કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 24 દર્દીનાં મરણ

બેંગલુરુઃ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી સર્જાવાને લીધે અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ સહિત 24 દર્દીનાં કરુણ મોત નિપજ્યા છે.

ચામરાજનગરની જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાને કારણે તથા અન્ય કારણોસર છેલ્લા 24 કલાકમાં અનેક કોરોના દર્દીઓ સહિત 24 દર્દી મૃત્યુ પામ્યા છે. મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ જિલ્લા કલેક્ટરને ફોન કરીને આ ઘટના અંગે વાત કરી હતી અને ત્યારબાદ પોતાના પ્રધાનમંડળની આવતીકાલે તાકીદની બેઠક બોલાવવાનું નક્કી કર્યું.