બિઝનેસમાં સફળ થવું હોય તો મુકેશ અંબાણીની આ મહત્વની સલાહ જાણી લો

મુંબઈ: એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીને કોઈ પરિચયની જરૂર નથી, તેમનું નામ જ કાફી છે. તેમની પાસે જેટલા પૈસા છે તેનાથી સમગ્ર દેશ ટકી શકે છે.મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક છે,પરંતુ આટલા મોટા સામ્રાજ્યએ એક દિવસમાં રાતોરાત આટલા કરોડો અને અબજો રૂપિયાની કમાણી કરી નથી. સખત મહેનત અને આયોજન બનાવી આ મુકામ હાંસલ કર્યુ છે. મુકેશ અંબાણી જેટલા સારા બિઝનેસમેન છે તેટલા જ સારા અને સકારાત્મક વ્યક્તિ પણ છે, જેઓ જીવન પ્રત્યે એક અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે અને તેમનો અંદાજ જ તેમને આ પદ પર લાવ્યા છે. આજે મુકેશ અંબાણીના 67મા જન્મદિવસ પર જાણીએ તેમના સફળતાના મંત્રો.

  • મોટા સપના જુઓ અને તેને પૂરા કરવાની હિંમત રાખો.

 

  • મને લાગે છે કે સૌથી મોટો પડકાર માનસિકતા છે. આપણે સકારાત્મકતા, આશાવાદ, પોતાની જાતમાં વિશ્વાસ લાવવો પડશે.

 

  • નિષ્ફળતા સ્વીકાર્ય છે. આપણે બધા આપણા પ્રથમ પ્રયાસમાં સફળ થતા નથી. હું તમને કહી શકું છું, હું પોતે નિષ્ફળ ગયો છું. મેં કરેલી દરેક 10 વસ્તુઓ માટે હું છ કે સાત વખત નિષ્ફળ ગયો છું. હું ત્રણ વખત ખૂબ જ સફળ થયો છું કારણ કે હું ખૂબ નસીબદાર હતો. જો આપણે આપણા અભિગમમાં એકંદરે સકારાત્મકતા અને આશાવાદ લાવીએ તો આપણી સાચી સંભાવનાને સાકાર કરવા માટે આપણે શું કરી શકીએ તેનો અંદાજ આવી જાય.

 

  • મેં મારા પિતા પાસેથી જે સૌથી મહત્વપૂર્ણ પાઠ શીખ્યા છે તેમાંનો પહેલો પાઠ છે હિંમત. કોઈએ ક્યારેય ધંધામાં કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં હિંમત વિના કંઈ પણ મોટું હાંસલ કર્યું નથી. અલબત્ત, જ્યારે પણ તમે કંઈ પણ મોટું કરો છો, ત્યારે તમને થોડો ડર લાગે છે. પરંતુ તમારી અંદર છુપાયેલા હીરોને શોધવા માટે તમારે ડર પર વિજય મેળવવો પડશે. જો તમે ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમામ અવરોધોને દૂર કરી શકશો.જો તમે અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરશો,તો તમે ક્યારેય તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો નહીં.

 

  • હિંમત, આત્મવિશ્વાસ અને કરી શકવાની ભાવનાથી તમે કોઈપણ પ્રતિકૂળતાને પાર કરી શકો છો. અશક્ય પર વિજય મેળવવો એ તમારું ભાગ્ય છે.

 

  • ભૂતકાળની ભૂલોનું પોસ્ટમોર્ટમ કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. તેના બદલે એ જ ભૂલોનું પુનરાવર્તન ન કરવાનું શીખો.

 

  • તમારા વર્તમાન અને ભવિષ્યના ધ્યેયોને અનુસરવામાં હિંમતવાન અને સાહસિક બનો. હંમેશા એકબીજાને ટેકો આપો. જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે ભૂલો થવાની શક્યતાઓ પણ ઓછી થઈ જાય છે.

 

  • અવસરમાંથી આવક આવે છે… એકવાર તમે તક ઊભી કરો તો સંપત્તિ આવશે.

 

  • ભારતમાં દરેક નાના વેપારી અને ઉદ્યોગસાહસિક પાસે ધીરુભાઈ અંબાણી કે બિલ ગેટ્સ બનવાની ક્ષમતા છે. તે જ ભારતને બાકીના વિશ્વથી અલગ પાડે છે.

 

  • આજના જમાનામાં નાણાકીય સંસાધનો સૌથી ઓછા મહત્વના છે. આ વિશ્વ વિચારની શક્તિ તરફ આગળ વધ્યું છે.

 

  • એક ઉદ્યોગસાહસિક તરીકે તમે જે સમસ્યાનું નિરાકરણ કરવા માંગો છો,કે જેના વિશે તમે જુસ્સાદાર છો તે સમસ્યા શોધવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કામ સમસ્યાનું નિરાકરણ શોધવાનું નથી, સમસ્યા શોધવાનું છે. પહેલા સમસ્યા શોધો અને પછી તેને સોલ્વ કરો.