શું પ્રતિ મહિને રૂ. 18,000 આપશે સરકાર?, જાણો…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સામાન્ય જનતાન હિતમાં કેટલાય પ્રકારની યોજના ચલાવે છે. આ યોજનાઓની માહિતી લોકોને યુટ્યુબથી માંડીને વેબસાઇટ અને સોશિયલ મિડિયા પર આવે છે. કેટલાક સરકારનાં નામને ગુમરાહ કરવાના સમાચાર શેર કરવામાં લાગ્યા છે. હાલમાં સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર પ્રતિ મહિને રૂ. 18,000 આપશે. આવો જાણીએ છીએ શું છે સત્ય…

યુટ્યુબ ચેનલ sarkarikhabar21નો એક વિડિયો થંબનેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે 24 એપ્રિલ, 2024થી સરકાર પ્રત્યેક વ્યક્તિને પ્રતિ મહિને રૂ. 18,000 આપશે. PIBએ આ વાયરલ મેસેજનું સત્ય જાણવા પ્રયાસ કર્યા હતા. જે પછી PIBએ આ વાઇરલ મેસેજ પર ખુલાસો કર્યો છે.

સરકારની પ્રેસ એજન્સી PIBએ જ્યારે આ દાવાના મૂળ સુધી જવાના પ્રયાસ કર્યા તો ચોંકાવનારો ખુલાસો થયો હતો. PIBએ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહેલા દાવાને સંપૂર્ણ રીતે ખોટો બતાવ્યો હતો. PIBએ લોકોને કહ્યું હતું કે સરકાર દ્વારા એવી કોઈ ઘોષણા નથી કરવામાં આવી. સરકારી એજન્સીએ આ પ્રકારની ભ્રામક પોસ્ટ અને વિડિયોથી દૂર રહેવાની અપીલ કરી હતી. એનું માનવું છે કે આ પ્રકારના મેસેજના ચક્કરમાં આવીને તમે છેતરપિંડીનો શિકાર થઈ શકો છો. સરકાર બધી યોજનાઓની ખુદ પ્રેસ રિલીઝ જારી કરી દે છે. જેથી ભ્રામક પોસ્ટની માયાજાળમાં ફસાવું નહીં.