાનની અંદર અને બહાર –બંને જગ્યાએ લાગે છે. ત્યાં સુધી કે શમી ઇચ્છે છે કે ધોની જલદીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરે અને ફરી એને માર્ગદર્શન આપે. તેણે કહ્યું હતું કે IPL સિવાય દરેક ફોર્મેટમાં ધોનીના નેતૃત્વમાં રમ્યો છું. જ્યાં સુધી માર્ગદર્શનનો સવાલ છે, તે પોતાના સાથી ક્રિકેટરોની સાથે હંમેશાં એ રીતનો સાલસ વ્યવહાર કરે છે કે તમને લાગે જ નહીં કે તે એમએસ ધોની છે, એ એટલો મોટો ખેલાડી છે. ધોનીને લઈને મારે ઘણી યાદો છે. હાલ પણ હું વિચારું છું કે માહી ભાઈ આવશે અને તેની સાથે રમવામાં મજા પડશે.
ICCના T-20 વર્લ્ડ કપ પર પ્રશ્નાર્થચિહન
કોરોના વાઇરસે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ICC T-20 વર્લ્ડ કપ પર પ્રશ્નાર્થચિહન ઊભું કર્યું છે અને શમીએ કહ્યું હતું કે ખેલાડીઓ આવી મોટી ટુર્નામેન્ટ રમતાં પહેલાં કેટલીક મેચો રમવા ઇચ્છશે.
અમે કંઈ મશીનો નથી, કે સ્વિચ ઓન-ઓફ કરી શકો છો. એક સ્પોર્ટસમેન તરીકે તમારા બોડીને રિધમમાં લાવવાની જરૂર હોય છે. હાલના સમયગાળામાં કોઈએ પણ બેટ અને બોલને સ્પર્શ કર્યો નથી. તેથી વર્લ્ડ કપ પહેલાં 10-15 દિવસનો કેમ્પ અથવા એક-બે સિરીઝ રમડવી જોઈએ, એમ તેણે કહ્યું હતું.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. દેશમાં આ વાઇરસથી સંક્રમિતોની સંખ્યા બે લાખથી વધુ થઈ ગઈ છે અને અત્યાર સુધી 5815થી લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દિલ્હી, બંગાળ, કર્ણાટક, હરિયાણા અને તામિલનાડુમાં એક દિવસમાં રેકોર્ડ નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં 1298 નવા કેસ સામે આવ્યા છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 1,00303 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સંક્રમિતોની સંખ્યા 2,07,615 લાખ થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 8909 નવા કેસ સામે આવ્યા છે અને 217 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ વધીને 48.31 ટકા થયો છે.
અમેરિકામાં 18 લાખથી વધુ કેસ
અમેરિકામાં કોરોનાના 18 લાખથી વધુ કેસ નોંધાયા છે. વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકામાં છે. અમેરિકામાં અત્યાર સુધી 1,05,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે બ્રાઝિલ બીજા ક્રમાંકે છે, અહીં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 5,26,000 છે. અત્યાર સુધી અહીં 30,000 લોકોનાં મોત થયાં છે. સક્રિય કેસોની વાત કરીએ તો અમેરિકામાં 12.47 લાખ, બ્રાઝિલ 2.85 લાખ, રશિયામાં 2.33 લાખ, બ્રિટનમાં 2.37 લાખ, સ્પેનમાં 62,000 અને ઇટાલીમાં 41,000થી વધુ સક્રિય કેસો છે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જાહેરાત કરી કે તેમની સરકાર કોરોના વાઈરસને કારણે ચાલી રહેલા લોકડાઉનને હવે પૂર્ણ કરી રહી છે. દેશમાં મહામારીથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત મૃતકોનો આંક પણ ઝડપે વધી રહ્યો છે. ઈમરાન ખાને દેશની અર્થવ્યવસ્થાનો હવાલો આપતા લોકોને હવે વાઈરસ સાથે જીવન જીવવાની અપીલ કરી છે.
સતત નબળી પડતી જતી અર્થવ્યવસ્થાને પગલે પાકિસ્તાન સરકારે લોકડાઉન લગભગ સંપૂર્ણ રીતે ખત્મ કરી દીધું છે. જોકે, સિનેમા હોલ અને સ્કુલો હજુ પણ બંધ રહેશે. ઈમરાન ખાને કહ્યું કે, નિકાસમાં ઝડપી ઘટાડાને પગલે પાકિસ્તાનને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. સાથે જ મહેસૂલ સંગ્રહમાં 30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
દેશના લોકોને સંબોંધિત કરતા ઈમરાન ખાને કહ્યું કે, તેમનો દેશ હવે વધારે નુકસાન ભોગવી શકે તેવી સ્થિતિમાં નથી. અન્ય દેશોની જેમ અંહી પણ હવે લોકડાઉન ચાલુ રાખી નહીં શકાય. તેમણે કહ્યું કે, દેશની 50 મિલિયન વસ્તી ગરીબી રેખાથી નીચે જીવી રહી છે અને 25 મિલિયન લોકો રોજમદારી પર જીવે છે.
ઈમરાને કહ્યું કે, સરકાર કયા સુધી ગરીબોને પૈસા વહેંચતી રહેશે. તેમણે લોકોને અપીલ કરી કે તે જવાબદારી સમજે સંક્રમણ અને તેનાથી થતાં મૃત્યુને નહીં રોકી શકાય. ઈમરાને કહ્યું કે અફસોસ સાથે કહેવું પડે છે કે, દેશમાં હજુ પણ મોતનો આંકડો વધશે.