કેન્દ્રિય બજેટ રજૂ થઈ ચૂક્યુ છે. નાણા મંત્રી નિર્માલા સિતારમણે આઠમી વખત બજેટ 2025 રજૂ કર્યુ છે. ત્યારે દેશમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બજેટ લઈ અમિત શાહ સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બજેટનું સ્વાગત કર્યું છે. ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટને લઈ પ્રતિક્રિયા આપી છે.
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી બજેટ સરકારને વિચાર વિમુક્ત રહી હોવાની વાત કરી છે. તેમને પોસ્ટમાં લખ્યું છે કે બુલેટના ઘા પર બ્ડેડ લગાડવાનો પ્રયત્ન કર્યો છે સરકારે, વધુમાં તેમણે લખ્યું કે “વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે એક આદર્શ પરિવર્તનની જરૂર હતી. પરંતુ સરકાર વિચારોની બેન્કરૂપ્ટ છે.
A band-aid for bullet wounds!
Amid global uncertainty, solving our economic crisis demanded a paradigm shift.
But this government is bankrupt of ideas.
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2025
તો બીજી બાજું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જૂન ખડગેએ સરકાર પર કટાક્ષ કરતા પોસ્ટ કરી કે “આ બજેટમાં એક કહેવત એકદમ યોગ્ય છે – નવસો ઉંદરો ખાધા પછી, બિલાડી હજ પર ગઈ!” ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાને બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. બજેટમાં જાહેરાત કરી છે કે હવે રૂ. 12 લાખ સીધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે તેમણે ટેક્સ સ્લેબમાં પણ સુધારા કર્યા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટના પ્રારંભમાં ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂકવા સાથે નેક મોટી યોજનાઓનું એલાન કર્યું હતું. જેમાં PM ધનધાન્ય યોજના વિસ્તરણ અને બિહારમાં ખેડૂતો માટે મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરી હતી.