મુંબઈ : ગણપતિ વિસર્જન સાથે જ બાપ્પાએ લીધી વિદાય

ગઈકાલે અનંત ચૌદશ સાથે ગણેશોત્સવની સમાપ્તિ થઈ છે. ગણપતિ વિસર્જન સાથે જ બાપ્પાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ભગવાન ગણેશની મૂર્તિઓનાં વિસર્જન સાથે મુંબઈમાં લોકોએ બાપ્પાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. ગઈકાલે વહેલી સવારથી શરુ થયેલા વિસર્જનમાં આજે સવારે ૩ વાગ્યા સુધીમાં ૩૭,૫૯૯ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ દરમિયાન કોઈ અણબનાવ બન્યો નહોતો.

(દીપક ધૂરી)