કોલકાતાઃ SIR મામલે ઉત્પીડનનો આરોપ લગાવી તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. આ મુદ્દે મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જરૂર પડ્યે તેઓ જાતે સુપ્રીમ કોર્ટ જઈને જનતા માટે પેરવી કરશે.પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં અધ્યક્ષ મમતા બેનર્જીએ કહ્યું હતું કે બંગાળમાં SIR પસાર થયા બાદ મતદાર યાદીની ડ્રાફ્ટ સૂચિમાંથી 54 લાખ લોકોનાં નામ બહાર કરી દેવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે અહીં તો ‘હત્યારાઓ’ને પણ પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર મળે છે, પરંતુ જેમનાં નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે, તેમને એ અધિકાર પણ આપવામાં આવતો નથી. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ લોકો પર થઈ રહેલા ઉત્પીડન અંગે અવાજ ઉઠાવશે.
આમ લોકોના હક છીનવાઈ રહ્યા છે
મમતાના નિવેદન બાદ તૃણમૂલના સાંસદ અને વકીલ કલ્યાણ બેનર્જીએ SIRની સુનાવણી દરમિયાન લોકો પર થતા ઉત્પીડન અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવાની વાત કરી છે. તેમણે પાર્ટીની તરફથી આ અરજી દાખલ કરી છે. આ અરજીમાં તૃણમૂલના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ’બ્રાયન અને ડોલા સેન યાચિકાકર્તા છે.
મમતા બેનર્જીએ SIRની સુનાવણી દરમિયાન સામાન્ય લોકો પર થતા ઉત્પીડનનો મુદ્દો ઉઠાવ્યો હતો. મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે હવે AIનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવી રહ્યું છે કે કોનું નામ યાદીમાંથી કાઢી નાખવું અને કોનું નામ રાખવું. ત્યાર બાદ મમતાએ કહ્યું હતું કે અમે કાનૂની મદદ પણ લઈ રહ્યા છીએ.
મમતા કોર્ટમાં પોતે કરશે દલીલ
મમતાએ કહ્યું હતું કે જરૂર પડ્યે તેઓ પોતે પણ પેરવી કરશે. તેમણે જણાવ્યું હતું કે જરૂર પડ્યે હું પણ પરવાનગી માગીશ. જરૂર પડ્યે હું સુપ્રીમ કોર્ટ પણ જઈશ અને જનતાની તરફથી પેરવી કરીશ. હું જનતાની તરફથી બોલીશ. હું વકીલ છું, પરંતુ વકીલ તરીકે નહીં જઈશ. હું એક સામાન્ય નાગરિક તરીકે જઈશ. હું મારા મનની વાત કહી શકું છું. બોલવા માટે પરવાનગી લઈશ. હું પોતાની તરફથી બતાવીશ કે જમીન સ્તર પર શું થઈ રહ્યું છે અને લોકોને કેવી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.




