નવી દિલ્હીઃ દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા પણ બિહાર ચૂંટણીઓમાં પ્રચાર કરવા પહોંચી ગયાં છે. પટના પહોંચતાં જ તેમણે મહાગઠબંધન પર મોટો હુમલો કર્યો હતો. તેમણે મહાગઠબંધનને ઠગોની દુકાન ગણાવી હતી. તેમણે મિડિયાને કહ્યું હતું કે આ મહા-ઠગ-બંધન છે, ઠગોની દુકાન છે. જે ચારો ખાઈ ગયા, હવે દાણા નાખીને વિચાર કરે છે કે જનતા આ દાણાની જાળમાં આવી જશે, પણ આવું થવાનું નથી.
ગઈ કાલના રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આપેલા નિવેદન પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે મને જે શીખવવામાં આવે છે, તેઓ તે પોપટની જેમ આવીને બોલી જાય છે. તેમને ખબર નથી હોતી કે તેઓ શું બોલી રહ્યા છે.રાહુલ ગાંધી, જેને ખબર નથી જલેબી ક્યાં બને છે, કેવી રીતે બને છે, જેને ખબર નથી આલુ ક્યાં મળે છે, જ્યારે એવો માણસ ભારતમાં, બિહારમાં ઊભો રહીને ભાષણ કરે છે, ત્યારે મને હસવું આવે છે. તેમને ખબર નથી કે તે શું બોલી રહ્યા છે, કોના માટે બોલી રહ્યા છે. આવી વ્યક્તિના કોઈ પણ નિવેદન પર ટિપ્પણી કરતાં મને શરમ આવે છે, એમ તેમણે કહ્યું હતું.
VIDEO | Delhi CM Rekha Gupta (@gupta_rekha) addresses a public meeting for BJP Patna Sahib candidate Ratnesh Kushwaha. She says, “Only in the BJP can a woman from an ordinary family become the Chief Minister. The BJP gives opportunities to deserving candidates, not to sons,… pic.twitter.com/u32qKz1nad
— Press Trust of India (@PTI_News) October 29, 2025
બિહારમાં આજે દિગ્ગજોની સભાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા બિહારમાં અનેક જનસભાઓ કરશે. પીએમ નરેન્દ્ર મોદી મુઝફ્ફરપુર અને સારણ જિલ્લામાં બે સભાઓને સંબોધશે.
રાહુલ ગાંધી નાલંદા અને શેખપુરા જિલ્લામાં સભાઓ સંબોધશે, જ્યારે અમિત શાહની લખિસરાય, મુંગેર, નાલંદા અને પટણા જિલ્લામાં ચાર ચૂંટણી સભાઓ પ્રસ્તાવિત છે. જેપી નડ્ડા બક્સર અને પટના જિલ્લામાં સભાઓ સંબોધશે.


