શનિવારે અમિત શાહ ગુજરાતના પ્રવાસે, વડોદરામાં કરશે રોડ શો

અમદાવાદ: બીજા તબક્કાનું મતદાન પૂરું થવાને ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે હવે દરેક રાજકીય પક્ષે ત્રીજા તબક્કાની બેઠકો પર પ્રચાર-પ્રસાર તેજ કરી દીધો છે. જેના પગલે સ્ટાર પ્રચારકોના હવે ગુજરાતમાં ધામા નાખ્યા છે. આ જ શ્રેણીમાં 27મી એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવવવાના છે.27મી એપ્રિલના રોજ સૌપ્રથમ તેઓ પોરબદર લોકસભા માટે જામકંડોરણાથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. અહીં તેમની સાથે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જોડાશે. ત્યાર બાદ બપોરે 2-00 કલાકે ભરૂચ લોકસભા બેઠક માટે અંકલેશ્વર-રાજપીપળા હાઈવે પર એક જંગી સભાને સંબોધન કરશે. જ્યાં તેમની સાથે મનસુખ વસાવા જોડાશે.

27મી એપ્રિલના રોજ સાંજે 4-00 કલાકે પંચમહાલ બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ યાદવ માટે ગોધરામાં આયોજીત લોકસભા વિજય સંકલ્પ સભાને સંબોધન કરશે.

બેઠક  ઉમેદવાર સ્થળ સમય
પોરબંદર ડૉ. મનસુખ માંડવિયા કુમાર છાત્રાલય, જામકંડોરણા, જિ-રાજકોટ 10-00 am
ભરૂચ મનસુખ વસાવા ખડોલી ગામ, અંકલેશ્વર-રાજપીપળા હાઈવે, ભરુચ 02-00 pm
પંચમહાલ રાજપાલસિંહ યાદવ પંચામૃત ડેરી, લુણાવાડા બાય પાસ હાઈવે, ગોધરા 04-00 pm
વડોદરા હેમાંગ જોષી રણમુક્તેશ્વર મહાદેવ મંદિર, અકોટા 06-00 pm

 

વડોદરામાં સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો રોડ શો યોજાશે.આ રોડ શો રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૃ થશે. જે નાની શાકમાર્કેટ, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર અને તાડફળિયા થઇ માર્કેટ ચાર રસ્તા પૂર્ણ થશે.