દિલ્હી: શું ‘આપ’ના શપથ સમારોહમાં પીએમ મોદી હાજરી આપશે?

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીનો સપથ ગ્રહણ સમારોહ 16 ફેબ્રુઆરીએ યોજાશે. આ સમારોહમાં હાજર રહેવા વડાપ્રધાન મોદીને પણ પાર્ટી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સતત ત્રીજી વખત શપથ લેશે. જો કે પીએમ મોદી આ શપથ સમારોહમાં હાજરી આપશે કે નહીં એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

ઉલ્લેખનીય છે કે, 16 ફેબ્રુઆરીએ કેજરીવાલ પોતાના મંત્રીમંડળની સાથે શપથ લેશે. ગત વખતની જેમ આ વખતે પણ શપથ ગ્રહણ રામલીલા મેદાનમાં યોજાશે. શપથગ્રહણ સમારોહ પહેલા અરવિંદ કેજરીવાલે તમામ ચૂંટાયેલા ધારાસભ્યો સાથે એક બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ પોતાની કેબિનેટમાં કોઇ બદલાવ નહીં કરે. એટલે કેજરીવાલ 3.0માં પણ તમામ જૂના મંત્રીઓ ફરીવાર શપથ લે તેવી શક્યતા છે.