રાજસ્થાન: મહારાણા પ્રતાપની કર્મભૂમિમાં બનશે ફિલ્મસિટી

ઉદયપુર: રાજસ્થાનમાં કોરોના વાઈરસથી પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે, તો બીજી તરફ ઉદયપુર માટે એક મોટી ખુશખબરી પણ છે, જે આવનારા સમયમાં પર્યટન વ્યવસાયને નવી ઉંચાઈઓ આપશે. ઉદયપુરમાં ફિલ્મસિટી બનશે, જેના માટે મહારાણ પ્રતાપની કર્મભૂમિને પસંદ કરવામાં આવી છે. આગામી સમયમાં ગોગુંદા વિસ્તારના પડાવલી ગામમાં ફિલ્મસિટીનું નિર્માણ કામ શરુ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મસિટી માટે 300 વિઘા જમીન ફાળવણીને લઈને પ્રક્રિયા ચાલી છે. સામૂહિક પ્રયાસો થકી ઉદયપુરમાં ફિલ્મસિટીની સ્થાપનાનો માર્ક મોકળો થયો છે.

અધિક જિલ્લા કલેક્ટર ઓપી બુનકરનું કહેવું છે કે, ફિલ્મસિટીના નિર્માણ માટે જમીન પસંદગી થઈ ચૂકી છે. ફિલ્મસિટી માટે જમીનની ફાળવણી અંગે રાજ્ય સરકાર તરફથી માર્ગદર્શિકા લેવામાં આવી છે, આ જમીનનો માલિક કોણ રહેશે અને અહીં ફિલ્મ સિટીના નિર્માણની જવાબદારી કોની હશે?

અખિલ રાજસ્થાન ફિલ્મ સમિતિના પ્રમુખ મુકેશ માધવાણી કહે છે કે ફિલ્મ સિટીની માલિકી અને નિર્માણ માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી છે. તેમને વિશ્વાસ છે કે જમીનની ફાળવણીની સાથે અહીં ફિલ્મ સિટીના નિર્માણનો માર્ગ મોકળો થશે.