ઐતિહાસિક નિર્ણયઃ મોદી સરકાર જાતિ જનગણતરી કરાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે.  કેન્દ્ર સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવશે અને આ આગામી વસ્તી ગણતરીમાં આ વાતને સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટ બ્રીફિંગમાં આ માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર હંમેશાંથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે. ભૂતપૂર્વ PM મનમોહન સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરીને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું, પરંતુ કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જાતિની ગણતરીનો સર્વે કરવા માગતી હતી. જે સ્પષ્ટપણે સંકેત આપે છે કે તેઓ રાજકીય લાભ માટે જાતિ આધારિત જ વસ્તી ગણતરીનો ઉપયોગ કરે છે.

રાજકીય બાબતોની કેબિનેટ કમિટી સુપર કેબિનેટ તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ થાય છે. CCPAના વર્તમાન સભ્યોમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણાં મંત્રી નિર્મલા સીતારામન અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સામેલ છે.

આ સાથે બેઠકમાં ખેડૂતો માટે મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ સરકારોએ જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે. ૧૯૪૭થી જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી નથી. કોંગ્રેસે જાતિગત વસ્તી ગણતરીને બદલે જાતિ સર્વેક્ષણ કરાવ્યું હતું. UPA સરકાર દરમિયાન ઘણાં રાજ્યોએ રાજકીય દ્રષ્ટિકોણથી જાતિ સર્વેક્ષણો કર્યાં હતાં.

મોદી સરકારે શેરડીના ખેડૂતોને મોટી ભેટ આપી છે. શેરડીના FRPમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે શિલોંગથી સિલ્વર કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. સરકારે મેઘાલયથી આસામ સુધીના નવા હાઇવેને મંજૂરી આપી છે, જે ૧૬૬.૮ કિમી લાંબો ૪-લેન હાઇવે હશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જાતિગત વસ્તી ગણતરી કરશે.