કોરોના સામે ઇમર્જન્સી ફંડઃ આ રીતે આપી શકો દાન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાઇરસની સામે સરકારની લડાઈમાં યોગદાન કરવા માટે નાગરિક સહાયતા અને રાહત માટે ઇમર્જન્સી ફંડની જાહેરાત કરી હતી. ઉદ્યોગપતિ રતન તાતાએ તાતા સન્સ તરફથી એમાં રૂ. 500 કરોડ આપવાની જાહેરાત કરી છે. IAS એસોસિયેશને આ ફંડમાં રૂ. 21 લાખનું યોગદાન આપ્યું છે. બધા સભ્યોએ એક દિવસનો પગાર આપ્યો છે. વડા પ્રધાને કહ્યું હતું કે તેમણે  ‘પ્રધાન મંત્રી નાગરિક સહાયતા અને આપાતકાલીન સ્શિતિ નિધિ’ ફંડની રચના કરી છે. તેઓ એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા માગે છે. જેથી એ ડિઝેસ્ટર મેનેજમેન્ટની ક્ષમતાઓને મજબૂત કરશે અને નાગરિકોની સુરક્ષાને પ્રોત્સાહિત કરશે. આવો આપણે ભારતને સ્વસ્થ બનાવીએ અને આપણી ભાવિ પેઢીઓ માટે વધુ સમૃદ્ધ બનાવવા માટે કોઈ કસર ના છોડીએ. વડા પ્રધાને ટ્વીટ કરીને આ વિશેની માહિતી આપી હતી જેમાં પૂરેપૂરી વિગતો છે. જે નીચે મુજબ છે.