ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે પાકિસ્તાનઃ બાજવા

કરાંચી- પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ બુધવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધોને લઈને પોતાની સારી ઈચ્છા પ્રગટ કરી છે, પરંતુ આમ કરવા માટે પહેલ કરવી પણ જરૂરી હોય છે.

બાજવાએ કરાંચીમાં ઈન્ટરપ્લે ઓફ ઈકોનોમી એન્ડ સિક્યુરિટી વિષય પર એક પરિચર્ચામાં બોલતા જણાવ્યું કે પાકિસ્તાનને રાષ્ટ્રીય કાર્ય યોજના પર આગળ વધવા માટે એક વ્યાપક પ્રયત્ન તરફ અને એવી નબળાઈઓથી છુટકારો મેળવવાની જરૂર છે કે જે ભવિષ્યમાં સમસ્યાનુ સ્વરૂપ લઈ શકે છે.

વધુમાં બાજવાએ જણાવ્યું કે અમે સતત પરિવર્તન કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. પૂર્વમાં આક્રમક ભારત અને પશ્ચિમમાં એક અસ્થિર અફઘાનિસ્તાન સાથે ક્ષેત્ર, ઐતિહાસીક ભારણ અને નકારાત્મક પ્રતિસ્પર્ધાના કારણે બંધક બન્યું છે.