Home Blog Page 2474

કંવલજીત સિંહ દેવ આનંદની નકલથી બચ્યા

ફિલ્મો સાથે ટીવી સિરિયલોથી પણ વધારે જાણીતા રહેલા અભિનેતા કંવલજીત સિંહ અચાનક જ કોઈ વિચાર કે તૈયારી વગર અભિનયમાં આવી ગયા હતા. કાનપુરમાં જન્મેલા કંવલજીતનું પહેલું નામ કૂક્કૂ હતું. જ્યારે શાળામાં દાખલ કરવાનો સમય આવ્યો ત્યારે પિતાએ પત્નીને પૂછ્યું કે નામ શું રાખીશું? ત્યારે પત્નીએ કહ્યું કે ત્યાં રજિસ્ટરમાં સરદારનું હોય એવું જે સારું નામ લાગે એ રાખી લેજો! રસ્તામાં પિતાને કંવલજીત નામ સૂઝયું એટલે બાઇક પાછું વાળીને ઘરે આવ્યા અને પત્નીની સંમતિ લીધા પછી સ્કૂલમાં જઈ એ નામ લખાવી દીધું હતું.

પિતાની વારંવાર બદલી થતી હતી એટલે ઘણા શહેરોની શાળાઓમાં કંવલજીતનો અભ્યાસ થયો. પણ અભ્યાસમાં બહુ રસ ન હોવાથી દસમા ધોરણમાં હતા ત્યારે નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ માટે પ્રયત્ન કર્યો હતો. એ સાથે પાયલોટ બનવા એરફોર્સમાં પ્રવેશ માટે પ્રયત્ન કર્યો. એ યુપીએસસીમાં પાસ થઈ ગયા. ત્યાંથી દહેરાદૂન મોકલવામાં આવ્યા. ત્યાં પાસ થયા પછી પાયલોટ માટે મેડિકલ ટેસ્ટ લેવાતો હતો ત્યાં ગયા. તપાસમાં એમને ખબર પડી કે ડાબા કાનથી એ બરાબર સાંભળી શકતા નથી એટલે વિમાન ઉડાવવાને બદલે ઓફિસમાં કામ કરવાની નોકરી માટે યોગ્ય માન્યા. કંવલજીતે એ નોકરી સ્વીકારી નહીં. એ પછી મર્ચન્ટ નેવીમાં પ્રયત્ન કર્યો ત્યાં પણ મેળ પડ્યો નહીં.

કદાચ કંવલજીતના નસીબમાં અભિનયમાં જ જવાનું લખ્યું હશે. બન્યું એવું કે એ પોતાના મિત્ર રમેશ દત્તને ત્યાં ગયા ત્યારે ફેમિના મેગેઝિનમાં પૂણેની ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટમાં અભિનયની તાલીમ લેવા પ્રવેશ માટેની જાહેરાત જોઈ. એ વાંચવાના બહાને મેગેઝીન ઘરે લઈ આવ્યા અને પિતાને વાત કરી. કંવલજીત અભ્યાસ પૂરો કરી ચૂક્યા હતા એટલે એમને કોઈ વાંધો ન હતો. કંવલજીતને ઈન્સ્ટીટ્યૂટમાં પ્રવેશ માટે ઓડિશન આપવાનો વખત આવ્યો ત્યારે અભિનયનો કોઈ અનુભવ ન હતો. માત્ર દેવઆનંદની ફિલ્મો જોતાં અને એમની નકલ કરતા હતા. જ્યારે દિલ્હી ઓડિશન માટે ગયા ત્યારે કાકાને ત્યાં રહ્યા. કંવલજીતને ઓડિશનની પરીક્ષાની જે સ્ક્રીપ્ટ મળી હતી એ બરાબર કરી શકે એ માટે એના કાકા નાટકોમાં કામ કરતા મિત્ર હબીબ તનવીરને ત્યાં લઈ ગયા. કંવલજીતે દેવ આનંદની સ્ટાઇલમાં માથું હલાવીને અને ચાલીને સ્ક્રીપ્ટ વાંચી. એમણે દેવ આનંદને ભૂલીને સહજ રીતે અભિનય કરવા કહ્યું.

કંવલજીતની હબીબ સાથેની મુલાકાત ઉપયોગી બની રહી. દેવ આનંદની નકલ ના કરી એ કારણે જ એમને પ્રવેશ મળી શક્યો હતો. એ ત્યાં તાલીમ લેતા હતા ત્યારે નિર્દેશક કમાલ અમરોહીની પુત્રી પોતાની કોઈ મિત્રને મળવા આવી હતી. ત્યાં થિયેટર હતું એમાં એક ફિલ્મના શોમાં કંવલજીત બેઠો હતો. ત્યાં એ એની આદત મુજબ ફિલ્મ સાથે પોતાની કમેન્ટ આપ્યા કરતો હતો. એ જોઈને કમાલની પુત્રીએ પિતાને ફોન કર્યો કે તમારે જે ‘હુસૈન’ જોઈએ છે એ મળી ગયો છે. અસલમાં ‘પાકિઝા’ ના નિર્દેશક કમાલ ‘શંકર હુસૈન’ (૧૯૭૭) બનાવવા જઈ રહ્યા હતા. કંવલજીત એફટીઆઈમાંથી પાસ થઈને બહાર આવ્યો એટલે કમાલે તરત એને ફિલ્મ માટે સાઇન કરી લીધો. કમાલે આમ તો આ એક ક્વીકી ફિલ્મ તરીકે શરૂ કરી હતી પણ એને બનવામાં ત્રણથી વર્ષ નીકળી ગયા. એ પછી કંવલજીતને મળેલી નિર્દેશક આર. એલ. દેસાઈની ‘દાસ્તાન-એ- લૈલા મજનૂ’ (૧૯૭૪) પહેલી રજૂ થઈ ગઈ હતી. અને ટીવી સિરિયલ ‘બુનિયાદ’ થી એવી શરૂઆત થઈ કે વર્ષો સુધી ફિલ્મો સાથે નાના પડદે પણ કામ મળતું રહ્યું.

રાશિ ભવિષ્ય 30/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિકકે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.

પંચાંગ 30/09/2023

જુહૂ બીચ પર સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયાં અમૃતા ફડણવીસ, રાજકુમાર રાવ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ 29 સપ્ટેમ્બર, શુક્રવારે મુંબઈમાં જુહૂ દરિયાકાંઠે સ્વચ્છતા ઝુંબેશમાં સામેલ થયાં હતાં. એમની સાથે બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી તથા ‘મિસ વર્લ્ડ-2017’ માનુષી છિલ્લર પણ જોડાયાં હતાં. ગઈ કાલે ગણેશ વિસર્જન બાદ જુહૂ બીચ પર કચરાનો ઢગલો થયો હતો. તે દૂર કરવા માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આઇસી15 ઇન્ડેક્સ 821 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં અનેક દિવસની નરમાશ બાદ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. મેક્રોઈકોનોમિક પરિસ્થિતિમાં થયેલા સુધારાને કારણે આ વધારો થયો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.39 ટકા (821 પોઇન્ટ) વધીને 35,107 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,286 ખૂલ્યા બાદ 35,344ની ઉપલી અને 34,267ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના કોઇનમાંથી ચેઇનલિંકને બાદ કરતાં બધા કોઇન વધ્યા હતા. ટ્રોન, સોલાના, યુનિસ્વોપ અને ઈથેરિયમમાં 3થી 5 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, ફ્રાન્સ, સિંગાપોર અને સ્વિટઝરલેન્ડની કેન્દ્રીય બેન્કોએ સરહદ પારના પેમેન્ટ માટે બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સની સાથે મળીને પ્રોજેક્ટ મરિયાનાની સંયુક્ત ચકાસણી કરી છે. બીજી બાજુ, બ્રાઝિલની કેન્દ્રીય બેન્કના ગવર્નરે ક્રીપ્ટો માટે કડક નિયમન લાદવા પર ભાર મૂક્યો છે.

એક અહેવાલ મુજબ આર્જેન્ટિનાના બ્યુનોસ એર્સની સ્થાનિક સરકાર રહેવાસીઓને એમના દસ્તાવેજો ડિજિટલી ઉપલબ્ધ કરાવવા માટે બ્લોકચેઇન આધારિત ડિજિટલ આઇડી આપવાનો પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. આ દસ્તાવેજોમાં લગ્ન પ્રમાણપત્ર અને જન્મ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.

‘ગણપત’નું ટીઝર રિલીઝ કરાયું: એક્શન, રોમાંચનું પેકેજ

મુંબઈઃ બોલીવુડના એક્શન હિરો ટાઈગર શ્રોફને શિર્ષક ભૂમિકામાં ચમકાવતી ‘ગણપત’ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ટાઈગર એક બોક્સરના રોલમાં છે. ટીઝરમાં જોઈ શકાય છે કે વિઝ્યુઅલ ઈફેક્ટ્સ આંતરરાષ્ટ્રીય કક્ષાની છે.

ફિલ્મમાં ટાઈગર ઉપરાંત કૃતિ સેનન, અમિતાભ બચ્ચન, એલી એવરામ, જમીલ ખાન તથા અન્યોની પણ ભૂમિકા છે. વિકાસ બહલ, જેકી ભગનાની, વાશુ ભગનાની અને દીપશિખા દેશમુખ દ્વારા નિર્મિત તેમજ વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આવતી 20 ઓક્ટોબરે હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં એક સાથે રિલીઝ થવાની છે. વિકાસ બહલ આ પહેલાં ‘ક્વીન’ અને ‘સુપર 30’ ફિલ્મો બનાવી ચૂક્યા છે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩

મુંબઈ : ગણપતિ વિસર્જન સાથે જ બાપ્પાએ લીધી વિદાય

ગઈકાલે અનંત ચૌદશ સાથે ગણેશોત્સવની સમાપ્તિ થઈ છે. ગણપતિ વિસર્જન સાથે જ બાપ્પાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ભગવાન ગણેશની મૂર્તિઓનાં વિસર્જન સાથે મુંબઈમાં લોકોએ બાપ્પાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. ગઈકાલે વહેલી સવારથી શરુ થયેલા વિસર્જનમાં આજે સવારે ૩ વાગ્યા સુધીમાં ૩૭,૫૯૯ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ દરમિયાન કોઈ અણબનાવ બન્યો નહોતો.

(દીપક ધૂરી)

ઈસ્કોન સંસ્થાએ મેનકા ગાંધીને રૂ.100 કરોડના માનહાનિ કેસની નોટિસ મોકલી

નવી દિલ્હીઃ ‘ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન) દેશની સૌથી મોટી દગાબાજ સંસ્થા છે, કારણ કે એ તેની ગૌશાળાની ગાયો કસાઈઓને વેચે છે.’ આવું વિવાદાસ્પદ નિવેદન કરવાનું ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધીને ભારે પડી ગયું છે. ઈસ્કોન સંસ્થાએ એમને રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ કરવાની નોટિસ આપી છે.

ઈસ્કોન, કોલકાતાના વાઈસ-પ્રેસિડેન્ટ અને પ્રવક્તા રાધારમણ દાસે X (અગાઉના ટ્વિટર) પર મૂકેલી પોસ્ટમાં કહ્યું છે, ‘ઈસ્કોન સામે સદંતર પાયાવિહોણા આક્ષેપો કરવા બદલ અમે આજે શ્રીમતી મેનકા ગાંધીને રૂ. 100 કરોડના માનહાનિના દાવાની નોટિસ મોકલી છે. આ બદનામીભર્યા, નિંદાત્મક  અને કમનસીબ આક્ષેપોથી ઈસ્કોનના દુનિયાભરમાંના ભક્તો, સમર્થકો અને શુભેચ્છકોને અત્યંત દુઃખ થયું છે. ઈસ્કોન સામે આવા ખોટા પ્રચાર સામે ન્યાય મેળવવા માટે અમે કોઈ કસર બાકી નહીં રાખીએ.’

મેનકા ગાંધી ઉત્તર પ્રદેશના સુલતાનપુર મતવિસ્તારમાંથી ભાજપાનાં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ જનાવરોનાં અધિકારો માટે લડત ચલાવવા માટે પણ જાણીતાં છે. ગઈ 27 સપ્ટેમ્બરે મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. એમાં તેઓ એવું બોલતાં સંભળાય છે કે, ઈસ્કોન દેશની સૌથી મોટી દગાખોર સંસ્થા છે. એણે ગૌશાળાઓ બનાવીને એમાંથી મોટા ફાયદા મેળવ્યા છે. તેણે ગૌશાળાના આધાર પર સરકાર પાસેથી પણ જમીનના રૂપમાં મોટો ફાયદો મેળવ્યો છે. ઈસ્કોન તેની બધી ગાય કસાઈઓને વેચે છે. મેનકાનાં આ આક્ષેપને ઈસ્કોન સંસ્થા તરત જ રદિયો આપ્યો હતો.

સાંભળવુંએ એક સમસ્યા બની રહી છે

આતંકનો અંત થવાનો જ છે. જે શરૂઆતમાં ન હતું તે સમાપ્ત થઈને જ રહેશે. સૃષ્ટિ નાટકના અંતની સેકન્ડો પોતાના ચિન્હો પ્રત્યક્ષ કરી રહી છે. આતંકનું કારણ માનવ મનની કમજોરી છે, ન કે બહાદુરી. પોતાની અંદર તોફાન મચાવવા વાળા કામ-ક્રોધના વિરુદ્ધ આતંક મચાવવો તો યોગ્ય છે. પરંતુ તેને પોતાની અંદર પ્યાર ભરી પાલના આપી વધારતા જવું અને બહારના જગતમાં પોતાના મનુષ્ય ભાઈઓ પ્રત્યે દુ:ખદાયક સંજોગો નિર્માણ કરવા ખૂબ- ખૂબ નુકસાનકારક છે.

જેવી રીતે જ્યાં સુધી કોઈ એક વ્યક્તિની અંદર પણ મેલેરિયાના જીવાણુ હોય તો મેલેરિયા નિવારણ અભિયાનની સફળતા શંકાના ઘેરામાં આવી જાય છે, કેવી રીતે જો કોઈ એક વ્યક્તિના મનમાં પણ વિકારોના આતંકનો અંશ હશે તો આતંક મુક્ત વિશ્વ નો સંકલ્પ સાકાર નહીં થઈ શકે. આ માટે દરેક મનુષ્યએ પોતાની અંદર તપાસ કરવી જોઈએ કે કયો વિકાર મારી અંદર આતંક મચાવી રહેલ છે? તથા તેને કઈ રીતે સમાપ્ત કરી શકાય? આશા છે કે આતંક મુક્ત વિશ્વની ઈચ્છા ધરાવતા આત્માઓ પોતાનું ચેકિંગ કરી તેના પરિણામોને પ્રભાવશાળી રૂપથી લાગુ કરશે.

એક માતાની તેના પુત્રને શિખામણ – સ્કૂલેથી સીધો ઘેર આવજે, કોઈ મિત્રને ઘેર જઈને સમય ન બગાડતો. જાદુગરનો ખેલ જોવા ન ઉભો રહેતો. પરીક્ષા નજીક આવી રહી છે સમય બચાવતા શીખો અને સ્કૂલમાં રમત-ગમત કરવાનું થોડો સમય બંધ રાખો. મમ્મીને તો હંમેશા ભાષણ આપવાની ટેવ છે. તેને તો સામાજિક-રાજકીય નેતા બનવું જોઇતું હતું. હું તો ભાસણ સાંભળી-સાંભળીને થાકી ગયો. બબડતો- બબડતો પુત્ર ઉઠ્યો અને સ્કૂલ તરફ ભાગ્યો.

કાર્યાલય ખુલતાજ અધિકારીએ પટાવાળાને કહ્યું કે તમે રોજ ફાઇલોને અહીં તહીં કરી દો છો, સફાઈ બરાબર કરતા નથી, હું બોલાવું છું ત્યારે સાંભળતા નથી, ઓફીસની બહારનું કામ આપું છું તો બજારમાં ફરીને પોતાના કામ કરીને પાછા આવો છો, આજકાલ રજાઓ બહુ જ લો છો.

પટાવાળો વિચારે છે કે સાહેબને શું થયું છે? શું શરાબ પીને આવે છે? આવીને તરત ભાષણ આપવાનું શરૂ કરી દે છે. મનમાંને મનમાં બબડતો પટાવાળો ઝાડુ ઉઠાવીને કાર્યાલયની બહાર જતો રહ્યો.

આમ સાંભળવુંએ એક સમસ્યા બની રહી છે. આ સમસ્યા ફક્ત વિદ્યાર્થી કે પટાવાળાની નથી પરંતુ આપણા માંથી ઘણા બધાની છે. આપણી મુખ્ય ફરિયાદ એ છે કે આપણે સાંભળીને થાકી ગયા છીએ, બોલીને નહીં. અહીં સૃષ્ટિ રૂપી રંગમંચ ઉપર બોલવામાં હીરો અને સાંભળવામાં ઝીરો પાત્ર જ દેખાઈ દે છે.

બીજી બાજુ સમાજમાં એક એવો વર્ગ પણ ઊભો થઈ રહ્યો છે કે જે કહે છે કે મારો કોઈ સાંભળતું નથી. ઉમર લાયક વ્યક્તિ કહે છે કે મારી ઘરની વ્યક્તિઓ મારી વાત નથી સાંભળતા, તેમના કર્મો મારા વિચારો સાથે મેળ નથી ખાતા. બાળકોની ફરિયાદ છે કે માતા- પિતા તેમની ઈચ્છા અમારા ઉપર નાખી દે છે, અમને અમારા વિચારો પ્રમાણે નથી ચાલવા દેતા. કર્મચારી એ બાબત થી પરેશાન છે કે અધિકારી તેમની વાત ઉપર ધ્યાન નથી આપતા, સમસ્યાઓ દૂર નથી કરતા અને કામ કરાવે છે મશીન સમજીને.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)