PMએ વેંકટેશ્વર મંદિરની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, સહાયની જાહેરાત

આંધ્ર પ્રદેશ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીકાકુલમ જિલ્લામાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં દસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા PMએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. અકસ્માતમાં ઘાયલોને 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવાની પણ જાહેરાત કરી.

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, “આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડથી હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.”