પ્રિન્સ શેખ ખાલિદને મળ્યા બાદ PM મોદીએ કહ્યું, ‘દરેક ભારતીય તમને સાચા મિત્ર તરીકે જુએ છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ શનિવારે (15 જુલાઈ)ના રોજ સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા. આ દરમિયાન UAEના રાષ્ટ્રપતિ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અને PM મોદી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હતી. શેખ ખાલિદ સાથેની દ્વિપક્ષીય મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ અબુધાબી આવીને રાષ્ટ્રપતિને મળીને ખુશ છે. તેમણે ઉષ્માભર્યા સ્વાગત અને આદર બદલ તેમનો આભાર માન્યો અને કહ્યું કે ‘દરેક ભારતીય તમને સાચા મિત્ર તરીકે જુએ છે’. પીએમ મોદીએ કહ્યું, અમે અમારી ભાગીદારીને મજબૂત કરવા માટે નવી પહેલ કરી રહ્યા છીએ. બંને દેશોની કરન્સીમાં વેપાર કરાર અંગેનો આજનો કરાર અમારા મજબૂત આર્થિક સહયોગ અને વિશ્વાસને દર્શાવે છે.

 

આ પહેલા અબુધાબીમાં પીએમ મોદી અને યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની હાજરીમાં ભારત અને યુએઈના અધિકારીઓએ અનેક એમઓયુની આપલે કરી હતી.

વધુ વિકાસની ચર્ચા

આ સિવાય પીએમ મોદીએ COP28UAE ના ડેઝિગ્નેટેડ પ્રેસિડેન્ટ ડૉ. સુલતાન અલ જાબેર સાથે મુલાકાત કરી અને કહ્યું કે તેમની સાથે ખૂબ જ ઉપયોગી મુલાકાત થઈ. મીટિંગ પછી મોદીએ ટ્વિટ કર્યું, અમારી ચર્ચાઓ ટકાઉ વિકાસને આગળ વધારવાના માર્ગો પર કેન્દ્રિત હતી. આ દિશામાં ભારતનું યોગદાન, ખાસ કરીને મિશન લાઇફ પર અમારું ભાર, હાઇલાઇટ કરવામાં આવ્યું હતું.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડૉ. જબરે પીએમને આગામી COP-28 વિશે માહિતી આપી. PM એ COP-28 ના UAE ના અધ્યક્ષપદ માટે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી. PM એ જળવાયુ પરિવર્તનને સંબોધવા માટે ભારતના પ્રયત્નો અને પહેલોને પણ પ્રકાશિત કરી.