Home Blog Page 1873

પંચાંગ 03/05/2024

ઉનાળાના ધગધગતા તાપમાં ભરપૂર એનર્જી આપે છે આ પાંચ ડ્રિંક

ઉનાળાની ઋતુમાં ઘણા મોસમી ફળો અને શાકભાજીઓ વિપુલ પ્રમાણમાં હોય છે. આનું સેવન કરવાથી તમે ઉનાળાની ઋતુમાં થતી સમસ્યાઓથી દૂર રહી શકો છો. આ સિવાય હેલ્ધી ડ્રિંક પીવાથી હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનથી પણ રક્ષણ મેળવી શકાય છે. સત્તુનું ડ્રિંક, નાળિયેરનું પાણી, છાશ એ કેટલાક પ્રવાહી પીણાં છે જે તમને ઉનાળામાં અંદરથી ઠંડક આપે છે. આ સાથે શરીરને ઘણા પોષક તત્વો પણ પૂરા પાડે છે. ઉનાળામાં ફાયદઓ આપે એવા 5 હેલ્ધી ડ્રિંક વિશે જાણીએ. આ ઉનાળામાં તમે ડાયેટમાં આનો સમાવેશ કરી શકો છો.

સત્તુનું ડ્રિંક- સત્તુ આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે અને તેમાં સોડિયમ ઓછું હોય છે. તે શરીરને ઝડપી ઉર્જા પ્રદાન કરે છે અને શરીરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સત્તુ આંતરડા માટે સારું છે, કારણ કે તેમાં ઘણા બધા અદ્રાવ્ય ફાઇબર હોય છે. તે ગેસ, કબજિયાત અને એસિડિટીને પણ નિયંત્રિત કરે છે, જે તેને ઉનાળા માટે એક આદર્શ ઠંડક બનાવે છે.

છાશ- દહીંમાં મીઠું અને મસાલા ઉમેરીને બનેલી છાશ શરીરની ગરમી ઘટાડવામાં અને ડિહાઇડ્રેશનને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે. ઉનાળામાં ઘણીવાર શરીરમાં પાણીની ઉણપ જોવા મળે છે, તેનાથી બચવા માટે છાશ એક ઉત્તમ પીણું છે. ઉનાળામાં છાશ પીવાથી ગરમીની ફોલ્લીઓ અને સામાન્ય બેચેની જેવી આ ઋતુમાં થતા રોગોને દૂર કરવામાં મદદ મળે છે.

કાકડી, મિન્ટ ડ્રિંક– કાકડી અને ફુદીનામાંથી તૈયાર કરવામાં આવેલ પીણું પણ ઉનાળામાં પીવા માટે એક ઉત્તમ અને ઠંડુ અને તાજગી આપનારું પીણું છે. તે તેની ઠંડક ક્ષમતા સાથે હીટ સ્ટ્રોકની શક્યતા ઘટાડી શકે છે. તે શરીરમાં ડીહાઈડ્રેશનને પણ અટકાવે છે કારણ કે કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.

નારિયેળનું પાણી- નારિયેળનું પાણી કુદરતી હાઇડ્રેટર છે. નાળિયેર પાણી પીવાથી પરસેવા દ્વારા ઉત્સર્જન થતા માનવ શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપને દૂર કરી શકાય છે. તેને પીતાની સાથે જ શરીર પર ઠંડકની અસર થાય છે. તે ઉનાળાની ઋતુમાં આપણી પાચનતંત્રને પણ યોગ્ય રાખે છે. પેટની અસ્તર પર બળતરાની સમસ્યાને ઓછી કરે છે.

બીલાનો રસ: બીલા એક એવું ફળ છે જે ઉનાળાના કાળઝાળ દિવસોમાં ઉર્જા વધારવાનું કામ કરે છે. તેનો રસ પીવાથી શરીરને ઠંડક મળે છે. બીલાનો રસ રિબોફ્લેવિનથી ભરપૂર હોય છે. તેમાં બી-વિટામિન પણ હોય છે, જે ગરમીના દિવસોમાં શરીરની એનર્જી સપ્લાય જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉનાળામાં દરરોજ એક ગ્લાસ ઠંડું શરબત પીવો. તેમાં ફાઈબર હોય છે, જે ન માત્ર કબજિયાતની સમસ્યાને દૂર કરે છે પરંતુ પાચનને પણ સ્વસ્થ રાખે છે.

પંચમહાલ: પુનરાવર્તન કે પરિવર્તન?

પંચમહાલ: ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ 7મી સદીમાં પંચમહાલની સ્થાપના કરી હતી. જેનું મુખ્યાલય ગોધરા છે. આ જ જિલ્લામાં ઑટોમોબાઈલ કંપની જનરલ મોટર્સનું કારખાનું છે. પંચમહાલ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી અને 2009માં ત્યાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ. છેલ્લી પાંચ ચૂંટણીથી ભાજપે અહીં પકડ જમાવી રાખી છે. ક્ષત્રિય, મુસ્લિમ અને કોળી સમાજ અહીં પ્રભુત્વ ધરાવે છે. 

ઉમેદવાર

ભાજપ: રાજપાલસિંહ જાદવ

મૂળ કાલોલ તાલુકાના કરોલી ગામના વતની છે. બી.એ.ની ડિગ્રી ધરાવે છે. વર્ષ ૧૯૯૮માં RSSમાં જોડાયા બાદ વર્ષ ૨૦૦૦થી ભાજપમાં સક્રિય છે. રાજપાલસિંહ વર્ષ ૨૦૦૧માં કરોલી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા અને ૨૦૧૭માં જિલ્લા પંચાયતની કરોલી બેઠક પરથી જીત મેળવી. જ્યારે ૨૦૧૯માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. વર્ષ ૨૦૨૧થી જિલ્લા ભાજપના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળનાર રાજપાલસિંહને સીધા લોકસભામાં લઈ જવાનો ભાજપે નિર્ણય કર્યો છે.

કોંગ્રેસ: ગુલાબસિંહ ચૌહાણ

કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને પંચમહાલ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. લુણાવાડા 122 વિધાનસભા સીટ પર 26,620 મતની લીડથી જીતેલ ઉમેદવારને લોકસભાની ટિકિટ મળતાં ગુલાબસિંહના સમર્થકોમાં ભારે મતોથી જીતની આશા વ્યકત કરી છે. ગુલાબસિંહ ચૌહાણ 2006થી 2010 સુધી વિરાણીયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે. 2015 થી 2020 સુધી જિલ્લા પંચાયત મહીસાગરના સભ્ય રહ્યા છે. 2019 અને 2022ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ ઉપરાંત તેઓ મહીસાગરમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી છે.

PROFILE

  • પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલ
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના રતનસિંહ રાઠોડ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 4,28,541 વોટની લીડથી જીત્યા હતા.

 

  • મતદારોની સંખ્યા

કુલ મતદારો      18,89,945

પુરુષ મતદાર     9,63,535

સ્ત્રી મતદાર       9,26,380

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક વિજેતા પક્ષ વોટ લીડ
ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ 1,21,348 61,919
બાલાસિનોર માનસિંહ ચૌહાણ ભાજપ 92,501 51,422
લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ 72,087 26,620
શહેરા ગેલાભાઈ આહિર ભાજપ 1,07,775 47,281
મોરવા હડફ(ST) નિમીષા સુથાર ભાજપ 81,897 48,877
ગોધરા સી. કે. રાઉલજી ભાજપ 96,223 35,198
કાલોલ ફતેસિંહ ચૌહાણ ભાજપ 1,41,686 1,15,679

પંચમહાલ બેઠકની વિશેષતા

  • 1951ના સમયે આ બેઠક પંચમહાલ્સ કમ બરોડા ઇસ્ટ બેઠક હતી.
  • 1957 અને 1962ની ચૂંટણીમાં આ સીટનું નામ પંચમહાલ્સ થયું. પછી ગોધરા નામથી આ સીટ અસ્તિત્વમાં આવી.
  • આ બેઠક 2008 સુધી ગોધરા લોકસભા બેઠક હતી. 2009થી નવા સીમાંકન બાદ તે પંચમહાલ બેઠક તરીકે ઓળખાય છે.
  • 1957માં થયેલ ચૂંટણીમાં કોંગ્રેસના માંગાલાલ ગાંધી આ બેઠક પરથી ચૂંટાયા હતા.
  • નવા સીમાંકન બાદ 2009માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ આ બેઠક પરથી વિજેતા બનેલા.
  • આ બેઠક પર દાહોદ, ખેડા અને પંચમહાલ જિલ્લાની વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.
  • આ બેઠક પર લગભગ 85% વસ્તી ગ્રામીણ વિસ્તારની છે જ્યારે 15% વસ્તી શહેરી વિસ્તારની છે.

પાંચ વર્ષમાં ખાદ્ય મોંઘવારીમાં થયો છે વધારો?

લોકસભા ચૂંટણી 2024 દરમિયાન નેતાઓના મોઢેથી મોંઘવારી અંગે અવાજ સંભળાતો ન હોવા છતાં જનતા તેનાથી પરેશાન છે. એક સર્વે અનુસાર લગભગ 23 ટકા લોકો તેને ચૂંટણીનો મોટો મુદ્દો માને છે.

એક રિપોર્ટ અનુસાર પાંચ વર્ષમાં ઘરે બનાવેલા શાકાહારી ખોરાકની પ્લેટની સરેરાશ કિંમતમાં 71 ટકાનો વધારો થયો છે, આ સમયગાળા દરમિયાન નિયમિત નોકરી કરતા લોકોની માસિક આવક વધી છે.જ્યારે આ સમયગાળા દરમિયાન નિયમિત નોકરી કરતા લોકોની માસિક આવક માત્ર 37 ટકા વધી છે. આ સમયગાળા દરમિયાન કામચલાઉ કામદારો (કેઝ્યુઅલ મજૂરો)ની કમાણી 67 ટકા વધી છે.મહારાષ્ટ્રમાં બે ભોજન તૈયાર કરવા માટે જરૂરી ઘટકોની સરેરાશ કિંમત આ વર્ષે 79.2 રૂપિયા, ગયા વર્ષે 64.2 રૂપિયા અને 2019માં 46.2 રૂપિયા અંદાજવામાં આવી હતી. આ રીતે, મહારાષ્ટ્રમાં એક ઘરમાં દરરોજ બે શાકાહારી થાળી બનાવવાનો માસિક ખર્ચ 2019માં 1,386 રૂપિયાથી વધીને 2024માં 2,377 રૂપિયા થઈ ગયો. મહારાષ્ટ્રમાં એક વ્યક્તિનો સરેરાશ પગાર 17 હજાર રૂપિયાથી વધીને 23 હજાર રૂપિયા થઈ ગયો છે.મહારાષ્ટ્રમાં વ્યક્તિનું દૈનિક સરેરાશ વેતન 2019માં 218 રૂપિયા પ્રતિ દિવસથી વધીને 2024માં 365 રૂપિયા પ્રતિ દિવસ થવાની ધારણા છે.

એક રિપોર્ટ અનુસાર, શાકાહારી થાળીની કિંમત માર્ચ 2024માં 7% વધીને 27.3 રૂપિયા થઈ ગઈ હતી. માર્ચ 2023માં તે 25.5 રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન માંસાહારી થાળીની કિંમત રૂ. 59.2 થી રૂ. 54.9 થી 7% ઘટીને રૂ. 54.9 થઈ હતી.

લોકસભા ચૂંટણી 2024 દરમિયાન મોંઘવારી પણ મોટો મુદ્દો રહ્યો છે. કોંગ્રેસ અને AAP જેવી વિપક્ષી પાર્ટીઓ મોંઘવારી મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધી રહી છે. સાથે PM મોદી કહી રહ્યા છે કે યુપીમાં કોંગ્રેસના શાસનમાં મોંઘવારી વધુ હતી. પ્રિયંકા ગાંધીએ હાલમાં જ એક રેલીમાં PM મોદીને મોંઘવારીનો માણસ ગણાવીને મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સંદેશખાલીની હિંસાને મુદ્દે હાઇકોર્ટની મમતા સરકારને ફટકાર

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની સંદેશખાલી હિંસાને લઈને કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકારને આદેશ આપ્યો છે કે સરકાર આ કેસમાં તપાસ માટે CBIને સહયોગ કરે. CBI સંદેશખાલીમાં TMC નેતા દ્વારા મહિલાઓના સામૂહિક યૌન ઉત્પીડન અને સંદેશખાલી ભૂમિ પર કબજો કરવાના આરોપોની તપાસ કરી રહી છે. ચીફ જસ્ટિસ TS શિવગણનમ અને જસ્ટિસ હિરણ્યમય ભટ્ટાચાર્યની ખંડપીઠે CBIની દલીલ પર ધ્યાન આપતાં કહ્યું હતું કે આદિવાસી ભૂમિ પર કબજા કરવાના સંબંધમાં પ્રાપ્ત 900થી વધુ ફરિયાદોની ખરાઈ કરવાનો સમય, રાજ્ય સરકારે કેન્દ્રીય એજન્સીની સાથે સહયોગ નથી કરી રહી.

આ મામલે એ આરોપ સામેલ છે કે શાહજહાં શેખે ગામના રહેવાસોની જમીનો જબરદસ્તી પડાવી લીધી છે, જેને આ વર્ષના પ્રારંભમાં TMCએ સસ્પેન્ડ કરી દીધો હતો અને તેના સહયોગીઓ પર ગામમાં મહિલાઓએ યૌન ઉત્પીડનનો પણ આરોપ લગાવ્યો હતો.

આરોપી શેખ આશરે 55 દિવસો સુધી ભાગ્યા પછી બંગાળની પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. 10 એપ્રિલે એક આદેશમાં કોલકાતા હાઇકોર્ટે આ કેસની તપાસ CBIને તબદિલ કરી હતી.

આજની સુનાવણીમાં ભાજપના નેતા અને વકીલ પ્રિયાંક ટિબરેવાલે કોર્ટને જણાવ્યું હતું કે તેમણે યૌન ઉત્પીડનની પીડિત મહિલાઓના ફોન આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મહિલાઓને શેખ અથવા તેના માણસોની વિરુદ્ધ કેસ નહીં નોંધાવવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે બળાત્કારના કેસ નોંધાવ્યા તો તેમણે તેની કિંમત જીવ આપીને ચૂકવવી પડશે, એવી ધમકી તેમને આપવામાં આવતી હતી, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

મતદાન જાગૃતિ માટે થયા MoU

અમદાવાદ જિલ્લાના વિવિધ ઉદ્યોગ ગૃહોમા કામ કરતા કર્મચારીઓ અને શ્રમિકો ચૂંટણીમાં પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી શકે તે માટે આજે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી. કે. તથા વિવિધ કંપનીઓના પ્રતિનિધિ વચ્ચે મતદાન જાગૃતિ વિષયક MoU થયા. જેમાં અરવિંદ મિલ્સ, ઝેડેક્સ કલોધિંગ, નેસ્લે, ઝાયડસ લાઇફ સાયન્સીસ, સુઝુકી લિ., માલ્કોન સહિતની કંપનીઓ સહભાગી બની છે.

અમદાવાદ જિલ્લાના શ્રમ વિભાગના તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ દ્વારા ઔદ્યોગિક એસોસિયેશન સાથે બેઠક કરી. તેઓની સભ્ય સંસ્થાઓના જવાબદાર પ્રતિનિધિઓને હાજરીમાં મતદાન જાગૃતિ કરવા બાબતે સ્થાનિક કક્ષાએ પણ MoU સાઈન કરાવવામાં આવ્યા છે. મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવા બાબતે પણ સંસ્થાઓ પાસેથી બાંહેધરી પત્રક લેવામાં આવ્યા છે. જિલ્લામાં આવેલ કારખાનાઓ અને સંસ્થાઓ દ્વારા કામદારોને આપવામાં આવતી પગારચિઠ્ઠીમાં ‘મારો મત, મારો અધિકાર, મતદાન મારી જવાબદારી’ સૂત્ર ઉમેરવામાં આવે તેવું સુનિશ્ચિત કરાયું છે.

વિવિધ ઔદ્યોગિક વિસ્તારો, શહેરી વિસ્તારો, તાલુકાઓ વગેરેમાં આવેલી સંસ્થાઓ, કારખાનાઓ તથા ઔદ્યોગિક વસાહતોની રૂબરૂ મુલાકાત કરી મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સંસ્થાઓ કે કારખાનાઓમાં કાર્યરત શ્રમયોગીઓનો રૂબરૂ સંપર્ક કરી લોકશાહીમાં ચૂંટણીનું કેટલું અને શું મહત્ત્વ છે તેની સમજ આપવામાં આવી રહી છે. દરેક કામદારને તેમના મતનું મહત્ત્વ સમજાવી અચૂક મતદાન કરવા બાબતે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં આવેલી તમામ સંસ્થા કારખાનાઓમાં કામ કરતા અમદાવાદ જિલ્લાના વતની દરેક શ્રમયોગી પોતાના નિયત મતવિસ્તારના રાજ્ય/જિલ્લામાં મતદાન માટે કોઈપણ અડચણ વગર જઈ શકે તે માટેની જરૂરી વ્યવસ્થા કરવા તમામ મદદનીશ શ્રમ આયુકત, સરકારી શ્રમ અધિકારીઓ રૂબરૂ તથા ઇ-મેઈલ મારફતે અપીલ કરી હતી. જેના અનુસંધાને મતદાન કરવા બાબતે શ્રમિકોને જો કોઈ અડચણ ઊભી થાય તો તે અન્વયેની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરી શકાય તે માટે સ્પેશ્યલ કંટ્રોલ રૂમ (૦૭૯-૨૫૫૦૨૮૪૨) શરૂ કરી સરકારી શ્રમ અધિકારીઓ દ્વારા આ ફરિયાદોનું તાત્કાલિક નિવારણ લાવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

જિલ્લાની તમામ અગ્રણી સંસ્થાઓ, કારખાનાઓ જેવાં કે AIA એન્જિનિયરિંગ, સુઝુકી મોટર્સ, હોન્ડા, M INDA KYORAKU LIMITED, TOYOSTU BHARAT INTIGRETED SERVICES PVT. LTD., HONDA, MILACRON INDIA LIMITED, INOX WIND, LUBI INDUSTRIES LLP વગેરે તથા અગ્રણી હોસ્પિટલો જેવા કે GCRI, SVP HOSPITAL, GCS HOSPITAL, KAKADIYA HOSPITAL વગેરે અને અગ્રણી હોટેલ સંસ્થાઓ જેવા કે HOTEL LEMON TREE, HOTEL CAMA વગેરે અગ્રણી મોલ જેવા સ્થળોએ શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા માલિકો / મેનેજરોને રૂબરૂ મુલાકાત, ઇ-મેઈલ, સોશિયલ મીડિયાના માધ્યમથી અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં અમદાવાદ યુનિવર્સિટી જેવી જિલ્લાની અગ્રણી શૈક્ષણીક વગેરેમાં વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે.

અમદાવાદ શહેરના અગ્રણી મોલ જેવા કે આલ્ફા વન મોલ, નેશનલ હેન્ડલુમ, રિલાયન્સ મોલ, ડી-માર્ટ, ઓશિયા મોલ વગેરે દ્વારા ગ્રાહકોને આપવામાં આવતા બીલ/વાઉચરના માધ્યમથી મતદાન માટે જાગૃતતા વધારે કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સૂચના મુજબ મતદાન દિવસ બાબતની જરૂરી માહિતી/સૂચનાઓ પહોંચાડી શકાય તથા તેમને ચૂંટણીને લગતી સૂચનાઓ, પરિપત્રો, હુકમો વગેરેથી માહિતગાર કરી શકાય, તે માટે ૧૦૦ કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતી સંસ્થાઓના પ્રતિનિધિનું વોટ્સઅપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. જેની મદદથી સકારાત્મક સંદેશાઓને ત્વરિત પ્રસારિત કરી શકાય.

ઓનલાઈન પાર્સલ ખોલતાની સાથે થયો બ્લાસ્ટ, બેના મોત

ગુજરાતના સાબરકાંઠાના વડાલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિલિવરી મળ્યા બાદ પાર્સલ ખોલતાની સાથે જ તેમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા. મૃતકોમાં 11 વર્ષની બાળકી અને 30 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

વડાલી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર રબારીએ જણાવ્યું હતું કે આ ઘટના વડાલીના વેડા ગામમાં બની હતી. આ પાર્સલ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પહોંચાડવામાં આવ્યું હતું. પાર્સલમાં કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ હતી. ઈલેક્ટ્રોનિક સાધનો લગાવતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

મૃતકની બે પુત્રીઓ ગંભીર રીતે ઘાયલ થઈ

પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ જીતેન્દ્ર હીરાભાઈ વણજારા અને તેમની પુત્રી ભૂમિકા વણજારા તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે ભૂમિકાનું સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. આ ઘટનામાં તેની અન્ય બે પુત્રીઓ, એક 9 વર્ષની અને બીજી 10 વર્ષની, ગંભીર રીતે દાઝી ગઈ હતી. બંને યુવતીઓને તાત્કાલિક હિમંતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

એક પુત્રી વેન્ટિલેટર પર સારવાર હેઠળ

આસિસ્ટન્ટ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર વિપુલ જાનીએ જણાવ્યું કે ઈજાગ્રસ્ત યુવતીઓમાંથી એકની હાલત ગંભીર છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. જ્યારે ડોક્ટરોએ યુવતીઓના એક્સ-રે કર્યા તો તેમને વાયરમાં લોખંડના ટુકડા મળ્યા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પીડિતોના એક સંબંધીએ જણાવ્યું કે પાર્સલ ઓટો રિક્ષામાં પહોંચાડવામાં આવ્યું હતું. પરિવારે આ વસ્તુ મંગાવી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ગામોને નંદનવન બનાવવાનો સમસ્ત મહાજન સંસ્થાનો સંકલ્પ

મુંબઈ: કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા હાલ દેશભરમાં શહેરો અને ગામડાઓને સ્માર્ટ બનાવવાની યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. ગામડાઓને વિવિધ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. સરકારના આ પ્રયાસોને બળ પૂરું પાડવા માટે સમસ્ત મહાજન સંસ્થાએ ઝુકાવી દીધું છે. સંસ્થાએ આની શરૂઆત ગુજરાત રાજ્યથી કરી છે.જાણીતા જૈન અગ્રણી, જીવદયાપ્રેમી, સમાજસેવી અને ‘સમસ્ત મહાજન’ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશ જયંતિલાલ શાહે આ વિશે જાણકારી આપતાં કહે છે: ‘અમે દેશનાં ગામડાઓને સ્માર્ટ નહીં, પણ પ્રાચીન કાળમાં હતા એવા સ્વાવલંબી અને નંદનવન બનાવવા માગીએ છીએ. ગુજરાતના ત્રણ ગામને અમે સ્વાવલંબી બનાવી દીધા છે. ત્યાં લોકોની માથાદીઠ આવક વધી છે, પશુઓ અલમસ્ત થયા છે અને લોકો તંદુરસ્ત થયા છે.’

ગિરીશભાઈનું કહેવું છે કે, “યોજનાનો આરંભ અમે બનાસકાંઠાના ભીલડિયાજી તીર્થ પાસેના નેસડા ગામથી કર્યો છે. આ ઉપરાંત કચ્છના મોખા ગામને નંદનવન બનાવાયું છે અને પાલિતાણાથી આશરે 18 કિ.મી. દૂર આવેલા હણઓલ ગામનો પણ દેશી પદ્ધતિથી વિકાસ કરાયો છે. આ ગામડાઓમાં ગોચરનું સ્થાન ક્યાંક ગાંડા બાવળે લઈ લીધું છે. તો ક્યાંક ગોચરની જમીન પર ઉદ્યોગો સ્થપાઈ ગયા છે. તળાવોમાંથી કાંપ કાઢવામાં આવતો નથી. અમે પ્રાચીન ભારતના મોડેલને ધ્યાનમાં રાખીને ગામડાઓને સ્વાવલંબી અને તંદુરસ્ત બનાવી રહ્યા છીએ. ગામોમાં તળાવોમાંથી કાંપ ઉલેચી ખેતરોમાં પાથરવામાં આવ્યો છે. વડ, પીપળો, આંબો, આંબલી, લીમડો, સમી, બીલી, ઔદુમ્બર, જાંબુ, કદંબ, કરંજ, અર્જુન સહિતના હજારો વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. હજારો એકરની ગોચર જમીનને બાવળમુક્ત કરવામાં આવી છે. આજે ત્યાં ગામનું પશુધન હરે-ફરે, ચરે છે. ઘાસચારા માટે પશુઓ ખેતરમાં ઘૂસી જતા નથી. પશુઓ વધુ દૂધ આપતાં થયાં છે એટલે લોકોની આવક પણ વધી છે.”

ગિરીશભાઈ ઉમેરે છે, “ગ્રામવિકાસની પ્રેરણા અમને ગુરુદેવ પરમ પૂજ્ય પન્યાસ ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ પાસેથી મળી છે. સંસ્થાનો હેતુ માત્ર ગુજરાતના જ ગામોનો જ મોડેલ વિકાસ કરવાનો નથી. અમે મહારાષ્ટ્રના જાલના જિલ્લાને દત્તક લીધો છે અને ત્યાં 350 જેટલાં તળાવો ખોદીને ઊંડા કરાયા છે. વાડા વિસ્તારના એક ગામમાં પણ વિકાસકાર્ય ચાલી રહ્યું છે. હાલ એક ગામને નંદનવન બનાવવા પાછળ સંસ્થાને આશરે રૂપિયા બે કરોડનો ખર્ચ થાય છે. અમુક ગામના વતનીઓએ એ માટે સંસ્થાને આર્થિક મદદ કરી છે. આ રીતે અન્ય દાતા પણ સમૂહમાં મદદ કરે તો સંસ્થા ગુજરાતના દરેક ગામને નંદનવન બનાવશે.”આ અને આવી અનેકવિધ સમાજોપયોગી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માંગતા હો તો ‘સમસ્ત મહાજન’ને આર્થિક સહાય આપી શકો છો. સહાયની રકમ અહીં મોકલો:

Beneficiary Name: SAMAST MAHAJAN
Bank:
HDFC Bank Ltd.
Current Account No.:
00602320006521
Branch:
Crawford Market

IFSC: HDFC0000143

FCRA Certificate No.: 41910372

——————————

Account Name: Samast Mahajan – Bank Name: State Bank of India – Account No.: 00000040102511615
IFSC Code: SBIN0000691 – SWIFT Code: SBININBB104 – Branch: New Delhi

  • ‘સમસ્ત મહાજન’ વિવિધ કંપનીના સીએસઆર ફંડના ઉપયોગ માટે માન્યતાપ્રાપ્ત સંસ્થા છે.
  • ‘સમસ્ત મહાજન’ને એફસીઆરએ હેઠળ વિદેશથી ડોનેશન મેળવવા માટે અધિકૃત સંસ્થા છે.
  • સેક્શન 80G અને 12AA અંતર્ગત સંસ્થાને આપવામાં આવતું દાન કરમુક્તિને પાત્ર છે.
  • REGISTERED WITH BSE SAMMAN,  NITI AAYOG, TISS & IICA

રાષ્ટ્રપતિ ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

બોમ્બના કોલથી દિલ્હી પોલીસના કંટ્રોલ રૂમમાં ગભરાટ ફેલાયો હતો. ફોન કરનારે પોલીસને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને તે 15 મિનિટમાં વિસ્ફોટ થશે. આટલું બોલતાની સાથે જ કોલ કરનારે ફોન સ્વીચ ઓફ કરી દીધો. ફોન આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી પોલીસે ભારે પ્રયાસ કરીને આરોપીને પકડી લીધો. આરોપીની ઓળખ રવિન્દ્ર તિવારી તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન કબજે કર્યો છે.

પોલીસની અનેક ટીમો એલર્ટ પર

પોલીસે જણાવ્યું કે સોમવારે રાત્રે પીસીઆરને ફોન આવ્યો કે રાષ્ટ્રપતિ ભવનમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. ફોન કરનારે તેનો નંબર પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસ સ્ટેશન ઉપરાંત અનેક ટીમોને એલર્ટ કરવામાં આવી હતી. પોલીસે નંબર અને તેના લોકેશન વિશે માહિતી એકઠી કરી.

નશામાં ધૂત માણસે ફોન કર્યો

જેના થકી પોલીસ સઆદતપુર પહોંચી અને આરોપીને પકડી લીધો. પોલીસ અને આઈબીએ તેની લાંબા સમય સુધી પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે તે વ્યવસાયે મજૂર છે અને તેણે દારૂના નશામાં પોલીસને ફોન કર્યો હતો. તમને જણાવી દઈએ કે બુધવારે દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બ ધડાકાને લઈને ઈમેલ આવ્યા હતા. આ પછી પોલીસ એક્શનમાં આવી હતી અને સાવચેતીના પગલા તરીકે તમામ શાળાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસને આમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું અને ઈમેલને નકલી ગણાવ્યો હતો.

અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે, ભાજપ પર કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણી નજીક આવતા રાજકારણનો પારો ઉપર ચડી રહ્યો છે. આગામી પાંચ દિવસમાં દેશનું ભવિષ્ય EVMમાં બંધ થશે. ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો મત જોડવા માટે એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પણ આજે ગુજરાત મુલાકાતે આવ્યા છે. જ્યાં રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસના અધિકારીઓ ઉપસ્થીત હતા.

પત્રકાર પરિષદમાં તેમણે હતું કે, દેશમાં લોકસભાની ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા છે ત્યારે વડાપ્રધાનને સાચી પરિસ્થિતિની ખબર પડી ગઈ છે. જેના કારણે મુદ્દા પર વાત કરવાની જગ્યાએ નિમ્ન કક્ષાની અને બેતુકી વાતો કરે છે. રાહુલ ગાંધીએ 10 હજાર કિ.મી. જેટલી ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા કરી. દેશના લોકોની સમસ્યાઓ અને અપેક્ષાઓને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષના મેનીફેસ્ટ્રો ‘ન્યાયપત્ર’ બનાવવામાં આવ્યું છે. જેમાં પાંચ ન્યાય 25 ગેરન્ટી આપી છે. પરંતુ ભાજપ ન્યાયપત્ર અંગે જુઠ્ઠાણું ફેલાવી રહી છે. કોંગ્રેસ પડકાર આપે છે કે ભાજપમાં હિંમત હોય તો કોંગ્રેસના ન્યાય પત્ર અને ભાજપના મેનીફેસ્ટ્રોના મુદ્દા આધારીત ચર્ચા કરે. ભાજપ લોકશાહીને ખતમ કરવા સતત પ્રયાસ કરી રહી છે. તો ક્યાંક બંધારણ બદલવાની વાત ભાજપના નેતાઓ કરી રહ્યાં છે. દેશમાં બે રાજ્યના ચૂંટાયેલા મુખ્યમંત્રી જેલમાં જોવા મળી રહ્યાં છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે, યુવાનોને રોજગારી નથી, તેવા સંજોગોમાં વડાપ્રધાન જમીન અને ભેસ, મંગળસુત્ર, પાકિસ્તાનની વાતો કરે છે.

60 વર્ષમાં દેશનું દેવુ  55 લાખ કરોડ હતું જ્યારે 2014 થી 2024 સુધી એટલે કે, 10 વર્ષમાં મોદી સરકારે 205 લાખ કરોડ દેવુ કરી દેશના નાગરિકો દેવાના ડુંગરમાં ધકેલી દીધા. વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતો માટે એમ.એસ.પી. ની માંગ કરતા હતા પરંતુ આજે 10 વર્ષ વડાપ્રધાન પદે રહ્યા હોવા છતાં ખેડૂતોને એમ.એસ.પી. મળતી નથી. આ બધી ગેરંટીનું શું થયું? કાળુ ધન પાછુ લાવીશું, બે કરોડ રોજગાર, ખેડૂતની આવત બમણી, સહિતની ગેરંટીઓનું શું થયું ? તેનો જવાબ વડાપ્રધાન આપે. જેમ જેમ ચૂંટણીના તબક્કાઓ આગળ વધી રહ્યાં છે તેમ તેમ મોદીજીની હડબડાહટ સ્પષ્ટ દેખાય છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરવાની જગ્યાએ ભેસ કેમ યાદ આવે છે ?

નાણામંત્રીના પતિ કહી રહ્યા છે કે ‘ઈલેક્ટોરલ બોન્ડ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે.’ જનતા મુદ્દા આધારીત, ન્યાય, હક્ક અધિકારની વાત કરતી કોંગ્રેસ પક્ષને વોટ આપશે. યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય અને હિસ્સેદારી ન્યાય થકી સામાજિક, આર્થિક, રાજકીય અસમાનતા દૂર કરવા અને લોકોને ન્યાય આપવામાં આવશે.