સરકાર 50 મોટા ડિફોલ્ટર્સના નામ જણાવેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં નરેન્દ્ર મોદી સરકાર પર દેશની 50 મોટી બેંકના દેવાદારોને બચાવવાનો આરોપ લગાવ્યો તો નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ નેતા મુદ્દા પર રાજનીતિ કરી રહ્યા છે અને કેટલાક લોકો પોતાના પાપોને બીજા માથે મઢવાના પ્રયત્નો કરી રહ્યા છે કે જે અમે નહી થવા દઈએ. રાહુલ ગાંધીને પ્રશ્નકાળમાં પ્રશ્ન ન પૂછવાની મંજૂરી ન આપવા પર કોંગ્રેસ સભ્યોએ વાંધો ઉઠાવ્યો અને આના વિરોધમાં સુત્રોચ્ચાર પણ કર્યા.

સદનમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચોધરીએ આના પર પોતાનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે, આ ખરેખર અન્યાય છે કે રાહુલ ગાંધીને પૂરક પ્રશ્ન નથી પૂછવામાં આવી રહ્યો કે જ્યારે પ્રશ્નકાળ સમાપ્ત થવામાં હજી થોડો સમય બાકી હતો. બાદમાં કોંગ્રેસ સભ્યોએ આના વિરોધમાં સદનમાંથી વોકઆઉટ કર્યું. આ પહેલા પૂર્વ નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે દેશમાં તમામ બેંક સુરક્ષિત છે અને યસ બેંકના ગ્રાહકોના પૈસા પણ સુરક્ષિત છે.

અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે આમની સરકારે પૈસા આપીને લોકોને દેશની બહાર ભગાડ્યા છે પરંતુ મોદીજી એ જ પૈસા પાછા લાવી રહ્યા છે. મોદી સરકાર જ ભાગેડુ આર્થિક આરોપી સંબંધિત વિધેયક લાવી છે. આવા આર્થિક ગુનેગારોની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. આ જ ક્રમમાં નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે, તેઓ આ ચર્ચામાં પેઈન્ટિંગ ખરીદવા વેચવાની વાત નથી કરવા ઈચ્છતા કારણકે તેમની ઈચ્છા આ મુદ્દે રાજનીતિ કરવાની નથી.

રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, વ્યવહારિક રુપથી જોવા જઈએ તો બેંકિંગ સિસ્ટમ કામ નથી કરી રહી. તેમણે કહ્યું કે, આનું મુખ્ય કારણ મોટી સંખ્યામાં લોકો બેંકોના પૈસા ચોરીને ભાગી રહ્યા છે તે છે. તેમણે સરકાર પાસેથી દેશના ટોપ 50 ડિફોલ્ટરર્સના નામ જણાવવાની માંગ કરી. સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર તેમના પ્રશ્નોનો ફેરવી-ફેરવીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને કહ્યું હતું કે જે લોકોએ બેંકોના પૈસા લઈ લીધા છે અને પાછા નથી આપ્યા તેવા લોકોને પકડીને લાવશે પરંતુ તેમની સરકાર મોટા 50 ડિફોલ્ટર્સના નામ પણ નથી જણાવી રહી.