શાંતિ બિઝનેસ સ્કૂલમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)માં એક રાત્રી માટે ભવ્ય નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટીસ અને અન્ય સ્ટાફ સહિત લગભગ 800 જેટલા લોકો પરંપરાગત પોશાક પહેરી ભક્તિભાવપૂર્વક ગરબે ઘૂમ્યા હતા.

એકતા, આનંદ અને ભક્તિની આ ઉજવણી વિદ્યાર્થીઓને ઘડવામાં કોલેજની ભૂમિકા દર્શાવે છે, જે વિદ્યાર્થીઓને ફક્ત શૈક્ષણિક રીતે નિપુણ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ જાગ્રત બનાવે છે.

આ પ્રસંગે શાંતિ બિઝનેસ સ્કૂલનાં ડિરેક્ટર ડો. નેહા શર્માએ જણાવ્યું કે શાંતિ બિઝનેસ સ્કૂલમાં અમે માનીએ છીએ કે ભવિષ્યના નેતાઓ બૌદ્ધિક સૂઝ અને ઊંડા સાંસ્કૃતિક જોડાણના સંયોજન દ્વારા ઘડાય છે. અમારી નવરાત્રી ગરબા રાત્રિ ફક્ત એક ઉત્સવ કરતાં વધુ છે, તે એક એવું વાતાવરણ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ છે જ્યાં વિદ્યાર્થીઓ સહાનુભૂતિશીલ, જાગ્રત બની એકબીજા સાથે સંકળાયેલા રહી  વિકાસ પામે છે. સહિયારા આનંદ અને પરંપરાની આ ક્ષણોમાં જ આપણી સમુદાયની ભાવના ખરેખર ચમકે છે, જે આપણા વિદ્યાર્થીઓને યોગ્યતા અને ચારિત્ર્ય બંને સાથે નેતૃત્વ કરવા માટે તૈયાર કરે છે.