ગુજરાત સ્થાપના દિવસે 385 વિદ્યાર્થીઓનું સન્માન

 મુંબઈઃ મુંબઈ અને મહારાષ્ટ્ર બંધ થતી ગુજરાતી શાળાને કેન્દ્રમાં રાખી શાળાના ઉત્કર્ષ અને સમાજમાં માતૃભાષામાં ભણતર માટેના વિવિધ જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરનાર સંસ્થાનું તીર્થ નગરી ઉત્તરાખંડ હરિદ્વારમાં વસતા ગુજરાતી સમુદાય દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સંસ્થાના અગ્રણી ભાવેશભાઈને શાલ અને વિશેષ ભેટ પ્રતિનિધિ અલ્પાબહેન દ્વારા પ્રદાન કરવામાં આવ્યાં હતાં. આજના સમયમાં મુંબઈ જેવી નગરીમાં ગુજરાતી માતૃભાષાને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ આ સંસ્થા વિશ્વભરના ગુજરાતી માટે પ્રેરણા સ્વરૂપ છે. આ વાત હરિદ્વાર ગુજરાતી પરિવારના પ્રમુખ રાજેશભાઈ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેમના જણાવ્યાનુસાર આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસ બુધવારના હોવાથી આયોજન હરિદ્વારના રાખી પ્રતિનિધિરૂપે અલ્પાબહેન આ સન્માન પાઠવવા મુંબઈ ખાતે આવ્યાં છે. સમસ્ત હરિદ્વાર ગુજ્જુ પરિવાર દ્વારા માતૃભાષા સન્માન પાઠવતા સન્માન અનુભવે છે હરિદ્વારના ગુજરાતી પરિવાર દ્વારા ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ દ્વારા થતા ગુજરાતી સંસ્કૃતિ ભાષા માટે શ્રેષ્ઠ કાર્યને બિરદાવવાનું કાર્ય 2015થી ચાલી રહ્યું છે. આ પ્રસંગે રાજેશભાઈ પાઠક, રાજેશભાઈ પ્રજાપતિ, કીર્તનભાઈ દેસાઈ, રમેશભાઈ ઠાકર, અલ્પાબહેન ગાધેર, ચંદ્રકાંતભાઈ ગાધેર તો મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશભાઈ મહેતા,અલ્પાબેન મહેતા,પાર્થ લખાણી, શુભાંગ મહેતા, મયૂર મકવાણા, ગૌતમ રાજાણી,  નિધિ કાચા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનનું મુંબઈમાં સમાપન થયું હતું

આ સાથે હરિદ્વાર ગુજરાતી પરિવાર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે લેવાયેલી વિવિધ સ્પર્ધા 385 વિદ્યાર્થીઓનું સન્માન દેશભરની 45 શાળામાં ગુજરાત સ્થાપના દિવસે કરવામાં આવ્યું હતું.