વિશ્વના બધા મુસ્લિમોએ એકજુટ રહેવું પડશેઃ આયાતોલ્લા ખોમિની

તહેરાનઃ ઇરાન અને ઇઝરાયેલના સંઘર્ષની વચ્ચે વિશ્વની નજર તહેરાન પર છે, કેમ કે આશરે પાંચ વર્ષ પછી દેશના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિની નમાજ અદા કરી હતી. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો એક વાર ફરી ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવશે. આ વખતે પણ પેલેસ્ટાઇના હક માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. અમે જલદી નહીં કરીએ અને અટકીશું પણ નહીં.

તેમણે કહ્યું હતું કે વિશ્વના બધા મુસ્લિમોએ એકજુટ રહેવું પડશે. જો મુસલમાનો એકજુટ રહેશે તો બધા દુશ્મન હારી જશે, કેમ કે ઉપરવાળાનો સાથ મળશે. ઇરાનથી માંડીને લેબનોન સુધી મુસ્લિમોને એકસાથે રહેવું પડશે. ઇઝરાયેલ પર ઇરાનનો મિસાઇલ એટેક અને ઇઝરાયેલના લેબનોનમાં હિજબુલ્લાના ગઢમાં સતત હુમલાની વચ્ચે આવું પહેલી વાર થયું હતું, જ્યારે ખોમિની શુક્રવારની નમાજ અદા કરવા સૌની સામે આવ્યા હતા.

તેમણે મોટો દાવો કર્યો હતો કે ઇઝરાયેલ પર જે હુમલો કર્યો છે, એ સંપૂર્ણ રીતે કાયદા મુજબ છે. ઇરાનના ફૈજિયોં પર અમને ગર્વ છે. તેમણે જે કાર્યવાહી કરી, એ સંપૂર્ણ રીતે યોગ્ય હતી. પેલેસ્ટાઇનના હક માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો.

ઇરાનના સર્વોચ્ચ નેતા ખોમિનીએ તહેરાનની મસ્જિદમાં લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે ઇઝરાયેલની સાથે યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખતાં ઇરાન એના બધા દુશ્મનોની દરેક ચાલને નિષ્ફળ બનાવશે.