Home Blog Page 431

મેથી આલૂ પરોઠા

જોતાં જ ખાવાનું મન થાય તેવા મેથી આલૂ પરોઠા બાળકોના ફેવરિટ બની શકે છે!

સામગ્રીઃ

  • પાલકના પાન ધોઈને સમારેલા 1 કપ
  • મેથીના પાન ધોઈને સમારેલા 1 કપ
  • અજમો ½ ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • લસણની કળી 7-8
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીલા મરચાં 3-4
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • ઘઉંનો લોટ 2 કપ
  • ચણાનો લોટ ½ કપ
  • સાકર ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • દહીં 2 ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું,
  • તેલ 1 ટે.સ્પૂન
  • સફેદ તલ 2 ટે.સ્પૂન

પૂરણ માટેઃ

  • બાફેલા બટેટા 4-5
  • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • શેકેલા જીરાનો પાઉડર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • આદુ-લસણ-મરચાંની અધકચરી વાટેલી પેસ્ટ 1 ટે.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • સૂકા ધાણા ½ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન

રીતઃ ધોયેલા પાલકના પાનને ઉકળતા પાણીમાં 1 મિનિટ માટે નાખીને બહાર કાઢી લઈ ઠંડા પાણીમાં નાખી દો અને તરત બહાર કાઢી લો. આ પાન તેમજ કોથમીર, લસણ-આદુ, મરચાં, સાકર, જીરૂ, લીંબુનો રસ મિક્સીમાં લઈને તેની પેસ્ટ બનાવી લો.

આ પેસ્ટ એક વાસણમાં લઈ તેમાં ધોયેલા મેથીના પાન સમારીને ઉમેરી, ઘઉંનો તથા ચણાનો લોટ મેળવો. અજમાને હાથેથી થોડો ક્રશ કરીને મેળવો. દહીં, હીંગ, સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું તેમજ તેલ મેળવીને બધી સામગ્રીને હાથેથી મેળવી લીધા બાદ લોટ બાંધીને તેલનું મોણ આપીને લોટ ઢાંકીને 10 મિનિટ માટે રાખી મૂકો.

બાફેલા બટેટાનો હાથેથી છૂંદો કરીને તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ, સમારેલી કોથમીર, શેકેલા જીરાનો પાઉડર, લાલ મરચાં પાઉડર, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર, ગરમ મસાલો મેળવો. સૂકા ધાણાને અધકચરા વાટીને મેળવો. બટેટાનું પૂરણ તૈયાર થયા બાદ જો ઢીલું લાગે તો તેમાં થોડા પૌઆનો ભૂકો કરીને મેળવી દો.

હવે પરોઠા માટેના લોટમાંથી લૂવો લઈ તેની પાતળી-ગોળ રોટલી વણી લો. બટેટાના પૂરણમાંથી 2 ચમચી જેટલું અથવા રોટલી પ્રમાણે પૂરણ લઈને વણેલી રોટલીની વચ્ચે મૂકી તેને ચોરસ અથવા ત્રિકોણાકારમાં પાથરી દો. અને તેની ફરતેથી રોટલી વાળીને પેક કરી લો. વાળેલી કિનારીવાળો ભાગ ઉપર રાખીને થોડો લોટ ભભરાવીને વેલણ વડે પરોઠું થોડું વણી લો. જેથી વાળેલી કિનારી પેક થઈ જાય અને પૂરણ બહાર ના નીકળે.

ગેસ ઉપર તવો અથવા નોન-સ્ટીક પેન ગરમ કરીને વણેલું પરોઠું ઘી-માખણ કે તેલ વડે શેકી લો.

આ પરોઠા દહીં સાથે પીરસો.

૨૬ નવેમ્બર ૨૦૨૫

પંચાંગ 26/11/2025

ધર્મેન્દ્રની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય…

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બર, સોમવારના રોજ નિધન થયું. મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. તેમના નિધનથી ઉદ્યોગ જગત શોકમાં ડૂબી ગયું છે. દરેક વ્યક્તિ તેમને પોતાની રીતે યાદ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને મધ્યરાત્રિએ તેમના નજીકના મિત્ર માટે એક પોસ્ટ લખી. અન્ય ઘણા સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ધર્મન્દ્રની ગણના બૉલિવૂડના હેન્ડસ હન્કમાં થતી હતી. તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી દર્શકોના દિલ જીત્યા છે. ધર્મેન્દ્ર જેટલા મોટા સુપરસ્ટાર હતા તેટલું સરળ જ તેમનું જીવન હતું. અભિનેતા ધર્મેન્દ્રની કેટલીક એવી તસવીરો પર નજર કરીએ જે તમે ક્યારેય નહીં જોઈ.

T20 વર્લ્ડ કપ શેડ્યૂલ જાહેર, 15 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાનની ટક્કર

2026 T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ICC એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં 15 ફેબ્રુઆરી માટે ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચ કોલંબોમાં રમાશે. T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચ યુનાઇટેડ સ્ટેટ્સ સામે રમશે. ભારતીય ટીમ તેના ગ્રુપમાંથી ચાર ટીમોનો સામનો કરશે. યુનાઇટેડ સ્ટેટ્સ અને પાકિસ્તાન ઉપરાંત, તેઓ નેધરલેન્ડ્સ અને નામિબિયાનો પણ સામનો કરશે.

2026ના T20 વર્લ્ડ કપ માટે ભારતનું ટાઈમટેબલ

  • ભારત વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સ, ૭ ફેબ્રુઆરી, મુંબઈ
  • ભારત વિરુદ્ધ નામિબિયા, ૧૨ ફેબ્રુઆરી, દિલ્હી
  • ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ૧૫ ફેબ્રુઆરી, કોલંબો
  • ભારત વિરુદ્ધ નેધરલેન્ડ, ૧૮ ફેબ્રુઆરી, અમદાવાદ

ટી20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન

ભારત ૨૦૨૬ ના T20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે. ૨૦૨૪ માં, ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત ટાઇટલ જીત્યું હતું. ભારતે અગાઉ ૨૦૦૭ માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ૨૦૧૪ ની ફાઇનલમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે હારી ગઈ હતી. ભારતીય ટીમ 2016 અને 2022 માં સેમિફાઇનલમાં પહોંચી હતી. આ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીએ ભારત માટે સૌથી વધુ 1141 રન બનાવ્યા છે. આર. અશ્વિને સૌથી વધુ 32 વિકેટ લીધી છે.

T20 વર્લ્ડ કપ 2026 માટે સંપૂર્ણ ટાઈમ ટેબલ

શનિવાર, 7 ફેબ્રુઆરી

  • પાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ – SSC કોલંબો
  • વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બાંગ્લાદેશ – કેન્ડી

રવિવાર, 8 ફેબ્રુઆરી

  • શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન – કેન્ડી
  • દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ – SSC કોલંબો

સોમવાર, 9 ફેબ્રુઆરી

  • ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ – કોલંબો
  • આયર્લેન્ડ વિરુદ્ધ સ્કોટલેન્ડ – કેન્ડી

મંગળવાર, 10 ફેબ્રુઆરી

  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નામિબિયા – કેન્ડી
  • કેનેડા વિરુદ્ધ યુએસએ – SSC કોલંબો

બુધવાર, 11 ફેબ્રુઆરી

  • નેધરલેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ – કેન્ડી
  • વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાકિસ્તાન – SSC કોલંબો

ગુરુવાર, 12 ફેબ્રુઆરી

  • અફઘાનિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ – કેન્ડી
  • શ્રીલંકા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – કોલંબો

શુક્રવાર, 13 ફેબ્રુઆરી

  • સ્કોટલેન્ડ ઇંગ્લેન્ડ વિરુદ્ધ – SSC કોલંબો

શનિવાર, 14 ફેબ્રુઆરી

  • યુએસએ વિરુદ્ધ નામિબિયા – કેન્ડી
  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કેનેડા – SSC કોલંબો

રવિવાર 15 ફેબ્રુઆરી

  • નેધરલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ – SSC કોલંબો
  • પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ – કેન્ડી

સોમવાર, 16 ફેબ્રુઆરી

  • અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – કેન્ડી
  • ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા – SSC કોલંબો

મંગળવાર, 17 ફેબ્રુઆરી

  • ભારત વિરુદ્ધ સ્કોટલેન્ડ – કેન્ડી
  • આયર્લેન્ડ વિરુદ્ધ ઇંગ્લેન્ડ – કોલંબો

બુધવાર, 18 ફેબ્રુઆરી

  • નામિબિયા વિરુદ્ધ કેનેડા – SSC કોલંબો
  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ યુએસએ – કેન્ડી

સુપર 12 રાઉન્ડ

સોમવાર, 19 ફેબ્રુઆરી

  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રીલંકા – કેન્ડી
  • દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ – SSC કોલંબો

મંગળવાર, 20 ફેબ્રુઆરી

  • ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન – કેન્ડી
  • પાકિસ્તાન વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ – SSC કોલંબો

બુધવાર, 21 ફેબ્રુઆરી

  • ઇંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – કેન્ડી
  • શ્રીલંકા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ – કોલંબો

ગુરુવાર, ફેબ્રુઆરી 22 

  • વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અફઘાનિસ્તાન – SSC કોલંબો
  • ભારત વિરુદ્ધ પાકિસ્તાન – કેન્ડી

શુક્રવાર, 23 ફેબ્રુઆરી

  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ – SSC કોલંબો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રીલંકા – કેન્ડી

શનિવાર, 24 ફેબ્રુઆરી

  • ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન – કેન્ડી ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ – SSC કોલંબો

રવિવાર, 25 ફેબ્રુઆરી

  • અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા – કેન્ડી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ – SSC કોલંબો

સોમવાર, 26 ફેબ્રુઆરી

  • શ્રીલંકા વિરુદ્ધ ભારત – SSC કોલંબો પાકિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – કેન્ડી

મંગળવાર, 27 ફેબ્રુઆરી

  • વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ – કેન્ડી અફઘાનિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ – SSC કોલંબો

બુધવાર, 28 ફેબ્રુઆરી

  • પાકિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા – કોલંબો ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – કેન્ડી

સેમી-ફાઈનલ

શુક્રવાર, 6 માર્ચ

સેમી-ફાઈનલ 1 – સ્થળ: કોલંબો

શનિવાર, 7 માર્ચ

સેમી-ફાઈનલ 2 – સ્થળ: કોલંબો

ફાઇનલ

રવિવાર, 8 માર્ચ

ફાઇનલ – અમદાવાદ / કોલંબો

ટી20 વર્લ્ડ કપમાં 20 ટીમો રમશે

આ વખતે, 20 ટીમો ટી20 વર્લ્ડ કપ 2026 માં ભાગ લેશે. પાંચ ટીમોના ચાર ગ્રુપ લીગ મેચ રમશે. પહેલા ગ્રુપમાં ભારત, નામિબિયા, નેધરલેન્ડ, પાકિસ્તાન અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, ઇટાલી, ઇંગ્લેન્ડ, નેપાળ અને વેસ્ટ ઇન્ડીઝનો સમાવેશ થાય છે. ત્રીજા ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, ઓમાન, શ્રીલંકા અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. ચોથા ગ્રુપમાં અફઘાનિસ્તાન, કેનેડા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને યુએઈનો સમાવેશ થાય છે.

મેચો આઠ સ્થળોએ યોજાશે

ટી20 વર્લ્ડ કપ 2026 ની મેચો આઠ સ્થળોએ યોજાશે: પાંચ ભારતમાં અને ત્રણ શ્રીલંકામાં. આ મેચો અમદાવાદ, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, મુંબઈ, કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ, સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ અને કેન્ડીમાં રમાશે.

દિલ્હી-એનસીઆરની ઝેરી હવા પર PMOની મોટી બેઠક

દિલ્હી-એનસીઆરમાં સતત વધી રહેલા પ્રદૂષણ સ્તર વચ્ચે, કેન્દ્ર સરકારે હવે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિને સંબોધવા માટે વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રદૂષક વાહનો સામે સઘન નિરીક્ષણ અને કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર વધુ ભાર મૂકવાની પણ હાકલ કરવામાં આવી હતી.

New Delhi: Dense smog envelops Kartavya Path, affecting visibility as the city experiences high air pollution levels in New Delhi on Thursday, October 24, 2024. (Photo: IANS/Wasim Sarvar)

હકીકતમાં, દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત બીજા અઠવાડિયા માટે ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહી છે, જે કેટલાક વિસ્તારોમાં ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. સમસ્યાની ગંભીરતાને જોતાં, કેન્દ્ર સરકાર પોતે હવે પગલાં લઈ રહી છે.

પ્રધાન પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ અધિકારીઓને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે તાત્કાલિક બે મુખ્ય ક્ષેત્રોને સંબોધવા નિર્દેશ આપ્યો છે: પ્રથમ, જરૂરી EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ આપો, અને બીજું, પૂરતી સંખ્યામાં નવા ચાર્જિંગ સ્ટેશનો ઝડપથી સ્થાપિત કરો.

દિલ્હી બ્લાસ્ટમાં વધુ એક નવો ખુલાસો

દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ કરનાર ડોક્ટરમાંથી આત્મઘાતી બોમ્બર બનેલા ઉમર ઉન નબી વિશે નવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા મોડ્યુલના અન્ય ડોક્ટરોની પૂછપરછમાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. એવું બહાર આવ્યું છે કે ઉમર 2016 માં સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા આતંકવાદી બુરહાન વાનીના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો.

પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે તે તેના સહયોગીઓની સામે પોતાને “અમીર” કહેતો હતો. તે આ શબ્દનો ઉપયોગ તેમના નેતા તરીકે દેખાડવા માટે કરતો હતો. અલ ફલાહ યુનિવર્સિટીના ડૉ. મુઝમ્મિલ શકીલે ઉમર અમીર નામ આપ્યું હતું. શકીલને સૌપ્રથમ જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મૌલવી ઇરફાન અહેમદે આતંકવાદી મોડ્યુલમાં ભરતી કર્યો હતો.

અહેવાલો અનુસાર, ધરપકડ કરાયેલા અન્ય શંકાસ્પદ આતંકવાદી શાહીન સઈદે પણ પૂછપરછ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તપાસકર્તાઓએ અહેવાલ આપ્યો છે કે મુઝમ્મિલ શકીલે તેમને કહ્યું હતું કે તે ઓમર ઉન નબીના અનુભવની તુલનામાં કંઈ નથી. આતંકવાદીઓએ તેમની યોજનાનું નામ “ઓપરેશન અમીર” રાખ્યું હતું, જેમાં આત્મઘાતી બોમ્બર ઓમર તેનો નેતા હતો.

તપાસકર્તાઓએ મુઝમ્મિલ શકીલને ટાંકીને કહ્યું હતું કે ઓમર ઉન નબી નવ ભાષાઓ જાણતો હતો અને આતંકવાદી મોડ્યુલમાં સૌથી શિક્ષિત અને બુદ્ધિશાળી વ્યક્તિ હતો. મુઝમ્મિલ શકીલે આત્મઘાતી બોમ્બરને એવી વ્યક્તિ તરીકે દર્શાવ્યો હતો જે સરળતાથી પરમાણુ વૈજ્ઞાનિક બની શકે છે.

તપાસકર્તાઓએ અહેવાલ આપ્યો હતો કે મુઝમ્મિલ શકીલે કહ્યું હતું કે, “અમે તેનો (ઓમર ઉન નબી) પ્રતિકાર કરી શક્યા નહીં. તેના શબ્દો તથ્યો અને સંશોધનથી ભરેલા હતા. તે હંમેશા પોતાને અમીર કહેતો હતો અને વધુ વાત કરતો ન હતો. અંત સુધી, તે કહેતો રહ્યો કે તે ધર્મ વિશે છે અને બીજું કંઈ નહીં.” ઓમર ઉન નબી ઘણીવાર વ્હાઇટ-કોલર મોડ્યુલમાં અન્ય ડોકટરોને કહેતો હતો કે ભારતમાં વાતાવરણ મુસ્લિમો માટે ખરાબ છે. મોટા પાયે નરસંહાર થવાની સંભાવના છે, તેથી તેઓએ તૈયાર રહેવું જોઈએ.

 

મહિલાને માનસિક પીડા આપતું ‘ટોક્સિક વર્કપ્લેસ એન્વાયર્નમેન્ટ’ શું છે?

એડવર્ટાઈઝિંગ કંપનીમાં હેડ તરીકે કામ કરતી રીવાને આજે ફરી ઓફિસ પહોંચવામાં થોડું મોડું થયું. આરવી હજી નાની હોવાથી એને સંભાળવી, ઘરનું કામ અને ઓફિસ આ બધું એકલા હાથે મેનેજ કરવું એના માટે પડકારરૂપ હતું. પતિ કાર્તિક મદદ કરે, બંને સમયનું સેટીંગ કરી આરવીને ઉછેળતા. છતાં રીવાના ભાગે જવાબદારી થોજી વધારે જ આવતી. તેમ છતાં, એ પોતાના કામમાં હંમેશા સો ટકા પર્ફોર્મન્સ આપતી.

બોસ એના કામથી અત્યંત સંતુષ્ટ હતા. પરંતુ ઓફિસમાં અમુક સ્ટાફ સ્ટાફ રીવા પ્રત્યે અંદરખાને નારાજગી રાખે ગણગણાટ પણ કરે, “મેડમ તો પોતાની ઇચ્છાથી આવે અને ઇચ્છાથી જાય, એમને કોઈ બોલનાર જ નથી.” પણ કોઈ એ ન જોતું કે રીવા મોડી રાત સુધી ઘરે બેસીને પોતાનું કામ પૂર્ણ કરતી, ઘણીવાર ઓવરટાઈમ પણ કરતી.

એક દિવસ કાર્તિકને કામસર બહાર જવું પડ્યું, ત્યારે રીવા પાસે આરવીને ઓફિસમાં લઈને જવા સિવાય બીજો વિકલ્પ ન રહ્યો. એણે સર સાથે વાત કરી અને પરમીશન પણ મળી ગઈ, પરંતુ ઓફિસના કેટલાક લોકો તરત જ ગણગણાટ શરૂ કરી દીધો. હકીકતમાં રીવાને આ વાતોથી કોઈ ફેર પડતો નહોતો એ માત્ર પોતાના કામ પર જ ધ્યાન રાખતી. એ જ કારણથી કંપનીને સતત લાભ થતો.

અંતે બોસે જ ઓફીસમાં લોકોને સ્પષ્ટ કહી દીધું, “પહેલા રીવાના જેટલું કામ કરો, પછી પાછળથી બિનજરૂરી વાતો કરજો.”

અલબત્ત રીવા માટે એ દિવસો અત્યંત કઠિન હતા. કામનું દબાણ તો સંભાળી લેતી, પરંતુ લોકોની ખોટી ચર્ચાઓ અને ટોક્સિક વાતાવરણથી એનું મન વ્યથિત થતું. પોતાની નિષ્ઠા હોવા છતાં, ઓફિસ કેટલાંક લોકોના વર્તનથી તેના માટે વર્કપ્લેસ ટોક્સિક બની ગયું હતું.

મહિલાઓ અનેક ટીપ્પણીનો રોજબરોજ સામનો કરે છે

મહિલાઓના સમ્માનની વાત તો થાય છે, એમને વિશેષ માનવામાં આવે છે. પરંતુ સાથે સાથે અનેક વર્ક પ્લેસ  એમની માટે ટોક્સિક વર્કપ્લેસ બની રહ્યા છે. ઘણી વખત મહિલાઓએ એ સાંભળવું પડે છે કે, નોકરી કરતા પહેલા વિચારવું જોઈએને, નોકરી પણ કરવી છે અને મહિલા તરીકે બેનીફીટ પણ જોઈએ છે. જો પુરુષ અને સ્ત્રીની સમાનતાની વાત છે તો પછી મહિલાઓ શું કામ વર્કપ્લેસ પર કે પછી જાહેર જીવનમાં પોતાની માટે છૂટછાટ વધારે રાખવામાં આવે એવી અપેક્ષા રાખે છે, આ રીતની અનેક ટીપ્પણીનો મહિલાઓ રોજબરોજ સામનો કરે છે. ઘરમાં પણ એમને કહેવામાં આવે છે કે નોકરી કરો એનો અર્થ એ નહીં કે અન્ય જવાબદારી નહીં નીભાવવાની. હકીકતમાં મહિલાઓ આજે ટોક્સિક  એન્વાયર્નમેન્ટથી પિડાઈ રહી છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં એમટીએમ (મલ્ટી ટાસ્કિંગ મમ્મીસ)ના ફાઉન્ડર વૈશાલી વૈષ્ણવ કહે છે કે, “હું અનેક ઓર્ગેનાઈઝેશન સાથે કામ કરું છું. વુમન એમ્પાવરમેન્ટમાં આપણે ખૂબ આગળ આવ્યા છીએ, મહિલાઓ એન્ટરપ્રિન્યોર તરીકે આગળ વધી રહી છે અને ઘરના સપોર્ટમાં પણ વધારો થયો છે. પણ ટોક્સિક વર્કિંગ કલ્ચર અને ટોક્સિક એન્વાયર્નમેન્ટ આ બંને આજે પણ હકીકતમાં અસ્તિત્વમાં છે. ઓર્ગેનાઈઝેશન્સ કર્મચારીના પરફોર્મન્સનું રિવ્યુ કરે છે, તો કર્મચારીઓ પણ એના વર્કપ્લેસનું રિવ્યુ કરી શકે એવી કોઈ સ્વતંત્ર બોડી હોવી જોઈએ. મહિલાઓને સેફ વર્કપ્લેસ અને ખુલ્લેઆમ વાત કરી શકે એવું પ્લેટફોર્મ મળવું ખૂબ જરૂરી છે. જેથી એમની માનસિક હેલ્થ સારી રહે.”

મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળ વધુ પડકારજનક

મહિલાઓ વિશેષ  માન સન્માન નહીં પણ એક માનવ તરીકે  સમાન અને ન્યાયી વર્તનની અપેક્ષા રાખે છે. ટોક્સિક વાતાવરણનો અંત ત્યારે જ આવશે જયારે સમાજ અને કાર્યસ્થળ બંને જગ્યા એ મહિલાઓની મહેનત,  એમની કાર્યક્ષમતાઓ અને એમના યોગદાનને પૂર્વગ્રહ વગર સ્વીકારવામાં આવશે.

માહિતી આયોગના લીગલ આસિસ્ટન્ટ વૈદેહી મોદી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં કહે છે કે, “મહિલાઓને યોગ્ય અને સ્વસ્થ કાર્યપરિસ્થિતિ મળે એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ લોકોની વિચારસરણી આજે પણ પૂર્ણ રીતે બદલાઈ નથી. સ્ત્રી કોઈપણ ઊંચા હોદ્દા પર હોય એને હજી પણ ઘણી વખત નીચી નજરે જોવામાં આવે છે,  આ કારણે ઘણું અનુચિત વર્તન સહન કરવું પડે છે. ટોક્સિક વર્કપ્લેસ અને ટોક્સિક એન્વાયરમેન્ટ માત્ર મહિલાઓને માનસિક રીતે થકવતું નથી, પરંતુ એમને પોતાની ક્ષમતાથી ઓછી માનવામાં પણ દબાણ કરે છે. અયોગ્ય ટિપ્પણીઓ, છુપાયેલી અવગણના અને અનૂકુળ ન હોય એવું વાતાવરણ, આ બધું મળીને મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળને વધુ પડકારજનક બનાવે છે.”

મહિલાઓ છૂટછાટ નહીં પરંતુ ફ્લેક્સિબિલિટીની અપેક્ષા રાખે છે

આ મુદ્દાઓ સમગ્ર ભારતમાં અને વિશ્વ ભરમાં ઘણી કાર્યકારી મહિલાઓ દ્વારા અનુભવાયેલી જટિલ વાસ્તવિકતા છે. મહિલાઓ ક્યારેય સન્માન અને વિશેષ દરજ્જાની અપેક્ષા રાખતી નથી. પરંતુ હંમેશા કાર્યસ્થળે અને જાહેર જીવનમાં સમાન તક, ન્યાયી વ્યવહાર અને સલામત વાતાવરણની અપેક્ષા રાખે છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિક્ષક વૈશાલી પ્રશાંત રાઠોડ કહે છે કે, મહિલાઓ ને હંમેશા ટોક્સિક વાતાવરણનો સામનો કરવો પડતો હોય છે, જેમ કે,  નોકરી કરતા પહેલા વિચારવું જોઈએને- નોકરી કરવી કે ન કરવી એ સ્ત્રીની પસંદગી છે, જ્યારે પુરુષ માટે એ એક ફરજ છે આ માનસિકતા મહિલાઓની આર્થિક સ્વતંત્રતાની જરૂરિયાત અને એમની કારકિર્દીની મહત્વકાંક્ષાને ઓછી આંકે છે. મહિલાઓ છૂટછાટ નહીં પરંતુ ફ્લેક્સિબિલિટીની અપેક્ષા રાખે છે.

શું છે ટોક્સિક વર્કપ્લેસ એન્વાયર્નમેન્ટ?

મહિલાઓ માટે જ્યાં નકારાત્મકતા, પક્ષપાત અને અનાદરનું વાતાવરણ હોય છે. ઓફિસમાં બોસ કે અન્ય સહકર્મી ટીકા દ્વારા મહિલાઓ પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરે છે. એવું કાર્યસ્થળ જ્યાં દરેક કર્મચારીને સમાનતાનો અનુભવ કરાવવામાં નથી આવતો. મહિલા હોવાના કારણે કામ કરતી હોય છતાં પણ ભેદભાવ કે ઓફિસ પોલીટીક્સનો ભોગ બનવું પડે. આવા વાતાવરણમાં, કોઈ પણ વ્યક્તિ ધીમે ધીમે પોતાને એકલું સમજે છે. એનો આત્મવિશ્વાસ ઓછો થાય, દરરોજ માનસિક સ્થિતી સાથે લડત લડે. જેના કારણે તણાવ, હતાશા, બર્નઆઉટ અને અય શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે. જો કે, ઘણી વખત આવી પરિસ્થિતિમાંથી પસાર થતી મહિલાઓને એ પણ જાણ નથી હોતી કે એ ટોક્સિક વર્કપ્લેસ એન્વાયર્નમેન્ટના બોજા હેઠલ છે.

હેતલ રાવ

SIR મુદ્દે CM મમતા બેનર્જીએ ભાજપને આપી આકરી ચેતવણી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ ચૂંટણી પંચ અને SIR પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે SIR પછી જ્યારે મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર થશે, ત્યારે લોકોને ચૂંટણી પંચ અને ભાજપ દ્વારા ઊભી કરાયેલી આપત્તિનો અનુભવ થશે. તેમણે તાજેતરમાં થયેલા બિહાર ચૂંટણીનાં પરિણામોને લઈને પણ અનેક આક્ષેપ કર્યા હતા.

ભારતમાં ભાજપનો પાયો હલાવી દઈશ: CM મમતા

CM મમતા બેનર્જીએ પડકાર આપતાં કહ્યું હતું કે જો ભાજપ બંગાળમાં મને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે તો હું આખા ભારતમાં તેનો પાયો હલાવી નાખીશ. તેમણે કહ્યું હતું કે બિહાર ચૂંટણીનું પરિણામ SIRનું પરિણામ છે, વિરોધ પક્ષ ત્યાં ભાજપની ચાલ સમજી ન શક્યો. જો SIR બે-ત્રણ વર્ષોમાં કરવામાં આવે તો અમે આ પ્રક્રિયાને સંપૂર્ણ સંસાધનો સાથે સમર્થન આપીશું.

ચૂંટણી પંચ નિષ્પક્ષ સંસ્થા નથી: મમતા

મમતાએ સવાલ કર્યો હતો કે શું ભાજપ શાસિત રાજ્યોમાં SIRનું આયોજન કરવું એ બતાવે છે કે કેન્દ્ર માને છે કે ત્યાં ઘૂસણખોરો છે? SIR વિરોધ રેલીમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ હવે નિષ્પક્ષ સંસ્થા રહી નથી, એ ભાજપ કમિશન બની ગયું છે. ભાજપ રાજકીય રીતે મારો સામનો કરી શકતી નથી અને ન તો મને હરાવી શકે છે.

UP–MPમાં SIR શા માટે નથી: CM

તેમણે સવાલ કર્યો હતો કે જો SIRનો હેતુ બાંગ્લાદેશી નાગરિકોને મતદાર યાદીમાંથી દૂર કરવો છે તો ચૂંટણી પંચ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આ પ્રક્રિયા શા માટે નથી કરતો?

હું બાંગ્લાદેશને એક દેશ તરીકે પ્રેમ કરું છું કેમ કે અમારી ભાષા એક જ છે. હું બીરભૂમમાં જન્મી, નહીતર મને પણ બાંગ્લાદેશી કહેવામાં આવી હોત, એમ તેમણે કહ્યું હતું.

ઘૂસણખોરીને લઈને મમતાનો કેન્દ્રને સવાલ

‘જો રોહિંગ્યા ઘૂસે છે તો તેઓ ક્યાંથી ઘૂસે છે? બોર્ડરનું સંચાલન કોણ કરે છે? બોર્ડરનું સંચાલન કેન્દ્ર કરે છે. CISF એરપોર્ટની દેખભાળ કરે છે. કસ્ટમ વિભાગ પણ કેન્દ્ર ચલાવે છે. નેપાલ બોર્ડર કોણ સંભાળે છે? અમે આ (ઘૂસણખોરી) કેવી રીતે કરાવી દીધી? બંગાળ કબજે કરવાની કોશિશમાં ભાજપ આગામી ચૂંટણીમાં ગુજરાતમાં હારી જશે, એમ તેમણે કહ્યું હતું.

અભિનેત્રી સેલિના પહોંચી મુંબઈ કોર્ટ, પતિ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ

બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ મુંબઈની એક કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણીએ પોતાના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે.

બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ મુંબઈની એક કોર્ટમાં તેના પતિ પીટર હાગ સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરી છે. તેણીએ આરોપ લગાવ્યો છે કે તે તેના પતિ દ્વારા ભાવનાત્મક, શારીરિક, જાતીય અને મૌખિક દુર્વ્યવહારનો ભોગ બની છે.

સેલિના જેટલીએ તેના પતિ પર આરોપ લગાવ્યો

સેલિના જેટલીની અરજી મંગળવારે કોર્ટમાં સુનાવણી માટે આવી હતી. કોર્ટે પીટર હાગને નોટિસ જારી કરીને 12 ડિસેમ્બરની સુનાવણી નક્કી કરી હતી. જેટલીએ એક કાયદાકીય પેઢી દ્વારા અરજી દાખલ કરી હતી. તેણીની અરજીમાં, તેણીએ પીટર હાગ પર ઘરેલુ હિંસા અને ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો.

હિંસાને કારણે ઘર છોડવાની ફરજ પડી

47 વર્ષીય અભિનેત્રીનો દાવો છે કે તેના પતિએ તેનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું, જેના કારણે તેને ઑસ્ટ્રિયામાં રહેલું પોતાનું ઘર છોડીને ભારત પરત ફરવાની ફરજ પડી હતી. પોતાની અરજીમાં, ભૂતપૂર્વ મિસ ઇન્ડિયાએ આરોપ લગાવ્યો છે કે લગ્ન પછી, તેના પતિએ તેને કામ કરતા અટકાવી હતી. આ દંપતીએ સપ્ટેમ્બર 2010 માં લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો છે.

પતિએ છૂટાછેડા માટે અરજી કરી છે

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “પીટર હાગ એક સંયમિત વ્યક્તિ છે. તેને ગુસ્સો આવે છે અને દારૂ પીવાની આદત છે. આના કારણે સેલિના જેટલી તણાવમાં છે.” અરજીમાં વધુમાં જણાવાયું છે કે હાગે આ વર્ષે ઓગસ્ટમાં ઑસ્ટ્રિયન કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

સેલિના જેટલી આ માંગણીઓ કરે છે

સેલિના જેટલીએ માંગ કરી છે કે તેના પતિ તેને ₹50 કરોડ વળતર અને ₹10 લાખ માસિક ભરણપોષણ આપે. તેણીએ તેના ત્રણ બાળકોને મળવાની પરવાનગી પણ માંગી છે, જે હાલમાં ઑસ્ટ્રિયામાં તેમના પિતા સાથે રહે છે.

સેલિના જેટલીની પોસ્ટ

આ દરમિયાન, સેલિના જેટલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેણે તેના પરિવાર અને પતિ વિશે ઘણી બધી વાતો લખી છે. તેણે લખ્યું છે કે તેના કોઈ માતા-પિતા નથી અને તે સંપૂર્ણપણે એકલી છે. અને જે વ્યક્તિ તેને સૌથી વધુ પ્રેમ કરતી હતી તે પણ તેની સાથે નથી.