વસ્તીગણતરી દરમ્યાન તમને પૂછવામાં આવશે આ અંગત સવાલો

નવી દિલ્હી: મોદી સરકારે વસ્તી ગણતરી 2021ની તૈયારી શરૂ કરી દીધી છે. તેને લઈને બેઠકો ચાલી રહી છે. સરકારે વસ્તીગણતરી દરમ્યાન પૂછવામાં આવનારા સવાલોનું એક નોટિફિકેશન જાહેર કર્યું છે. સેંસસ એક્ટની કલમ 8ની પેટાકલમ 1 મુજબ થવા જઈ રહેલી વસ્તી ગણતરી માટે સરકારે તમામ વસ્તીગણતરી ઓફિસોને સવાલોનું લિસ્ટ મોકલી દીધું છે. આ લિસ્ટમાં કુલ 31 સવાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઘરના માલિકનું નામથી લઈને તમે કયા અનાજનો વપરાશ કરો છે એ તમામ ખાનગી માહિતી પૂછવામાં આવશે.

વસ્તીગણતરી દરમ્યાન તમને આ સવાલો પૂછવામાં આવશે

બિલ્ડિંગ નંબર (મ્યુનિસિપલ અથવા સ્થાનિક ઓથોરિટી નંબર: કયા પ્રકારનાં શૌચાલયો છે
સેન્સસ હાઉસ નંબર ડ્રેનેજ સિસ્ટમ
છત, દિવાલ અને છત માટે વપરાયેલી મુખ્યત્વે સામગ્રી વોશરૂમ છે કે નહીં
મકાન કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ઘર રસોડું છે કે નહીં, તેમાં એલપીજી / પીએનજી કનેક્શન છે કે કેમ
ઘરની સ્થિતિ રસોડામાં ઉપયોગ થતું બળતણ
મકાન નંબર રેડિયો / ટ્રાંઝિસ્ટર
ઘરમાં રહેતા લોકોની સંખ્યા ટેલિવિઝન
ઘરના વડાનું નામ  ઇન્ટરનેટ સુવિધા છે કે નહીં
શું ઘરના વડા એસસી / એસટી અથવા અન્ય સમુદાયના છે લેપટોપ / કમ્પ્યુટર છે કે નહીં
ઘરની માલિકીની સ્થિતિ ટેલિફોન / મોબાઇલ ફોન / સ્માર્ટફોન
ઘરમાં ઓરડાઓની સંખ્યા સાયકલ / સ્કૂટર / મોટરસાયકલ / મોપેડ
ઘરમાં કેટલા વિવાહિત યુગલો રહે છે કાર / જીપ / વેન
પાણીનો મુખ્ય સ્રોત ઘરમાં કયા અનાજનું સેવન મુખ્યત્વે કરવામાં આવે છે
ઘરમાં પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા મોબાઈલ નંબર (વસ્તી ગણતરી માટે સંપર્ક કરવા)
વીજળીનો મુખ્ય સ્રોત ઘરના વડાની જાતી (પુરુષ-સ્ત્રી-અન્ય)
ટોઇલેટ છે કે નહીં

 

મહત્વનું છે કે, દર દસ વર્ષે વસ્તીગણતરી હાથ ધરવામાં આવે છે, આ પહેલા 2011માં વસ્તીગણતરી થઈ હતી. આ વસ્તીગણતરી માટે મોદી સરકાર તરફથી બજેટ પણ પારિત કરવામાં આવી ચૂક્યું છે. મોદી કેબિનેટે વસ્તીગણતરી-2021 માટે 8000 કરોડથી વધુનું બજેટ પાસ કર્યું હતું.