અમદાવાદઃ રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે સાત મેએ મતદાન છે. રાજ્યમાં પાંચ બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારોમાંથી 35 ટકા ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે 26 ટકા ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. દરેક ઉમેદવારની સરેરાશ મિલકત રૂ. 9.22 કરોડ છે. કુલ છ ઉમેદવારો ઉપર વિવિધ કેસ નોંધાયેલા છે તેમાંથી બે પર ગંભીર ગુના છે. કુલ આઠ ઉમેદવાર કરોડપતિ છે, તેમાં ચાર ભાજપના અને ચાર કોંગ્રેસના ઉમેદવાર છે. સૌથી વધુ મિલકત ભાજપના વાઘોડિયાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રૂ. 153 કરોડ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ગુજરાત ઇલેકશન વોચ દ્વારા ઉમેદવારોના સોગંદનામાને આધારે સંપત્તિ, ગુનાઓ અને શૈક્ષણિક લાયકાતનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જે પાંચ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેમાં પોરબંદરમાં છ ઉમેદવારો, માણાવદરમાં ચાર, વાઘોડિયામાં બે, વિજાપુરમાં 8 અને ખંભાતમાં ત્રણ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. કોઇ પણ બેઠક ઉપર એક પણ મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં નથી.
માણાવદરના કોંગ્રેસના ઉમેદવાર હરિભાઇ કણસાગરા પર ચિટિંગ, ખંડણીને લગતા કેસ નોંધાયેલા છે. વિજાપુરમાં ભાજપના ઉમેદવાર ડો. સી.જે. ચાવડા પર ઉશ્કેરણી, ગુનાહિત કાવતરૂ રચવાને લગતા કેસ નોંધાયેલા છે. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પર બદનક્ષી કરવાના લગતા ગુના નોંધાયેલા છે.
ભાજપના વાઘોડિયાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સૌથી વધુ મિલકત ધરાવે છે તે સાથે સૌથી વધુ જવાબદારી-દેવું પણ તેમની ઉપર કુલ રૂ. 38 કરોડનું છે. તે પછી ભાજપના સી.જે. ચાવડા પર રૂ. પાંચ કરોડ અને કોંગ્રેસના હરિભાઇ કણસાગરા પર રૂ. 1 કરોડનું દેવું છે.
પેટા ચૂંટણીના 24 ઉમેદવારોમાંથી 61 ટકા એટલે કે 14 ઉમેદવારોએ જાહેર કર્યું છે કે શિક્ષણનું સ્તર ધો. આઠથી ધો. 12 સુધીનું છે. 30 ટકા એટલે કે સાત ઉમેદવાર ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણ્યા છે. એક ઉમેદવાર ચાર ધોરણ સુધી ભણેલા છે અને નિરક્ષર છે. ઉમેદવારોમાં 30 ટકા એટલે કે સાત ઉમેદવારો 25થી 40 વર્ષ સુધીની વય ધરાવે છે, જ્યારે 39 ટકા એટલે કે 9 ઉમેદવાર 41 થી 60 વર્ષ અને 30 ટકા એટલે કે સાત ઉમેદવાર 61 થી 70 વર્ષની વયના છે.



તેમણે એક્સ પર લખ્યું છે. ‘1 વર્ષ જેઈઈની તૈયારીમાં + આઈઆઈટીમાં 4વર્ષ + પાછલી નોકરીઓમાં 6 વર્ષ, આટલા વર્ષ હું ઘરથી દૂર એકદમ એકલો હતો. મારા ગાઢ મિત્રો પણ બહુ ઓછા હતા, મારી કોઈ ગર્લફ્રેન્ડ પણ નહોતી. એમ કહું તો ચાલે કે, એકાકીપણા સાથે જ મારો ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. હું બહુ જ એકલો થઈ ગયો હતો.’




વિશેષતા


કેન્દ્રીય જળ પંચના અનુસાર દેશમાં વર્ષેદહાડે 400 અબજ ઘન મીટર વરસાદ થાય છે અને માત્ર આઠ ટકા જ સંચય થાય છે. આ આંકડો વિશ્વમાં સૌથી ઓછો છએ. વરસાદી જળ સંચથી ઘરની 70 ટકા પામીની જરૂર પૂરી કરી શકાય છે. અમિતે એક સરળતાથી ઉપયોગમાં લેવાતા વરસાદી જળ સંચયની પ્રોડક્ટ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. એક વર્ષ પછી સંશોધન અને વિકાસ પછી તેણે લોકોને વરસાદી જળ એકત્ર કરવામાં મદદ માટે એક ડિઝાઇન કર્યું જેનો ઉપયોગ બોરવેલને રિચાર્જ કરવા અને પાણી એકત્ર કરવા માટે કરી શકાય છે અને એને નીરેન રિનવોટર ફિલ્ટર નામ આપ્યું. આ નીરેનથી જૂન, 2023 સુધીમાં ત્રણ મહાદ્વીપોમાં ફેલાયેલા સાત દેશોમાં 150 અબજ લિટરથી વધુ વરસાદી જળ બચાવવામાં આવ્યું છે.
આ અંગે માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારોટે જણાવ્યું કે, લોકશાહીના આ મહાપર્વમાં તમામ લોકોએ અવશ્ય મતદાન કરી પોતાનો નાગરિક ધર્મ પાળવો જોઈએ. આ ઉપરાંત પોતાના સ્વજનો અને મિત્રોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા જોઈએ. અમારું ટ્રસ્ટ પણ આ દિશામાં છેલ્લા કેટલાય સમયથી કાર્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય ચીફ નોડલ અધિકારી, પ્રાંત અધિકારી સાણંદ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારી સાણંદ, તાલુકા શિક્ષણાધિકારી, તાલુકા શિક્ષણ સંધના હોદ્દેદારો, માનવ સેવા ટ્રસ્ટની ટીમ અને ડી. જી. પ્રાથમિક શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

