નવી દિલ્હીઃ ઉત્તર ચીનમાં આવેલા એક નર્સિંગ હોમમાં આગ લાગવાથી 20 લોકોનાં મોત થયાં હતાં. જોકે હજુ સુધી આગ કેમ લાગી તેનું કારણ જાણી શકાયું નથી. ગઈ કાલે હેબેઇ પ્રાંતના ચેંગડે શહેરમાં સ્થિત એક નર્સિંગ હોમમાં સ્થાનિક સમયાનુસાર રાત્રે નવ વાગ્યે આગ લાગી હતી, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું.
શિન્હુઆએ જણાવ્યું હતું કે આઠ એપ્રિલે રાત્રે 9 વાગ્યે હેબેઈ પ્રાંતમાં ચેંગડે શહેર સ્થિત એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. નર્સિંગ હોમમાં આગ લાગ્યા બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા લોકોને સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ કુલ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયાં તેની ચોક્કસ માહિતી સામે નથી આવી. જોકે, અત્યાર સુધી 20 લોકોના આગમાં બળીને મોત થયાની માહિતી સામે આવી છે.
ફાયરની ટીમ દ્વારા હજુ આગ લાગવાના કારણ વિશે તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
