માવઠાને કારણે કેસર કેરીની કિંમતો દાયકામાં સૌથી ઓછી

અમદાવાદઃ કેસર કેરી ગુજરાતીઓનું મનપસંદ ફળ છે. રાજ્યમાં વારંવાર આવતા વાતાવરણના પલટાને કારણે કેસર કેરીની કિંમતો છેલ્લા એક દાયકામાં સૌથી નીચી થઈ છે. સામાન્ય રીતે બજારમાં કેસર કેરી કેરીના 10 કિલોગ્રામની કિંમતો રૂ. 700થી રૂ. 1200 સુધી ચાલતા હોય છે, પણ હાલમાં એક ઘટીને પ્રતિ બોક્સ રૂ. 375થી રૂ. 400એ પહોંચ્યા છે.

કેસર કેરીના ખેડૂતો, જથ્થાબંધ વેપારીઓ અને ટ્રેડર્સોના જણાવ્યાનુસાર ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ અચાનક વાતાવરણમાં આવતા ફેરફાર છે. અમદાવાદ હોલસેલ ફ્રૂટ મર્ચન્ટ એસોસિયેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અને જથ્થાબંધના વેપારી શય્મ રોહરાએ કહ્યું હતું કે ગીર સોમનાથ, કચ્છ અને અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદને કારણે કેસરની ખેતી પર પ્રતિકૂળ અસર પડી છે. વળી, એક કારણ એ પણ છે અમુક વર્ગના લોકો વરસાદ પડ્યા પછી કેરી ખાવાનું બંધ કરે છે અથવા ઓછી ખાય છે. વળી, બજારમાં હાલ માગ કરતાં કેરીની આવકમાં વધારો થયો છે. જેને પગલે ભાવમાં કડાકો થયો છે.

તાલાલામાં 30-40 ટકા કેરીઓ હજી વૃક્ષ પર

તાલાલા ગીરમાં એક ખેડૂત અરવિંદ સહાધે કહ્યું હતું કે હાલમાં કેસર કેરીની આસપાસ 30-40 કેસર તાલાલામાં વૃક્ષો પર લટકેલી છે. વળી, કમોસમી વરસાદને પગલે ખેડૂતોને કેસરનો સ્ટોક વધુમાં વધુ બજારમાં લાવવો પડે છે, જેથી કેસર કેરીની કિંમતો છેલ્લાં 10 વર્ષોની તુલનામાં સૌથી ઓછો છે. સૂત્રો અનુસાર કેસર કેરીના 70,000 બોક્સ પ્રતિદિન તાલાલામાંથી બહાર જાય છે, જેમાંથી અમદાવાદમાં આશરે 20,000 બોક્સ બજારમાં આવે છે.