કોરોનાના 23,950 નવા કેસો, 333નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા એક કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 23,950 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 333 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,00,99,066 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,46,444 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 96,63,382 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 26,895 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,89,240એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.68 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.  દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.