નવી દિલ્હીઃ HP ઇન્કમાં નાણાકીય વર્ષ 2028 સુધીમાં 4000થી 6000 નોકરીઓમાં કાપ થવાની શક્યતા છે. HPના વિશ્વભરની ઓફિસોમાં આ જોબ કાપનો અમલ થવાની શક્યતા છે. કંપનીએ નવેમ્બર-ઓક્ટોબર આ નિર્ણય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવા અંગેની પોતાની યોજના અંતર્ગત લીધો છે. તેનો હેતુ ઓપરેશન્સ સરળ બનાવવાનો, પ્રોડક્ટ ડેવલપમેન્ટની ગતિ વધારવા, ગ્રાહક સંતોષ વધારવા અને પ્રોડક્ટિવિટી વધારવાનો છે. HPની પ્રોડક્ટ ડેવલપમેન્ટ, આંતરિક ઓપરેશન્સ અને કસ્ટમર સપોર્ટ સંબંધિત ટીમો પર જોબ કાપની સીધી અસર પડશે. કંપનીના CEO એનરિક લોરેસે મિડિયા બ્રિફિંગ કોલ દરમિયાન આ માહિતી આપી.
કઈ ટીમોમાંથી છટણી થશે
તેમણે જણાવ્યું હતું કે પ્રોડક્ટ ડેવલપમેન્ટ, આંતરિક ઓપરેશન્સ અને કસ્ટમર સપોર્ટ સાથે જોડાયેલી ટીમો આ છટણીથી સૌથી વધુ પ્રભાવિત થશે. લોરેસે કહ્યું હતું કે આ પહેલથી ત્રણ વર્ષમાં 1 અબજ ડોલરની બચત થવાની આશા છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ એક જાહેર કરાયેલા રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ કંપનીએ 1000થી 2000 કર્મચારીઓને નોકરીમાંથી દૂર કર્યા હતા. આ દરમિયાન AI આધારિત પર્સનલ કમ્પ્યુટર્સની માગ તેજીથી વધી રહી છે અને ચોથા ત્રિમાસિકમાં કંપનીની કુલ શિપમેન્ટમાં 30 ટકા કરતાં વધુ AI સક્ષમ PC હતાં. તેમણે જણાવ્યું હતું કે અમને આશા છે કે આ પહેલથી ત્રણ વર્ષમાં એક અબજ ડોલરની બચત થશે.
AI-PCની માગ સતત વધી
AI આધારિત PCની માગ ઝડપથી વધી રહી છે. 31 ઓક્ટોબર 2025એ પૂરા થયેલી ત્રિમાસિકમાં કંપનીના વેચાણમાં આ PCનો હિસ્સો 30 ટકાથી વધુ હતો. મોર્ગન સ્ટેન્લીના વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે ડેટા સેન્ટરોમાંથી વધતી માગને કારણે વિશ્વભરમાં મેમરી ચિપોના ભાવમાં તેજી આવી શકે છે. આથી HP, Dell અને Acer જેવા ઇલેક્ટ્રોનિક ઉત્પાદકોના ખર્ચામાં વધારો થઈ શકે છે અને નફા પર દબાણ વધી શકે છે.




આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીના પટેલ, ધારાસભ્ય રીટા પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરિત થઈને, ભારત 2015 થી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. આ દિવસને પ્રસ્તાવના વાંચન અને બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો પ્રત્યે નવી પ્રતિબદ્ધતા સાથે દેશભરમાં ઉજવવામાં આવે છે.





સિન્હુઆ સમાચાર એજન્સીએ આપેલા અહેવાલ અનુસાર તેમણે યુએસ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સતત સક્રિય સહયોગની આશા પણ વ્યક્ત કરી છે. ઇન્ટરફેક્સ-યુક્રેન સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, દિવસની શરૂઆતમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડા એન્ડ્રી યર્માકે જણાવ્યું હતું કે ઝેલેન્સકી યુક્રેન કટોકટીને સમાપ્ત કરવા માટેની શરતો પર સંયુક્ત કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ટ્રમ્પ સાથે મળવા માગે છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીનો એકંદર AQI 337 રહ્યો. જે મંગળવારથી માત્ર થોડો સુધારો દર્શાવે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 39 મોનિટરિંગ સ્ટેશનોમાંથી, 34માં ‘ખૂબ જ ખરાબ’ હવાની ગુણવત્તા નોંધાઈ. જ્યારે પાંચમાં ‘ખરાબ’ શ્રેણીમાં પ્રદૂષણ સ્તર નોંધાયું.
વિશાળ NCR ક્ષેત્રમાં, નોઈડામાં પણ સતત પ્રદૂષિત હવાનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય સ્ટેશનોએ ખૂબ જ ખરાબ હવાની ગુણવત્તા નોંધાવી હતી. જેમાં સેક્ટર 1 (355), સેક્ટર 62 (304), સેક્ટર 116 (372) અને સેક્ટર 125 (399)નો સમાવેશ થાય છે, જે ‘ગંભીર’ શ્રેણીની નજીક છે.
ઐતિહાસિક CPCB ડેટા દર્શાવે છે કે દિલ્હીનો સરેરાશ AQI છેલ્લા અઠવાડિયામાં સતત જોખમી રહ્યો છે: 391 (રવિવાર), 370 (શનિવાર), 374 (શુક્રવાર), 391 (ગુરુવાર), 392 (બુધવાર), 374 (મંગળવાર) અને 351 (સોમવાર).


