સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળોએ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓની શોધખોળ માટે સેનાના વિશેષ દળો અને જમ્મુ-કાશ્મીરે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. હાલ ઓપરેશન જારી છે.

સુરક્ષા દળોને ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં ચાર આતંકવાદી છુપાયો હોવાની માહિતી મળી હતી. જે પછી આ વિસ્તારને ઘેરને તપાસ કરવામાં આવી રહી છે. જૈશ-એ-મોહમ્મદ જૂથના ચાર આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા છે, આતંકવાદીઓ ભારે હથિયારોથી સજ્જ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં હિંસા ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ચોક્કસ માહિતીના આધારે કઠુઆમાં જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કઠુઆ-બસંતગઢ સરહદ પર આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી. આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ 2019ના પુલવામા બોમ્બ વિસ્ફોટ સહિત ભારતમાં અનેક ઘાતક હુમલાઓ માટે જવાબદાર છે.સુરક્ષા દળોની સંયુક્ત ટીમ છુપાયેલા આતંકવાદીઓની નજીક પહોંચી છે. તેમણે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો છે, જે પછી અથડામણ શરૂ થઈ છે. આ પહેલાં જમ્મુ જિલ્લાના અખનૂરમાં આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં BSFનો એક જવાન ઘાયલ થયો હતો. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં સેના ને BSF હાઇ એલર્ટ પર છે.