પાકિસ્તાનઃ શહેબાઝ શરીફ આજે પીએમ પદ પરથી આપી શકે છે રાજીનામું

પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ બુધવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ઔપચારિક ભલામણ કરશે. સંસદના નીચલા ગૃહનો પાંચ વર્ષનો કાર્યકાળ 12 ઓગસ્ટે પૂરો થાય છે. પાકિસ્તાન અને પાકિસ્તાન ઓબ્ઝર્વરના અહેવાલો અનુસાર, શહેબાઝ શરીફના રાજીનામા બાદ જલીલ અબ્બાસ જિલાની કાર્યપાલક વડાપ્રધાન બની શકે છે. જલીલ અબ્બાસ જિલાની વડા પ્રધાન શાહબાઝ શરીફને મળવા વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા છે. ભૂતપૂર્વ વિદેશ સચિવ જલીલ અબ્બાસ જિલાનીએ યુએસ અને યુરોપિયન યુનિયનમાં રાજદૂત, ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનના હાઈ કમિશનર અને ભારતમાં પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે સેવા આપી છે.

પાકિસ્તાનમાં વચગાળાની સરકાર સત્તા સંભાળશે

નેશનલ એસેમ્બલીના વિસર્જન સાથે, પાકિસ્તાનમાં આગામી સામાન્ય ચૂંટણીઓનો માર્ગ મોકળો થઈ જશે. શાહબાઝ શરીફે મંગળવારે કહ્યું હતું કે વર્તમાન સરકારનો કાર્યકાળ પૂરો થયા બાદ હું બુધવારે રાષ્ટ્રપતિને પત્ર લખીને નેશનલ એસેમ્બલી ભંગ કરવા માટે ભલામણ કરીશ. આ પછી વચગાળાની સરકાર સત્તા સંભાળશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના લોકો નવેમ્બર 2023માં ચૂંટણી દ્વારા તેમની સરકાર પસંદ કરશે. પાકિસ્તાનના ચૂંટણી પંચે હજુ સુધી સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત કરી નથી. રાષ્ટ્રપતિ અલ્વી કાં તો તરત જ વિધાનસભા ભંગ કરવા માટે નોટિફિકેશન જારી કરી શકે છે અને જો તેઓ આમ નહીં કરે તો 48 કલાક પછી વિધાનસભાનું વિસર્જન થઈ જશે.

શાહબાઝ શરીફ 2022માં પીએમ બન્યા હતા

વડા પ્રધાન શરીફે મંગળવારે જનરલ હેડક્વાર્ટર (GHQ)ની તેમની વિદાય મુલાકાત પણ લીધી હતી. 10 એપ્રિલ 2022ના રોજ પાકિસ્તાનમાં ઉભી થયેલી રાજકીય કટોકટી દરમિયાન, તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાદ વિરોધ પક્ષો વતી શાહબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમણે બીજા દિવસે એટલે કે 11 એપ્રિલ 2022ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.