કેન્દ્ર દ્વારા વિશ્વની સૌથી મોટી અન્ન ભંડાર યોજનાને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ભારતમાં વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાનો પ્રારંભ કરી રહી છે. એના માટે રૂ. એક લાખ કરોડની ફાળવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરના પ્રત્યેક રાજ્યમાં 2000 ટન ક્ષમતાનું ગોદામ બનાવવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે ખાદ્ય ભંડાર યોજનાને મંજૂરી આપી દીધી છે.

સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય ભંડાર યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના માટેને ખર્ચ રૂ. એક લાખ કરોડ થવાની શક્યતા છે. આના માટે એક આંતર મંત્રાલયની સમિતિની રચના કરવામાં આવશે, એમ કેન્દ્રીય પ્રધઆન અનુરાગ ઠાકુરે કહ્યું હતું.  આ ખાદ્ય ભંડાર યોજનાનો ઉદ્દેશ ખાદ્યાન્નના લાંબા સમય સુધીમ સુરક્ષિત, પૌષ્ટિક બનાવી રાખવાનો છે. આ ઉપરાંચ ખાદ્યાન્નની સુવિધા વધારવા માટેની ક્ષમતા વધારવામાં આવે. એ અનાજનું કીટકોથી અનાજનું રક્ષણ કરવામાં આવે. આ યોજનાથી અનાજના ભંડારની સુવિધા વધી જશે.

સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ભંડાર યોજનાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી કુલ 1450 લાખ ટન ભંડારની ક્ષમતા છે અને હવે 700 લાખ ભંડારની ક્ષમતા સહકારી ક્ષેત્રમાં શરૂ થશે, એમ તેમણે કહ્યું હતું.  તેમણે કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં સિટીઝ 2.0 (City investments to innovate integrate and sustain) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એના ભાગ Citis 1.0ની જેમ ત્રણની જેમ રહેશે. એના પર રૂ. 1866 કરોડનો ખર્ચ થશે.