લોકતંત્ર નહીં, જાતિવાદ, વંશવાદનું રાજકારણ જોખમમાં: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શુક્રવારે કૌશાંબી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કૌશાબ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના ઉપ મુખ્ય મંત્રી બૃજેશ પાઠક અને ઉપ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યા હતા.

આ દરમ્યાન જનસભાને સંબોધિત કરતાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે દેશમાં પહેલાં ક્યારેય એવું નથી થયું છે, જ્યારે લોકસભાનું બજેટ સત્ર વગર એક પણ ચર્ચાથી પૂરું થઈ ગયું હોય. વિપક્ષના નેતાઓએ સંસદને ચાલવા નથી દીધી, કારણ એટલું જ છે રાહુલ ગાંધીને અયોગ્ય ઘોષિત જાહેર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે એ કાયદો બનાવ્યો છે. કોંગ્રેસના નેતા મનમોહન સિંહ લાલુ પ્રસાદ યાદવને બચાવવા માટે કાયદો સુધારવા માગતા હતા, પણ રાહુલે તેમને અટકાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે સુરતની એક કોર્ટે તેમને સજા આપી હતી. અત્યાર સુધી 17 વિધાનસભ્ય અને સાંસદોની સદસ્યતા રદ કરવામાં આવી હતી, પણ કોંગ્રેસ નેતાઓએ કાળા કપડાં પહરીને દેખાવ કર્યો હતો અને સંસદીય કાર્યવાહી બંધ કરવામાં આવી હતી.  હું રાહુલ ગાંધીને કહેવા ઇચ્છું છું કે કાયદાનું પાલન કરવું દરેક નાગરિકનો ધર્મ હોય છે. તમે તો સાંસદ હતા. આ સજાને પડકાર આપી શકત. કોર્ટમાં લડતા, પણ તમે સંસદીય કાર્યવાહીની બલિ ચઢાવી દીધી.

 તેમણે કોંગ્રેસના આરોપ પર પલટવાર કહ્યું હતું કે તેઓ કહે છે કે લોકતંત્ર ખતરામાં છે, પણ લોકતંત્રનહીં તમારો પરિવાર ખતરામાં છે. પરિવારવાદી રાજકારણ ખતરામાં છે. તમારા પરિવારની ઓટોક્રસી જોખમમાં છે. તમે દેશને લોકતંત્રને જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણના ત્રણ માપદંડોથી ઘેરીને રાખ્યું છે. વડા પ્રધાન મોદીએ જાતિવાદને સમાપ્ત કર્યું છે.