Home Blog Page 118

દહીં લચ્છા પરોઠા

ગરમાગરમ દહીં લચ્છા પરોઠા નાસ્તામાં જો ખાવા મળે તો દિવસ સુધરી જાય અને જમવામાં જો હોય તો પણ મઝા આવે એવા સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 2 કપ
  • અજમો ¼ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ¼ ટી.સ્પૂન
  • ફુદીનાના પાન અથવા તેનો સૂકો પાઉડર 2 ટી.સ્પૂન
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • શેકેલા જીરાનો પાઉડર ½ ટી.સ્પૂન
  • કોથમીર સમારેલી 2 ટે.સ્પૂન
  • ઘી 1 ટી.સ્પૂન
  • દહીં 1 કપ
  • પરોઠા શેકવા માટે ઘી અથવા તેલ

પરોઠા ઉપર ભભરાવવા માટેઃ

  • ચાટ મસાલો
  • લાલ મરચાં પાઉડર
  • ફુદીનાના પાન બારીક સમારેલાં
  • સમારેલી કોથમીર

રીતઃ ઘઉંના લોટમાં અજમો, હીંગ, ચાટ મસાલો, ફુદીનાના પાન, કાળું મીઠું, જીરા પાઉડર, કોથમીર મેળવી દો. હવે તેમાં દહીં મેળવીને લોટ બાંધી લો. જો લોટ વધુ ઢીલો હોય તો થોડો લોટ તેમાં ઉમેરી દો. પરોઠાનો લોટ બંધાઈ જાય એટલે ઘીનું મોણ તેમાં આપી, લોટ ઢાંકીને 20 મિનિટ રહેવા દો.

ત્યારબાદ પરોઠા માટે લૂવો લઈ તેની મોટી રોટલી વણી લો. આખી રોટલી ઉપર ઘી ચોપડી લો. અને લચ્છા પરોઠા માટે રોટલીની એક કિનારેથી એક સે.મીની ઘડી વાળી લઈ બીજા કિનારે સુધીના બંને છેડા થોડા દબાવીને પેક કરીને ચકરીની જેમ રોલ વાળી લઈ હાથમાં લૂવો ચપટો કરીને તેને વેલણ વડે સહેજ જાડું પરોઠું વણી લો.

પરોઠાને ત્રિકોણ અથવા ચોરસ આકારમાં પણ રોટલીને આકાર આપીને બનાવી શકાય છે.

તવાને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તવો ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી પરોઠાને તવા ઉપર શેકવા મૂકો. પરોઠું શેકાય એટલે બંને બાજુએ ઘી લગાડતા જાઓ. ધીમો તાપ રાખવો. જેથી પરોઠું અંદરથી સરખું શેકાય.

પરોઠા બધા શેકાઈ જાય એટલે પ્લેટમાં મૂકીને દરેક પરોઠા ઉપર ચાટ મસાલો તેમજ લાલ મરચાં પાઉડર ભભરાવી ફુદીનાના પાનથી પરોઠાં સજાવીને નાસ્તામાં ચા સાથે અથવા જમવામાં પંજાબી સબ્જી અને અથાણાં સાથે પીરસો.

ઉદ્ધવ ઠાકરેએ BMC અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી

મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. વિવિધ રાજકીય પક્ષો પણ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. અહીં, શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ આગામી બીએમસી ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં આજે શુક્રવારે, ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (યુબીટી) ના તમામ જિલ્લા વડાઓ, સંપર્ક વડાઓ અને ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ નેતાઓને બધી બેઠકો પર તૈયારીઓ શરૂ કરવા સૂચના આપી છે.

 

રાજ ઠાકરે સાથે ગઠબંધન અંગે ઉદ્ધવે શું કહ્યું?

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં નેતાઓને કહ્યું,”હું મનસે સાથે ગઠબંધન અંગે સકારાત્મક છું પરંતુ સ્થાનિક સ્તરે ગઠબંધન અંગે શું લાગણીઓ છે તે શોધવું મહત્વપૂર્ણ છે. સ્થાનિક સ્તરે મનસે સાથે ગઠબંધનની શક્યતાઓ શું છે, તેની તપાસ થવી જોઈએ. સ્થાનિક સમીકરણ અનુસાર અંતિમ નિર્ણય લેવામાં આવશે. ગઠબંધન છે કે નહીં, પરંતુ તમારે બધી બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરવી જોઈએ.”

ઉદ્ધવે નેતાઓને ખાસ કામ સોંપ્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરેએ નેતાઓને દરેક વોર્ડમાં ઘરે ઘરે જઈને મતદાર યાદી અનુસાર મતદારો શોધવા માટે સૂચના આપી છે કે ગત ચૂંટણીમાં 40 લાખ મતદારો કેવી રીતે વધ્યા. ઉદ્ધવ ઠાકરેએ તમામ જિલ્લા વડાઓ, સંપર્ક વડાઓને એક મહિનાની અંદર પાર્ટી મુખ્યાલયમાં પોતાનો રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું છે.

નાગરિક ચૂંટણીઓ ક્યારે યોજાશે?

હકીકતમાં, મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધીમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. રાજ્યમાં OBC અનામતના મુદ્દાને કારણે નાગરિક ચૂંટણીઓ 5 વર્ષથી વધુ સમયથી અટકી પડી હતી. સ્થાનિક સંસ્થાઓમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 248 મ્યુનિસિપલ કાઉન્સિલો, 42 નગર પંચાયતો, 32 જિલ્લા પરિષદો અને 336 પંચાયત સમિતિઓનો સમાવેશ થાય છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે BMCની ચૂંટણીઓ 227 બેઠકો માટે યોજાશે. આટલી વ્યાપક ચૂંટણીને કારણે તેને મહારાષ્ટ્રની ‘મીની વિધાનસભા’ ચૂંટણી પણ કહેવામાં આવે છે.

Watch Video: રેમો ડિસોઝાએ તેની પત્ની લિઝેલ સાથે કરી આવી મજાક

બૉલિવૂડ કોરિયોગ્રાફર, ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા રેમો ડિસોઝાએ આજે ​​પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક રમુજી વીડિયો શેર કરીને પોતાના ચાહકોને ખુશ કર્યા છે. આ વીડિયોમાં રેમો તેની પત્ની લિઝેલ સાથે મજાક કરતા જોવા મળે છે અને લિઝેલને સમજાતું નથી કે તે શું કરી રહ્યા છે.

રેમોની પોસ્ટ વાયરલ

રેમો ડિસોઝાએ આજે ​​ઇન્સ્ટાગ્રામ પર પત્ની લિઝેલ સાથેનો એક રમુજી વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એરપોર્ટનો છે કે પછી ટ્રેન સ્ટેશનનો. આ વીડિયોમાં લિઝેલ કંઈક ખાતી જોવા મળે છે અને રેમો તેની ડાન્સિંગ સ્ટાઇલમાં કંઈક કરતો જોવા મળે છે. તે ટિકિટથી લિઝેલના માથા પર હળવો માર મારે છે અને પછી હૂક સ્ટેપ કરે છે. આ રમુજી વીડિયો સાથે રેમોએ કેપ્શનમાં લખ્યું છે, ‘ટ્રેન હોય કે પ્લેન, આ બધે જ ચાલે છે. બિચારી લિઝેલને ખબર નથી કે હું શું કરી રહ્યો હતો.’

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)

સેલિબ્રિટી અને ચાહકો દ્વારા વિવિધ કમેન્ટ્સ

રેમો ડિસોઝાના આ વીડિયો પર ઘણા સેલિબ્રિટી અને ચાહકો ટિપ્પણીઓ કરી રહ્યા છે. ટીવી હોસ્ટ અને અભિનેતા મનીષ પોલે લખ્યું, ‘હાહાહા’, અભિનેત્રી મનીષા રાનીએ હસતો ઇમોજી મૂક્યો. અભિનેતા મિલાપ ઝવેરીએ લખ્યું, ‘સાહેબ પાછા આવો, હું તમારી રાહ જોઈ રહ્યો છું.’, તુષાર શેટ્ટીએ હસતો ઇમોજી શેર કર્યો. તે જ સમયે ચાહકોએ ઘણી રમુજી ટિપ્પણીઓ કરીને પોતાના મંતવ્યો પણ શેર કર્યા છે. એક ચાહકે લખ્યું, ‘મને ગોવિંદા અને રવિનાની જોડીની યાદ અપાવે છે’, બીજા ચાહકે લખ્યું, ‘વાહ રેમો સર આઉટ સ્ટેન્ડિંગ દિલ જીત લિયા સર મઝા આ ગયા’, બીજા ચાહકે લખ્યું, ‘રાજુ ભૈયા.’

રેમોની કારકિર્દી

મીડિયા અહેવાલો અનુસાર રેમોએ તેની કારકિર્દી દરમિયાન 100 થી વધુ ફિલ્મો કોરિયોગ્રાફ કરી છે. તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી સફળ અને પ્રખ્યાત કોરિયોગ્રાફર માનવામાં આવે છે. તેમણે ઘણા ભારતીય કોરિયોગ્રાફરો માટે રોલ મોડેલ તરીકે સેવા આપી છે. આ ઉપરાંત તે ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ સહિત ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળ્યો છે.

સેન્સેક્સ 1046 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી 25,000ને પાર

અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ઘરેલુ શેરબજારોમાં તેજી થઈ હતી. જેશી સેન્સેક્સ 1000 પોઇન્ટ અને નિફ્ટી 25,000ને પાર થયો હતો. NSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 2.11 ટકા વધ્યો હતો. આ સાથે બેન્ક નિફ્ટી, નિફ્ટી PSU અને નિફ્ટી પ્રાઇવેટ બેન્ક પણ એક ટકા તેજી સાથે બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિમાં 4.8 લાખ કરોડનો વધારો થયો હતો.

અમેરિકાએ કહ્યું હતું કે ઇરાન-ઇઝરાયેલ મુદ્દે તત્કાળ સૈનાની કાર્યવાહી નહીં કરવામાં આવે. એનાથી જિયો પોલિટિકલ ટેન્શન ઘટતાં શેરોમાં તેજી થઈ હતી. આ ઉપરાંત બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 2.45 ટકા ઘટીને 76.92 ડોલર પ્રતિ બેરલ પર આવ્યું હતું. જે ભારત માટે સકારાત્મક છે, કેમ કે ભારત એની મોટા ભાગની જરૂરિયાતના 80 ટકા આયાત પર નિર્ભર કરે છે.

આ ઉપરાંત ફોરેક્સ માર્કેટમાં ડોલરની તુલનાએ રૂપિયો મજબૂત થયો હતો. ડોલરની તુલનાએ 13 પૈસા વધીને રૂ. 86.60 પર આવ્યો હતો. જેથી સેન્સેક્સ 1046 પોઇન્ટ ઊછળી  82,408ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 319 પોઇન્ટ ઊછળીને 25,112.40ના સ્તરે બંધ રહ્યો હતો. આ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારોમાં ધૂમ ખરીદી કરી હતી, FIIએ રૂ. 934 કરોડ અને DIIએ રૂ. 605 કરોડની લેવાલી કરી હતી.

BSE પર કુલ 4094 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2463 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1484 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 147 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 83 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 84 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 186 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 227 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

પ્રેક્ષકને આંતરખોજ કરવાની પ્રેરણા આપતી સિતારે ઝમીં પર…

અઢાર વર્ષ પહેલાં આમીર ખાને આપણને ‘તારે ઝમીં પર’ આપેલી. હવે એનો બીજો પાર્ટ લઈને આવે છેઃ ‘સિતારે ઝમીં પર’. પહેલી ફિલ્મની જેમ આમાં પણ વાત છે જાતમાં વિશ્વાસ કરવાની અને… દરેક બાળકમાં એક અસામાન્ય કહેવાય એવી પ્રતિભા છુપાયેલી હોય જ છે. જરૂર હોય છે એને બહાર કાઢવાની થવા એવી વ્યક્તિની જે એ પ્રતિભા બહાર કાઢી જગ સામે મૂકી આપે. ‘તારે ઝમીં પર’ ફિલ્મમાં એક શિક્ષક સ્લો લર્નર બાળકની અંદર છુપાયેલો કલાકાર બહાર લાવે છે. અહીં રાઈટર દિવ્ય નિધિ શર્મા એક ખંતીલા પ્રશિક્ષકની અને સમાજ જેમને સ્પેશિયલ કહે છે એવાં બાળકોની ટીમની વાત માંડે છે. ટીમ સાથે પ્રશિક્ષકનો સંબંધ એક સંવેદનશીલ બળવા સ્વરૂપે સામે આવે છે.

આશરે બે કલાક ચાળીસ મિનિટની ફિલ્મમાં આમિર ખાન બન્યો છે બાસ્કેટબૉલ કોચ ગુલશન. સ્વકેન્દ્રી, અકડુ અને લાગણીવિહીન ગુલશનના પોતાના જીવનમાં લોચાલાપસી છેઃ તૂટતા વૈવાહિક સંબંધ, અસ્ત થઈ રહેલી કરિયર, અંતરમાં ઘર કરી બેઠેલાં દૈત્યો સાથેની સતત લડાઈ… બાસ્કેટબૉલના કોચ તરીકે ગુલશન કંઈ એવું કરી બેસે છે કે પુલીસ ફરિયાદ થાય છે, કોરટમાં કેસ ચાલે છે. જો કે એ રીઢો ગુનેગાર નથી એટલે અદાલત એને વૉર્નિંગ આપીને છોડી મૂકે છે અને કમ્યૂનિટી સર્વિસ તરીકે ન્યુરોડાયવર્જન્ટ બાળકોની ટીમને બાસ્કેટબૉલનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી સોંપે છે. શરૂઆતમાં એને લાગે છે કે આના કરતાં જેલ થઈ હોત સારું થાત.

ઑટીઝમ, ડાઉન સિન્ડ્રોમવાળાં બાળકો ગુલશનને વરઘોડામાં નાચતા જાનૈયા જેવા લાગે છે. ગીત-સંગીત કોઈ બી હોય, જાનૈયા નાચવાના પોતાની રીતે જ. ગુલશનની મુશ્કેલી એ છે કે બીજાની વાતને, બીજાને સમજતાં એને આવડતું નથી. એટલેસ્તો પત્ની સુનીતા (જેનેલિયા દેશમુખ) સાથે સમસ્યા છે. ગુલશનની સ્વાભાવિક અસંગતતા એને જીવનના સાચા તાલ સાથે જોડી આપે છેઃ નવી બાસ્કેટબૉલ ટીમને કોચિંગ આપવાના પ્રવાસ સાથે એની અંતરયાત્રા શરૂ થાય છે. આ બાળકો પાસેથી એને અંદરના ભય, દુઃખ સાથે સામનો કરવાની, બીજાને સમાદર આપવાની, પ્રેમ-અનુકંપાની જ્યોત જગાવવાની પ્રેરણા મળે છે. એક તરફ ટીમનો ટુર્નામેન્ટમાં આગળ વધવાનો પ્રવાસ છે, તો બીજી તરફ ગુલશનની જાતને શોધવા તરફ, સ્વની ઓળખ મેળવવાની યાત્રા છે. ટીમને ટ્રેનિંગ આપતાં આપતાં એ પોતાનું જીવન કેવી રાતે સુખી, સરળ બનાવવું એની ટ્રેનિંગ લેતો જાય છે, એનું પોતાનું ટ્રાન્સફૉર્મેશન થતું જાય છે.

2017માં ‘શુભ મંગલ સાવધાન’ જેવી એક મજેદાર ફિલ્મ આપનાર ડિરેક્ટર આર. એસ. પ્રસન્ના આઠ વર્ષ ફિલ્મ-મેકિંગથી દૂર રહ્યા, પણ એ આ વિષયને પકવી રહ્યા હતા. એમણે ફિલ્મની માવજત એવી રીતે કરી છે કે એક પળે તમે ખડખડાટ હસો છો, તો બીજી પળે તમારી આંખો ભીની થાય છે. ફિલ્મની મને ગમી ગયેલી અનેક વાતોમાંની એક વાત તે એ કે અહીં ન તો કોઈ ઉપદેશ આપવામાં આવ્યો છે કે ન તો નાટકીયવેડા છે. ઑટીઝમ કે ડાઉન સિન્ડ્રોમ વિશેની સમજણ આપવાના ફંદામાં સર્જક પડતા નથી. ફિલ્મનો એકમાત્ર ઉદ્દેશ છે એ સમજાવવાનો કે આપણાથી અલગ હોય એની સાથે કેવી રીતે પેશ આવવું. જેમ કે ફિલ્મમાં એક બાળકને સ્નાન કરવાનો ડર છે. એનો ડર ગુલશન કેવી રીતે કાઢે છે એ ઘણું બધું શીખવી જાય છે. આવા સીન્સ સાવ સહજ અને જીવંત લાગે છે.

આ ફિલ્મ બાળકોનાં દુઃખમાંથી દયા જન્માવતી નથી, પણ આનંદ કરાવતાં કરાવતાં આત્મબોધ આપે છેઃ ફરીથી ઊઠો, કૉફીની સુગંધમાં વસંત અનુભવો, ફૂલોના રંગોમાં વિશ્વાસ રાખો અને ઊગતા સૂર્યને ફરીથી આવકારો, કારણ કે દરેક માણસનું પોતાનું એક નૉર્મલ હોય છે- “હરેક કા અપના નૉર્મલ હોતા હૈ”. કોઈને માટે ન્યુરોડાઈવર્સિટી ઈઝ નૉર્મલ. તમારું નૉર્મલ જુદું, મારું નૉર્મલ જુદું… પણ ઓ હેલ્લો, બંને પોતપોતાની રીતે યોગ્ય છે…

બીજી ગમી ગયેલી વાત એટલે બાળકલાકારોની પસંદગી. આશરે અઢી હજારથી વધુ બાળકોના ટેસ્ટ લેવામાં આવ્યાં. અંતે 10 બાળકોથી બનેલી મુખ્ય ટીમ પસંદ કરવામાં આવી. વર્કશૉપ યોજી એમને તૈયાર કરવામાં આવ્યા. બાળકલાકારો ઉપરાંત બ્રિજેન્દ્ર કાલા, ડૉલી અહલુવાલિયા જેવા દમદાર અભિનેતાઓ મળીને ફિલ્મને સંવેદનશીલ બનાવે છે. જો કે કેન્દ્રમાં છેઃ આમીર ખાન. ગુલશનના જીવનમાં આવેલી સ્થિતપ્રજ્ઞ સ્ત્રી તરીકે જેનિલિયા દેશમુખ સરસ. એ વેરવિખેર થઈ રહેલા ગુલશનને એના લયમાં પાછો લાવવાના પ્રયાસ કરે છે. એનું પાત્ર પણ એ જ મૂલ્ય ધરાવે છેઃ સમજદારી, સહનશીલતા, પ્રેમની શાશ્વતતા.

2007માં આવેલી સ્પેનિશ ફિલ્મ ચૅમ્પિયન્સની રિમેક ‘સિતારે ઝમીન પર’ કહે છેઃ હા, તું પડી ગયો છે… પણ ફરી ઊઠીને દોડતાં શીખ. જીતવું ગૌણ છે, શીખવું મહત્વનું છે.

અજય દેવગને ‘સન ઓફ સરદાર 2’ ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું

‘સન ઓફ સરદાર 2′ માં અજય દેવગન અને મૃણાલ ઠાકુર પહેલી વાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આજે અજય દેવગને ફિલ્મના બે નવા પોસ્ટર શેર કર્યા અને તે થોડી જ વારમાં વાયરલ થઈ ગયા.’સન ઓફ સરદાર 2’ 25 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અજય દેવગને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવા પોસ્ટર શેર કરતા લખ્યું,’તે પંજાબથી બચી ગયો…શું તે સ્કોટલેન્ડથી બચી શકશે? ‘સન ઓફ સરદાર 2′ આ 25 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સરદાર પાછો આવી રહ્યો છે.’ આ પહેલા અભિનેતાએ એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં તે પાઘડી પહેરેલો હતો અને તેના કેપ્શનમાં લખ્યું હતું ‘સરદાર 25 જુલાઈના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં પાછો આવી રહ્યો છે’.

નવા પોસ્ટરમાં શું છે?

નવા પોસ્ટરમાં અજય દેવગન બે ટ્રેક્ટર પર ઉભેલો જોઈ શકાય છે. તેણે ટૂંકો કુર્તા-પાયજામા પહેર્યો છે. તેણે માથા પર લાલ પાઘડી પહેરી છે. બીજા પોસ્ટરમાં અજય દેવગને કુર્તા પાયજામા અને ગુલાબી પાઘડી પહેરી છે. આ પોસ્ટરમાં તે એક ટાંકી પર ઉભો છે. તેની પાછળ દુશ્મનો છે.પોસ્ટર પર કમેન્ટ કરતા એક ચાહકે લખ્યું છે કે ‘હું હવે રાહ જોઈ શકતો નથી.’

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

આ ફિલ્મમાં એક્શન, કોમેડી અને ડ્રામા હશે

નોંધનીય છે કે અજય દેવગનની ફિલ્મ ‘સન ઓફ સરદાર’ વર્ષ 2012 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી.’સન ઓફ સરદાર 2′ તેની સિક્વલ છે. અજય દેવગન આ ફિલ્મ સાથે ફરી એકવાર વાપસી કરી રહ્યા છે. મૃણાલ ઠાકુર તેમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. જિયો સ્ટુડિયો દેવગન ફિલ્મ્સ અને ટી-સિરીઝના સહયોગથી બની રહેલી આ ફિલ્મ એક્શન, કોમેડી અને હાઈ-સ્પિરિટેડ ડ્રામા હશે. થોડા દિવસો પહેલા ફિલ્મની અભિનેત્રી મૃણાલ ઠાકુરે ‘સન ઓફ સરદાર 2′ નામનો ક્લેપબોર્ડ ફોટો પોસ્ટ કર્યો હતો. તેણીએ કેપ્શનમાં લખ્યું હતું.’સીન 49 શોટ 5 ટેક 1 એક્શન!’

‘સન ઓફ સરદાર’ની સિક્વલ

‘સન ઓફ સરદાર 2’ એ ફિલ્મ ‘સન ઓફ સરદાર’ ની સિક્વલ છે, જેમાં સોનાક્ષી સિંહા મુખ્ય ભૂમિકામાં હતી. 2012 ની ફિલ્મમાં અજય દેવગણ અને સંજય દત્તે જસ્સી અને બિલ્લુની ભૂમિકા ભજવી હતી. આગામી સિક્વલમાં સંજય દત્ત ડોન તરીકે પરત ફરશે.

કર્ણાટક સરકારે મુસ્લિમોને આપી એક વધુ ભેટ

નવી દિલ્હીઃ કર્ણાટક સરકારે મુસ્લિમ સમુદાય માટે અનામતનો વધુ એક મોટો નિર્ણય લીધો છે. CM સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે હાઉસિંગ સ્કીમ (આવાસ યોજના) હેઠળ મુસ્લિમ સમુદાય માટેનો ક્વોટો પાંચ  ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે મુસ્લિમોને રહેવા માટેના મકાનની યોજનામાં 10 ટકાને બદલે 15 ટકાનું અનામત મળશે.

સરકારનો નિર્ણય શો છે?
કર્ણાટકની કોંગ્રેસ સરકારે અગાઉ સરકારી કોન્ટ્રેક્ટમાં મુસ્લિમ સમુદાયને અનામત આપવાનો નિર્ણય લીધો હતો. હવે રાજ્ય સરકારે મુસ્લિમ સમુદાયને આવાસ યોજનામાં વધુ આરક્ષણ આપવા માટે કેબિનેટમાં નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેઠાણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો લાભ મુસ્લિમ સમુદાયના લોકોને મળશે. અત્યાર સુધીમાં આવાસ લાભાર્થીઓ માટે 10 ટકા અનામત અલ્પસંખ્યકો માટે નક્કી કરાઈ હતી, જે હવે વધારીને 15 ટકા કરાઈ છે.

DK શિવકુમાર શું બોલ્યા?
રાજ્યના ઉપમુખ્ય મંત્રી DK શિવકુમારએ કહ્યું કે રાજ્યમાં વસતીના પ્રમાણને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના અનુસાર રાજ્યમાં સરકારના અનેક પ્રોજેક્ટ ખાલી છે અને તેને ભરણ પણ જરૂરી છે. મુસ્લિમ સમુદાયની વસતીને જોતાં ક્વોટામાં વધારો કરાયો છે. એ સાથે-સાથે તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપને મુસ્લિમને નામે માત્ર રાજકારણ કરતાં આવડે છે, અન્ય કંઈ નહીં.

પીઢ અભિનેતા વિવેક લાગુનું નિધન, નેતા સહિત અભિનેતાઓએ શૉક વ્યક્ત કર્યો

મરાઠી સિનેમાના પીઢ અભિનેતા વિવેક લાગુનું ગઈકાલે એટલે કે ગુરૂવાર નિધન થયું. આ દુઃખદ સમાચાર બાદ મરાઠી કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના કેબિનેટ મંત્રી આશિષ શેલારે પીઢ અભિનેતા વિવેક લાગુને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમના નિધનના સમાચાર ‘અત્યંત દુઃખદ’ છે. તેમણે X પર ટ્વીટ કર્યું કે,’હાર્દિક શ્રદ્ધાંજલિ! અભિનેતા વિવેક લાગુના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમના નિધનથી મરાઠી રંગભૂમિ અને ફિલ્મ ઉદ્યોગે એક હસતું, સતર્ક અને સંવેદનશીલ વ્યક્તિત્વ ગુમાવ્યું છે.’

સ્વર્ગસ્થ અભિનેતાના કાર્યની પ્રશંસા કરતા આશિષે કહ્યું,’રંગભૂમિ પર તેમની મજબૂત અભિનય શૈલી, ટેલિવિઝન પર તેમની હળવી અને દિલસ્પર્શી ભૂમિકાઓ અને પ્રસંગોએ તેમના હળવા હાસ્યએ તેમને ચાહકોના હૃદયમાં કાયમી સ્થાન આપ્યું છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે, એ જ અમારી પ્રાર્થના છે.’

મરાઠી સિનેમાના પીઢ અભિનેતા વિવેક લાગુ હિન્દી અને મરાઠી સિનેમા બંનેમાં તેમના કામ માટે જાણીતા હતા. તેમના લગ્ન પ્રખ્યાત અભિનેત્રી રીમા લાગુ સાથે થયા હતા, જે ‘શ્રીમાન શ્રીમતી’ જેવા ટીવી શોમાં તેમની ભૂમિકા માટે જાણીતી છે. તેઓ તેમની સાથે 1976 માં મળ્યા હતા. જોકે, પછીથી તેઓ અલગ થઈ ગયા. રીમા લાગુનું 2017 માં અવસાન થયું. આ દંપતીની પુત્રી મૃણ્મયી લાગુ પણ એક અભિનેત્રી અને થિયેટર દિગ્દર્શક છે. વિવેક લાગુ ‘અગ્લી’ (2013), ‘સર્વ મંગલ સાવધાન’ (2016) અને ‘વોટ અબાઉટ સાવરકર’ (2015) માટે જાણીતા છે.